અમે 2025 સુધીમાં દેશને ટીબી મુક્ત બનાવવા માંગીએ છીએ: મનસુખ માંડવિયા

રાજ્યસભાના અધ્યક્ષ એમ. વેંકૈયા નાયડુએ જણાવ્યું કે જો સ્થાનિક, કેન્દ્ર અને રાજ્ય સ્તરે રહેલી તમામ સરકારો, સાંસદો અને અધિકારીઓ સાથે મળીને તેને જન આંદોલન બનાવે તો 2025 સુધીમાં ટીબીને નાબૂદ કરવું અઘરું નહીં હોય.

અમે 2025 સુધીમાં દેશને ટીબી મુક્ત બનાવવા માંગીએ છીએ: મનસુખ માંડવિયા
Union Health Minister Mansukh Mandaviya
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 09, 2021 | 8:55 PM

કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ (Union Health Minister Mansukh Mandaviya) કહ્યું કે અમે આ દેશને 2025 સુધીમાં ટીબી મુક્ત બનાવવા માંગીએ છીએ. આપણે ક્યારેય સ્વાસ્થ્યને વિકાસ સાથે જોડ્યું નથી. પીએમ મોદીના નેતૃત્વમાં આરોગ્યની વ્યાખ્યા વ્યાપક બની રહી છે. આવનારા દિવસોમાં ભારત આરોગ્ય ક્ષેત્રને વધુ મજબુત બનાવવાનું લક્ષ્ય પ્રાપ્ત કરશે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

તે જ સમયે, રાજ્યસભાના અધ્યક્ષ એમ. વેંકૈયા નાયડુએ જણાવ્યું કે જો સ્થાનિક, કેન્દ્ર અને રાજ્ય સ્તરે રહેલી તમામ સરકારો, સાંસદો અને અધિકારીઓ સાથે મળીને તેને જન આંદોલન બનાવે તો 2025 સુધીમાં ટીબીને નાબૂદ કરવું અઘરું નહીં હોય. તેમને વધુમાં કહ્યું કે સરેરાશ આયુષ્ય વધીને 69.4 વર્ષ થઈ ગયું છે. જે 1950માં 35 વર્ષ હતું. અગાઉ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ કહ્યું હતું કે ભારતમાં કોઈપણ પ્રકારના સંક્રમિત રોગમાં ટી.બીની અસર સૌથી વધારે છે અને તેનાથી સંક્રમિત સૌથી વધુ ગરીબો જ બને છે. તેથી ટીબીને નાબૂદ કરવા માટે લેવાયેલા દરેક પગલાં ગરીબોના જીવન સાથે જોડાયેલા છે.

ટીબી સામે વિજય મેળવવા સામૂહિક પ્રયત્નો જરૂરી

મનસુખ માંડવિયાએ ગયા સપ્તાહે લોકસભામાં કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા આપેલા ડેટા મુજબ જણાવ્યું હતું કે ભારતમાં જાન્યુઆરીથી 18 લાખ ટીબીના કેસ નોંધાયા છે, જે એક વર્ષ પહેલા ડિસેમ્બર 2020માં નોંધાયેલા 24 લાખ કેસની તુલનાએ ઘણા ઓછા છે. તે જ સમયે રાજ્યસભાના ચેરમેન એમ વેંકૈયા નાયડુએ ઉમેર્યું હતું કે ટીબી સામે જીતવા માટે દેશને સામૂહિક પ્રયત્નો કરવાની જરૂર છે.

ટીબીના કેસોમાં નોંધાયો 25 ટકાનો ઘટાડો

અગાઉના વર્ષની સરખામણીએ 2020માં ટીબીના કેસોની સંખ્યામાં આશરે 25 ટકાનો ઘટાડો થયો છે, જે નિષ્ણાતો માને છે કે મુખ્યત્વે કોરોના વાયરસ સંબંધિત લોકડાઉન અને અન્ય પ્રતિબંધોને કારણે છે. ઉલ્લેખનીય છે કે ભારતનો પ્રથમ કોવિડ -19 કેસ 2020માં જાન્યુઆરીના અંતમાં નોંધાયો હતો, તે વર્ષે માર્ચમાં  વાયરસના સંક્રમણને રોકવા માટે 24 માર્ચે લોકડાઉન લાદવામાં આવ્યું હતું.

ટીબીથી ફેલાઈ શકે છે સંક્રમણ

ડાયરેક્ટ ઓબ્ઝર્વ્ડ થેરાપી (DOT)એ ટીબી પ્રોગ્રામનો મુખ્ય આધાર છે, જેમાં આરોગ્ય કેન્દ્રમાં દર્દીને આરોગ્ય કર્મચારીની દેખરેખ હેઠળ દવાઓ આપવામાં આવે છે. જો કે મહામારી દરમિયાન દર્દીઓની સારવાર અટકે નહીં તે માટે તેઓને એક મહિનાની દવાઓ સાથે આપવામાં આવી હતી અને જરૂરી માર્ગદર્શન મળી રહે તે માટે ટેલિકન્સલ્ટેશન પણ ઉપલબ્ધ કરાવવામાં આવ્યું હતું. નિષ્ણાતોને ડર છે કે ટીબીના અજાણ્યા કેસો દ્વારા સંક્રમણ ફેલાઈ શકે છે.

આ પણ વાંચો : જમ્મુ-કાશ્મીરમાં BJP નેતા અને તેની પત્ની પર આતંકવાદી હુમલો, બંનેનું હોસ્પિટલમાં મોત

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">