AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Manipur violence: મણિપુરમાં ફરી ભડકી હિંસા, આતંકવાદી જૂથો સાથેની અથડામણમાં એક કમાન્ડો શહીદ, પાંચ ઘાયલ

મણિપુર રાજ્ય પોલીસ કમાન્ડોને માહિતી મળી હતી કે કેટલાક આતંકવાદી જૂથો પહાડી વિસ્તારમાં છુપાયેલા છે. જે બાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી તો બદમાશોએ તેમના પર ગોળીબાર કર્યો હતો.

Manipur violence: મણિપુરમાં ફરી ભડકી હિંસા, આતંકવાદી જૂથો સાથેની અથડામણમાં એક કમાન્ડો શહીદ, પાંચ ઘાયલ
ફાઈલ ફોટોImage Credit source: Google
TV9 Gujarati
| Edited By: | Updated on: May 11, 2023 | 11:17 PM
Share

મણિપુરના ત્રોંગલાબી બિષ્ણુપુર જિલ્લામાં ગુરુવારે સુરક્ષા દળો અને શંકાસ્પદ કુકી આતંકવાદીઓ વચ્ચે અથડામણ સામે આવી છે. આ હિંસામાં હિરેન નામના પોલીસ કમાન્ડો શહીદ થયો છે, જ્યારે પાંચ લોકો ઘાયલ થયા છે. આ ઘટના ઈમ્ફાલના પુખોન વિસ્તારમાં બની હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર આ ઘટના પાછળ ઉગ્રવાદી જૂથોની સંડોવણી હોવાની આશંકા છે. આ ઘટના સવારે 10 વાગ્યાની આસપાસની જણાવવામાં આવી રહી છે.

આ પણ વાંચો: Manipur Violence: 60ના મોત, 231 ઘાયલ, 1700 ઘર સળગ્યા, હિંસા બાદ મુખ્યમંત્રીએ શાંતિની અપીલ કરી

માહિતી અનુસાર, મણિપુર પોલીસને માહિતી મળી હતી કે પર્વતીય વિસ્તારમાં કેટલાક આતંકવાદીઓ છુપાયેલા છે. જે બાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી, તેઓએ પોલીસ પર ફાયરિંગ કર્યું હતું. મણિપુર પોલીસે હુમલાખોરોને પકડવા માટે વધારાના દળોને વિસ્તારમાં મોકલ્યા છે. મણિપુરમાં સુરક્ષા દળોને નિશાન બનાવવાની આ બીજી ઘટના છે. બુધવારે અર્ધલશ્કરી દળના એક સ્તંભ પર ગોળીબાર કરતા આસામ રાઇફલ્સનો એક જવાન ઘાયલ થયા બાદ આ હુમલો થયો છે.

3 મેથી હિંસાની આગમાં સળગી રહ્યું છે મણિપુર

આ ઘટનામાં ઘાયલ થયેલા જવાનોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યારે બદમાશો સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા. તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે મણિપુર 3 મેથી હિંસાની આગમાં સળગી રહ્યું છે. રાજ્ય સરકારના આંકડા મુજબ આ હિંસામાં અત્યાર સુધીમાં 60 લોકોના મોત થયા છે. તે જ સમયે, વિવાદ વધતા જોતા સરકારે શહેરમાં કર્ફ્યુની જાહેરાત કરી હતી.

100 રૂપિયામાં મળતા પેટ્રોલની કિંમત 300 રૂપિયા સુધી પહોંચી ગઈ

આ દરમિયાન એક મોટા સમાચાર સામે આવ્યા છે. મળતી માહિતી મુજબ, હિંસાને કારણે જીવનજરૂરી ચીજવસ્તુઓના ભાવમાં ભારે વધારો જોવા મળી રહ્યો છે. થોડા દિવસો પહેલા સુધી 100 રૂપિયામાં મળતા પેટ્રોલની કિંમત 300 રૂપિયા સુધી પહોંચી ગઈ છે. શાકભાજીના ભાવમાં પણ આટલો જ વધારો જોવા મળી રહ્યો છે. દરમિયાન, મણિપુર પેટ્રોલિયમ ડીલર્સ એસોસિએશને સરકાર પાસેથી ડીલમાં થોડી છૂટ આપવાની માંગ કરી છે.

મણિપુરમાં ફાટી નીકળેલી હિંસા દરમિયાન મુખ્યમંત્રી એન. બિરેન સિંહે રાજ્યના લોકોને શાંતિ જાળવવા અપીલ કરી હતી. જણાવી દઈએ કે મણિપુરમાં વંશીય હિંસાને કારણે અત્યાર સુધીમાં 60થી વધુ લોકોના મોત થયા છે. બિરેન સિંહે કહ્યું છે કે હિંસામાં અત્યાર સુધીમાં લગભગ 60 નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા છે. આ હિંસામાં અત્યાર સુધીમાં 231 લોકો ઘાયલ થયા છે અને 3 મેના રોજ ફાટી નીકળેલી આ હિંસામાં 1700 ઘરો બળી ગયા છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

દેશના તમામ સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

બાલાસિનોર પંથકમાંથી ઝડપાયો 2.37 કરોડનો ગાંજો, 1ની ધરપકડ
બાલાસિનોર પંથકમાંથી ઝડપાયો 2.37 કરોડનો ગાંજો, 1ની ધરપકડ
ભરૂચમાં બાઈક અને રિક્ષા વચ્ચે અકસ્માતમાં મહિલાનું મોત
ભરૂચમાં બાઈક અને રિક્ષા વચ્ચે અકસ્માતમાં મહિલાનું મોત
વલસાડમાં ઔરંગા નદી પર નવ નિર્મિત બ્રિજનો સ્લેબ ધરાશાયી, 4 મજૂરો દબાયા
વલસાડમાં ઔરંગા નદી પર નવ નિર્મિત બ્રિજનો સ્લેબ ધરાશાયી, 4 મજૂરો દબાયા
અનેક વિસ્તારોમાં હાડ થીજવતી ઠંડીની કરી આગાહી
અનેક વિસ્તારોમાં હાડ થીજવતી ઠંડીની કરી આગાહી
કઈ રાશિના જાતકોને અચાનક ધનલાભ અને કોને સાવધાની રાખવી જરૂરી, જુઓ Video
કઈ રાશિના જાતકોને અચાનક ધનલાભ અને કોને સાવધાની રાખવી જરૂરી, જુઓ Video
મોલના ચેન્જિંગ રૂમમાં રહેલા અરીસાની પાછળ ક્યાંક હિડન કેમેરા તો નથીને?
મોલના ચેન્જિંગ રૂમમાં રહેલા અરીસાની પાછળ ક્યાંક હિડન કેમેરા તો નથીને?
અરૂણાચલ પ્રદેશના યુવકને ગમી ગયુ આ ગુજરાતી ગીત- જુઓ Video
અરૂણાચલ પ્રદેશના યુવકને ગમી ગયુ આ ગુજરાતી ગીત- જુઓ Video
સ્માર્ટ સિટીના દાવાઓ સામે બ્રિજોની સ્થિતિ ગંભીર - જુઓ Video
સ્માર્ટ સિટીના દાવાઓ સામે બ્રિજોની સ્થિતિ ગંભીર - જુઓ Video
સુભાષ પછી હવે સરદાર બ્રિજમાં ગાબડાં, તંત્ર કઈ દુર્ઘટનાની રાહ જુએ છે?
સુભાષ પછી હવે સરદાર બ્રિજમાં ગાબડાં, તંત્ર કઈ દુર્ઘટનાની રાહ જુએ છે?
રાજ ટેક્સટાઇલ માર્કેટમાં લાગેલી આગ કાબૂમાં, કરોડોના માલને નુકસાન
રાજ ટેક્સટાઇલ માર્કેટમાં લાગેલી આગ કાબૂમાં, કરોડોના માલને નુકસાન
g clip-path="url(#clip0_868_265)">