Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

બીરભૂમ હિંસા: TMC ના 13 સદસ્યના પ્રતિનિધિ મંડળે અમિત શાહ સાથે મુલાકાત કરી, સંસદમાં પણ આ મુદ્દો ઉઠાવાયો

લોકસભામાં તૃણમૂલ કોંગ્રેસના સાંસદ સુદીપ બંદોપાધ્યાયે કહ્યું છે કે બીરભૂમ હિંસાના મુદ્દા પર ચર્ચા થઈ છે. અમે આ મામલે ગૃહમંત્રી અમિત શાહ સાથે પણ વાત કરી છે. તેણે ગુનેગારોને કડકમાં કડક સજા આપવાની વાત કરી છે.

બીરભૂમ હિંસા: TMC ના 13 સદસ્યના પ્રતિનિધિ મંડળે અમિત શાહ સાથે મુલાકાત કરી, સંસદમાં પણ આ મુદ્દો ઉઠાવાયો
Birbhum Violence - File Photo
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 24, 2022 | 5:23 PM

મંગળવારે પશ્ચિમ બંગાળના (West Bengal) બીરભૂમ જિલ્લાના રામપુરહાટ શહેરમાં સ્થિત એક ગામમાં કથિત રૂપે કેટલાક ઘરોને આગ લગાડવાથી 8 લોકો બળીને ખાખ થઈ ગયા હતા. જેને લઈને હવે રાજકારણ ગરમાયું છે અને વિપક્ષના નેતાઓ ગામની મુલાકાત લેવાના પ્રયાસો કરી રહ્યા છે. આ ક્રમમાં કોંગ્રેસના (Congress) વરિષ્ઠ નેતા અધીર રંજન ચૌધરી પણ હિંસા પીડિતોને મળવા ગયા હતા, પરંતુ તેમને અટકાવવામાં આવ્યા હતા. કોંગ્રેસ સાંસદ ગૌરવ ગોગોઈએ લોકસભામાં આ માહિતી આપી છે. ગોગોઈએ કહ્યું, અધીર રંજન ચૌધરી રામપુરહાટ હિંસા પીડિતોને મળવા ઈચ્છતા હતા. પરંતુ પોલીસે તેને સ્થળથી 90 કિમી દૂર બોલપુરમાં અટકાવ્યા હતા. બીરભૂમ હિંસાનો મુદ્દો સંસદમાં ઉઠાવવામાં આવ્યો છે.

રાષ્ટ્રીય માનવાધિકાર આયોગના એક અધિકારીએ જણાવ્યું હતું કે NHRCના અધ્યક્ષ જસ્ટિસ અરુણ મિશ્રા ભારતે પશ્ચિમ બંગાળના બીરભૂમ જિલ્લામાં થયેલી હત્યાઓ અંગે સ્વતઃ સંજ્ઞાન લીધું છે. ત્યાં NHRCની ટીમ તેની તપાસ કરશે. આ ઉપરાંત, ડેરેક ઓ’બ્રાયન અને સુદીપ બંદોપાધ્યાયના નેતૃત્વમાં 13-સભ્ય ટીએમસી પ્રતિનિધિ મંડળ પશ્ચિમ બંગાળમાં બીરભૂમ હિંસાના પગલે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહને મળ્યા હતા.

લોકસભામાં તૃણમૂલ કોંગ્રેસના સાંસદ સુદીપ બંદોપાધ્યાયે કહ્યું છે કે બીરભૂમ હિંસાના મુદ્દા પર ચર્ચા થઈ છે. અમે આ મામલે ગૃહમંત્રી અમિત શાહ સાથે પણ વાત કરી છે. તેણે ગુનેગારોને કડકમાં કડક સજા આપવાની વાત કરી છે. બંદોપાધ્યાયે કહ્યું છે કે આ કેસમાં અત્યાર સુધીમાં 21 લોકોની ધરપકડ કરવામાં આવી છે.

એક કે બે નહીં, ભારત પાકિસ્તાનીઓને આપે છે 10 પ્રકારના વિઝા
Post Office માં 60 મહિનાની FD માં 3,00,000 જમા કરાવો, તો પાકતી મુદત પર કેટલા રૂપિયા મળશે?
અચાનક નોળિયો દેખાવો કઈ વાતનો સંકેત આપે છે? જાણો શુભ કે અશુભ
શુભમન ગિલના પરિવારમાં કોણ છે? જુઓ ફોટો
Kitchen Tiles color: રસોડામાં કયા રંગની ટાઇલ્સનો ઉપયોગ કરવો જોઈએ?
સૌથી વધુ પૈસાદાર અભિનેત્રીના પરિવારમાં કોણ કોણ છે, ચાલો જાણીએ

મુખ્યમંત્રી મમતા બેનર્જી હિંસા પીડિતોને મળ્યા

રાજ્યના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ગુરુવારે કહ્યું કે જો રામપુરહાટ હિંસા કેસના શંકાસ્પદો આત્મસમર્પણ નહીં કરે તો તેમને શોધીને ધરપકડ કરવામાં આવશે. મુખ્યમંત્રી બેનર્જીએ ગુરુવારે બોગતુઈ ગામની મુલાકાત લીધી હતી. તેણે પીડિત પરિવારના સભ્યોને સરકારી નોકરીનું વચન પણ આપ્યું હતું. તેમણે કહ્યું, પોલીસ એ સુનિશ્ચિત કરશે કે રામપુરહાટ હિંસા કેસના ગુનેગારોને સખતમાં સખત સજા મળે. કોર્ટ સમક્ષ કેસ દાખલ કરવામાં આવશે.

મુખ્યમંત્રીએ પીડિત પરિવારોને 5-5 લાખ રૂપિયા અને ક્ષતિગ્રસ્ત મકાનોના પુનર્નિર્માણ માટે 2-2 લાખ રૂપિયાનું વળતર આપવાની પણ જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે ઘાયલોને 50-50 હજાર રૂપિયા આપવામાં આવશે. સીએમ બેનર્જીએ કહ્યું, પોલીસને સમગ્ર બંગાળમાં ગેરકાયદેસર હથિયારો, બોમ્બ વગેરે શોધવાના પણ આદેશ આપવામાં આવ્યો છે.

આ પણ વાંચો : CM ભગવંત માને PM મોદી પાસે એક લાખ કરોડનું સ્પેશિયલ પેકેજ માંગ્યું, કહ્યું- રાષ્ટ્રીય સુરક્ષા જાળવવા માટે કેન્દ્રનો સહયોગ પણ જરૂરી

આ પણ વાંચો : પરમબીર સિંહ કેસમાં સુપ્રીમ કોર્ટનો આદેશ, મુંબઈના પૂર્વ કમિશનર દ્વારા દાખલ કેસની થશે CBI તપાસ

ભાવનગરના દરિયાઈ વિસ્તારની સુરક્ષા રામ ભરોસે
ભાવનગરના દરિયાઈ વિસ્તારની સુરક્ષા રામ ભરોસે
અમદાવાદ રહેતા બાંગ્લાદેશી નાગરિકો સામે પોલીસ એક્શનમાં- Video
અમદાવાદ રહેતા બાંગ્લાદેશી નાગરિકો સામે પોલીસ એક્શનમાં- Video
100થી વધુ લોકો ગેરકાયદે હોવાનું તપાસમાં ખુલ્યું
100થી વધુ લોકો ગેરકાયદે હોવાનું તપાસમાં ખુલ્યું
આ 5 રાશિના જાતકોને આજે જીવનમા પ્રગતિના સંકેત મળશે
આ 5 રાશિના જાતકોને આજે જીવનમા પ્રગતિના સંકેત મળશે
ગુજરાતમાં ગરમી યથાવત રહેશે ! ગરમ પવન ફૂંકાવાની આગાહી
ગુજરાતમાં ગરમી યથાવત રહેશે ! ગરમ પવન ફૂંકાવાની આગાહી
નર્મદા ડેમના અસરગ્રસ્તોની લડત : ટાવર પર ચઢીને કર્યો વિરોધ
નર્મદા ડેમના અસરગ્રસ્તોની લડત : ટાવર પર ચઢીને કર્યો વિરોધ
ધારાસભ્યના પુત્ર ગણેશ જાડેજાના નિવેદનથી પાટીદાર સમુદાયમાં રોષ ફેલાયો
ધારાસભ્યના પુત્ર ગણેશ જાડેજાના નિવેદનથી પાટીદાર સમુદાયમાં રોષ ફેલાયો
જામનગરમાં પોલીસ એકશનમાં ! 31 પાકિસ્તાની નાગરિકોને આપ્યું અલ્ટિમેટમ
જામનગરમાં પોલીસ એકશનમાં ! 31 પાકિસ્તાની નાગરિકોને આપ્યું અલ્ટિમેટમ
અમદાવાદમાં ક્રાઈમ બ્રાન્ચ બહાર ગેરકાયદે બાંગ્લાદેશીઓએ કર્યો હંગામો
અમદાવાદમાં ક્રાઈમ બ્રાન્ચ બહાર ગેરકાયદે બાંગ્લાદેશીઓએ કર્યો હંગામો
અમદાવાદમાં શોર્ટ ટર્મ વિઝા પર રહેતા 386 પાકિસ્તાની નાગરિક
અમદાવાદમાં શોર્ટ ટર્મ વિઝા પર રહેતા 386 પાકિસ્તાની નાગરિક
g clip-path="url(#clip0_868_265)">