AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

બીરભૂમ હિંસા: TMC ના 13 સદસ્યના પ્રતિનિધિ મંડળે અમિત શાહ સાથે મુલાકાત કરી, સંસદમાં પણ આ મુદ્દો ઉઠાવાયો

લોકસભામાં તૃણમૂલ કોંગ્રેસના સાંસદ સુદીપ બંદોપાધ્યાયે કહ્યું છે કે બીરભૂમ હિંસાના મુદ્દા પર ચર્ચા થઈ છે. અમે આ મામલે ગૃહમંત્રી અમિત શાહ સાથે પણ વાત કરી છે. તેણે ગુનેગારોને કડકમાં કડક સજા આપવાની વાત કરી છે.

બીરભૂમ હિંસા: TMC ના 13 સદસ્યના પ્રતિનિધિ મંડળે અમિત શાહ સાથે મુલાકાત કરી, સંસદમાં પણ આ મુદ્દો ઉઠાવાયો
Birbhum Violence - File Photo
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 24, 2022 | 5:23 PM
Share

મંગળવારે પશ્ચિમ બંગાળના (West Bengal) બીરભૂમ જિલ્લાના રામપુરહાટ શહેરમાં સ્થિત એક ગામમાં કથિત રૂપે કેટલાક ઘરોને આગ લગાડવાથી 8 લોકો બળીને ખાખ થઈ ગયા હતા. જેને લઈને હવે રાજકારણ ગરમાયું છે અને વિપક્ષના નેતાઓ ગામની મુલાકાત લેવાના પ્રયાસો કરી રહ્યા છે. આ ક્રમમાં કોંગ્રેસના (Congress) વરિષ્ઠ નેતા અધીર રંજન ચૌધરી પણ હિંસા પીડિતોને મળવા ગયા હતા, પરંતુ તેમને અટકાવવામાં આવ્યા હતા. કોંગ્રેસ સાંસદ ગૌરવ ગોગોઈએ લોકસભામાં આ માહિતી આપી છે. ગોગોઈએ કહ્યું, અધીર રંજન ચૌધરી રામપુરહાટ હિંસા પીડિતોને મળવા ઈચ્છતા હતા. પરંતુ પોલીસે તેને સ્થળથી 90 કિમી દૂર બોલપુરમાં અટકાવ્યા હતા. બીરભૂમ હિંસાનો મુદ્દો સંસદમાં ઉઠાવવામાં આવ્યો છે.

રાષ્ટ્રીય માનવાધિકાર આયોગના એક અધિકારીએ જણાવ્યું હતું કે NHRCના અધ્યક્ષ જસ્ટિસ અરુણ મિશ્રા ભારતે પશ્ચિમ બંગાળના બીરભૂમ જિલ્લામાં થયેલી હત્યાઓ અંગે સ્વતઃ સંજ્ઞાન લીધું છે. ત્યાં NHRCની ટીમ તેની તપાસ કરશે. આ ઉપરાંત, ડેરેક ઓ’બ્રાયન અને સુદીપ બંદોપાધ્યાયના નેતૃત્વમાં 13-સભ્ય ટીએમસી પ્રતિનિધિ મંડળ પશ્ચિમ બંગાળમાં બીરભૂમ હિંસાના પગલે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહને મળ્યા હતા.

લોકસભામાં તૃણમૂલ કોંગ્રેસના સાંસદ સુદીપ બંદોપાધ્યાયે કહ્યું છે કે બીરભૂમ હિંસાના મુદ્દા પર ચર્ચા થઈ છે. અમે આ મામલે ગૃહમંત્રી અમિત શાહ સાથે પણ વાત કરી છે. તેણે ગુનેગારોને કડકમાં કડક સજા આપવાની વાત કરી છે. બંદોપાધ્યાયે કહ્યું છે કે આ કેસમાં અત્યાર સુધીમાં 21 લોકોની ધરપકડ કરવામાં આવી છે.

મુખ્યમંત્રી મમતા બેનર્જી હિંસા પીડિતોને મળ્યા

રાજ્યના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ગુરુવારે કહ્યું કે જો રામપુરહાટ હિંસા કેસના શંકાસ્પદો આત્મસમર્પણ નહીં કરે તો તેમને શોધીને ધરપકડ કરવામાં આવશે. મુખ્યમંત્રી બેનર્જીએ ગુરુવારે બોગતુઈ ગામની મુલાકાત લીધી હતી. તેણે પીડિત પરિવારના સભ્યોને સરકારી નોકરીનું વચન પણ આપ્યું હતું. તેમણે કહ્યું, પોલીસ એ સુનિશ્ચિત કરશે કે રામપુરહાટ હિંસા કેસના ગુનેગારોને સખતમાં સખત સજા મળે. કોર્ટ સમક્ષ કેસ દાખલ કરવામાં આવશે.

મુખ્યમંત્રીએ પીડિત પરિવારોને 5-5 લાખ રૂપિયા અને ક્ષતિગ્રસ્ત મકાનોના પુનર્નિર્માણ માટે 2-2 લાખ રૂપિયાનું વળતર આપવાની પણ જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે ઘાયલોને 50-50 હજાર રૂપિયા આપવામાં આવશે. સીએમ બેનર્જીએ કહ્યું, પોલીસને સમગ્ર બંગાળમાં ગેરકાયદેસર હથિયારો, બોમ્બ વગેરે શોધવાના પણ આદેશ આપવામાં આવ્યો છે.

આ પણ વાંચો : CM ભગવંત માને PM મોદી પાસે એક લાખ કરોડનું સ્પેશિયલ પેકેજ માંગ્યું, કહ્યું- રાષ્ટ્રીય સુરક્ષા જાળવવા માટે કેન્દ્રનો સહયોગ પણ જરૂરી

આ પણ વાંચો : પરમબીર સિંહ કેસમાં સુપ્રીમ કોર્ટનો આદેશ, મુંબઈના પૂર્વ કમિશનર દ્વારા દાખલ કેસની થશે CBI તપાસ

Follow Us
પટ્ટાવાળા, સ્કૂલ વાનચાલકે ચૂંટણીમાં મેળવી ઐતિહાસિક જીત, જુઓ Video
પટ્ટાવાળા, સ્કૂલ વાનચાલકે ચૂંટણીમાં મેળવી ઐતિહાસિક જીત, જુઓ Video
અમરેલીમાં ભાજપનો દબદબો યથાવત, જિલ્લા-તાલુકા-નગરપાલિકામાં ભવ્ય જીત
અમરેલીમાં ભાજપનો દબદબો યથાવત, જિલ્લા-તાલુકા-નગરપાલિકામાં ભવ્ય જીત
Breaking News: ગોંડલ તાલુકા પંચાયતમાં આમ આદમી પાર્ટીએ પાડ્યુ ગાબડુ
Breaking News: ગોંડલ તાલુકા પંચાયતમાં આમ આદમી પાર્ટીએ પાડ્યુ ગાબડુ
દ્વારકા રાવલ નગરપાલિકામાં ભાજપના સૂપડા સાફ થયા
દ્વારકા રાવલ નગરપાલિકામાં ભાજપના સૂપડા સાફ થયા
70 વર્ષથી ભાજપનો જે ગઢ હતો, ત્યાં કોંગ્રેસે ગાબડું પાડ્યું
70 વર્ષથી ભાજપનો જે ગઢ હતો, ત્યાં કોંગ્રેસે ગાબડું પાડ્યું
બારડોલી તાલુકા પંચાયતમાં કોંગ્રેસ, AAPના સુપડા સાફ...
બારડોલી તાલુકા પંચાયતમાં કોંગ્રેસ, AAPના સુપડા સાફ...
જૂનાગઢમાં અપક્ષ તરીકે કોંગ્રેસને સાફ કરીને ધુરંધર તરીકે ઉભર્યું AAP
જૂનાગઢમાં અપક્ષ તરીકે કોંગ્રેસને સાફ કરીને ધુરંધર તરીકે ઉભર્યું AAP
અમદાવાદ મનપામાં બપોર સુધીમાં 22 વોર્ડમાં ભાજપની ક્લિન સ્વિપ
અમદાવાદ મનપામાં બપોર સુધીમાં 22 વોર્ડમાં ભાજપની ક્લિન સ્વિપ
ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના બહેન નયનાબા જાડેજાની હાર
ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના બહેન નયનાબા જાડેજાની હાર
Breaking News: જૂનાગઢ તાલુકા પંચાયતમાં ભાજપ-AAP વચ્ચે ટાઈ
Breaking News: જૂનાગઢ તાલુકા પંચાયતમાં ભાજપ-AAP વચ્ચે ટાઈ
g clip-path="url(#clip0_868_265)">