બીરભૂમ હિંસા: TMC ના 13 સદસ્યના પ્રતિનિધિ મંડળે અમિત શાહ સાથે મુલાકાત કરી, સંસદમાં પણ આ મુદ્દો ઉઠાવાયો

લોકસભામાં તૃણમૂલ કોંગ્રેસના સાંસદ સુદીપ બંદોપાધ્યાયે કહ્યું છે કે બીરભૂમ હિંસાના મુદ્દા પર ચર્ચા થઈ છે. અમે આ મામલે ગૃહમંત્રી અમિત શાહ સાથે પણ વાત કરી છે. તેણે ગુનેગારોને કડકમાં કડક સજા આપવાની વાત કરી છે.

બીરભૂમ હિંસા: TMC ના 13 સદસ્યના પ્રતિનિધિ મંડળે અમિત શાહ સાથે મુલાકાત કરી, સંસદમાં પણ આ મુદ્દો ઉઠાવાયો
Birbhum Violence - File Photo
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 24, 2022 | 5:23 PM

મંગળવારે પશ્ચિમ બંગાળના (West Bengal) બીરભૂમ જિલ્લાના રામપુરહાટ શહેરમાં સ્થિત એક ગામમાં કથિત રૂપે કેટલાક ઘરોને આગ લગાડવાથી 8 લોકો બળીને ખાખ થઈ ગયા હતા. જેને લઈને હવે રાજકારણ ગરમાયું છે અને વિપક્ષના નેતાઓ ગામની મુલાકાત લેવાના પ્રયાસો કરી રહ્યા છે. આ ક્રમમાં કોંગ્રેસના (Congress) વરિષ્ઠ નેતા અધીર રંજન ચૌધરી પણ હિંસા પીડિતોને મળવા ગયા હતા, પરંતુ તેમને અટકાવવામાં આવ્યા હતા. કોંગ્રેસ સાંસદ ગૌરવ ગોગોઈએ લોકસભામાં આ માહિતી આપી છે. ગોગોઈએ કહ્યું, અધીર રંજન ચૌધરી રામપુરહાટ હિંસા પીડિતોને મળવા ઈચ્છતા હતા. પરંતુ પોલીસે તેને સ્થળથી 90 કિમી દૂર બોલપુરમાં અટકાવ્યા હતા. બીરભૂમ હિંસાનો મુદ્દો સંસદમાં ઉઠાવવામાં આવ્યો છે.

રાષ્ટ્રીય માનવાધિકાર આયોગના એક અધિકારીએ જણાવ્યું હતું કે NHRCના અધ્યક્ષ જસ્ટિસ અરુણ મિશ્રા ભારતે પશ્ચિમ બંગાળના બીરભૂમ જિલ્લામાં થયેલી હત્યાઓ અંગે સ્વતઃ સંજ્ઞાન લીધું છે. ત્યાં NHRCની ટીમ તેની તપાસ કરશે. આ ઉપરાંત, ડેરેક ઓ’બ્રાયન અને સુદીપ બંદોપાધ્યાયના નેતૃત્વમાં 13-સભ્ય ટીએમસી પ્રતિનિધિ મંડળ પશ્ચિમ બંગાળમાં બીરભૂમ હિંસાના પગલે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહને મળ્યા હતા.

લોકસભામાં તૃણમૂલ કોંગ્રેસના સાંસદ સુદીપ બંદોપાધ્યાયે કહ્યું છે કે બીરભૂમ હિંસાના મુદ્દા પર ચર્ચા થઈ છે. અમે આ મામલે ગૃહમંત્રી અમિત શાહ સાથે પણ વાત કરી છે. તેણે ગુનેગારોને કડકમાં કડક સજા આપવાની વાત કરી છે. બંદોપાધ્યાયે કહ્યું છે કે આ કેસમાં અત્યાર સુધીમાં 21 લોકોની ધરપકડ કરવામાં આવી છે.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

મુખ્યમંત્રી મમતા બેનર્જી હિંસા પીડિતોને મળ્યા

રાજ્યના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ગુરુવારે કહ્યું કે જો રામપુરહાટ હિંસા કેસના શંકાસ્પદો આત્મસમર્પણ નહીં કરે તો તેમને શોધીને ધરપકડ કરવામાં આવશે. મુખ્યમંત્રી બેનર્જીએ ગુરુવારે બોગતુઈ ગામની મુલાકાત લીધી હતી. તેણે પીડિત પરિવારના સભ્યોને સરકારી નોકરીનું વચન પણ આપ્યું હતું. તેમણે કહ્યું, પોલીસ એ સુનિશ્ચિત કરશે કે રામપુરહાટ હિંસા કેસના ગુનેગારોને સખતમાં સખત સજા મળે. કોર્ટ સમક્ષ કેસ દાખલ કરવામાં આવશે.

મુખ્યમંત્રીએ પીડિત પરિવારોને 5-5 લાખ રૂપિયા અને ક્ષતિગ્રસ્ત મકાનોના પુનર્નિર્માણ માટે 2-2 લાખ રૂપિયાનું વળતર આપવાની પણ જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે ઘાયલોને 50-50 હજાર રૂપિયા આપવામાં આવશે. સીએમ બેનર્જીએ કહ્યું, પોલીસને સમગ્ર બંગાળમાં ગેરકાયદેસર હથિયારો, બોમ્બ વગેરે શોધવાના પણ આદેશ આપવામાં આવ્યો છે.

આ પણ વાંચો : CM ભગવંત માને PM મોદી પાસે એક લાખ કરોડનું સ્પેશિયલ પેકેજ માંગ્યું, કહ્યું- રાષ્ટ્રીય સુરક્ષા જાળવવા માટે કેન્દ્રનો સહયોગ પણ જરૂરી

આ પણ વાંચો : પરમબીર સિંહ કેસમાં સુપ્રીમ કોર્ટનો આદેશ, મુંબઈના પૂર્વ કમિશનર દ્વારા દાખલ કેસની થશે CBI તપાસ

Latest News Updates

Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
g clip-path="url(#clip0_868_265)">