AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Uttar Pradesh: યોગી આદિત્યનાથ રવિવારે સાંજે મળશે PM મોદીને, ઉતરપ્રદેશના પ્રધાનમંડળને અપાશે આકાર

ઉતરપ્રદેશ ચૂંટણીમાં ભવ્ય જીત બાદ સીએમ યોગી દિલ્હી જવાના હતા. પરંતુ વડાપ્રધાન અને ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે હતા. જેના કારણે યોગી આદિત્યનાથ અને ભાજપના નેતાઓની મુલાકાત બે દિવસ માટે મુલતવી રાખવામાં આવી હતી.

Uttar Pradesh: યોગી આદિત્યનાથ રવિવારે સાંજે મળશે PM મોદીને, ઉતરપ્રદેશના પ્રધાનમંડળને અપાશે આકાર
PM Narendra Modi and CM Yogi Adityanath (file photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 13, 2022 | 12:21 PM
Share

ઉત્તર પ્રદેશના (Uttar Pradesh) કાર્યકારી મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, આજે સાંજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવા માટે દિલ્હીમાં છે. સીએમ યોગી આદિત્યનાથ (CM Yogi Adityanath) હિંડન એરપોર્ટ પર ઉતર્યા બાદ, બીએમ સંતોષને મળશે. આ પછી યોગી આદિત્યનાથ ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુને બપોરે 3 વાગ્યે અને બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડાને સાંજે 6 વાગ્યે મળશે. સાંજે 5 વાગ્યે, સીએમ યોગી વડા પ્રધાનના આવાસ પર પહોંચશે અને પીએમ નરેન્દ્ર મોદીને (PM Narendra Modi) મળશે. યોગી પીએમને મળ્યા બાદ રાત્રે 8 વાગે રક્ષા મંત્રી રાજનાથ સિંહને પણ મળશે.

ઉતરપ્રદેશના કાર્યકારી સીએમ યોગી અને તેમની ટીમ, રાધા મોહન સિંહ, ધર્મેન્દ્ર પ્રધાન, બીએલ સંતોષ અને પાર્ટીના અન્ય વરિષ્ઠ નેતાઓને મળશે. હાલ પૂરતું, આજે યોગી આદિત્યનાથ નવા કેબિનેટની સાથે રાજ્યમાં કરાયેલી જાહેરાતોને લાગુ કરવા માટે કેન્દ્રીય નેતૃત્વ સાથે ચર્ચા કરશે. માનવામાં આવે છે કે આજે બીજેપી હાઈકમાન્ડ યોગી કેબિનેટની બ્લુ પ્રિન્ટ તૈયાર કરી શકે છે. આ પછી, રાજ્યમાં હોળી પછી કોઈપણ દિવસે શપથ ગ્રહણ થઈ શકે છે. સાથે જ યોગી કેબિનેટના સંભવિત મંત્રીઓના નામ પર પણ ચર્ચા થશે અને પાર્ટી તેના પર મહોર લગાવશે.

હાલમાં, નામોને લઈને સસ્પેન્સ છે અને શપથગ્રહણના દિવસે જ તેના પર નામ જાહેર થઈ શકે છે. પરંતુ માનવામાં આવે છે કે ભાજપ આ વખતે જ્ઞાતિ સમીકરણોને ધ્યાનમાં રાખીને મંત્રીમંડળનું વિસ્તરણ કરશે. આ વખતે તમામ મુશ્કેલીઓ છતાં પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં ભાજપને બહુ નુકસાન થયું નથી. તેથી માનવામાં આવે છે કે આ વખતે યોગી કેબિનેટમાં પશ્ચિમનો હિસ્સો ગત વખતની જેમ જ યથાવત રહેશે.

કેન્દ્રીય નિરીક્ષકોની નિમણૂંક કરવામાં આવશે

જો કે યોગી આદિત્યનાથ રાજ્યમાં સીએમ બનવાના છે. પરંતુ એક પ્રક્રિયા હેઠળ ભાજપ ધારાસભ્યોના અભિપ્રાય લેવા માટે નિરીક્ષકોની નિમણૂક કરશે. ટોચના નેતૃત્વ અને રાષ્ટ્રીય પદાધિકારીઓની બેઠક યોજાશે. આ પછી લખનૌમાં નિરીક્ષકોની બેઠક બાદ મુખ્યમંત્રીના નામ પર મહોર લાગશે અને નિરીક્ષકોની ટીમ દિલ્હીમાં હાઈકમાન્ડને પોતાનો રિપોર્ટ આપશે.

પીએમ મોદીની ગુજરાત મુલાકાતને કારણે દિલ્હી પ્રવાસ મોકુફ રખાયો

હકીકતમાં ઉતરપ્રદેશમાં ચૂંટણીમાં ભવ્ય જીત બાદ સીએમ યોગી દિલ્હી જવાના હતા. પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહના ગુજરાત પ્રવાસે હતા. જેના કારણે યોગી આદિત્યનાથ અને ભાજપના નેતાઓની મુલાકાત બે દિવસ માટે સ્થગિત કરવામાં આવી હતી. પીએમ મોદી શનિવારે સાંજે દિલ્હી પરત ફર્યા હતા. તો અમિત શાહ મોટાભાગે રવિવારે સાંજે દિલ્લી પરત ફરશે.

આ પણ વાંચોઃ

વડાપ્રધાન મોદીએ તમામ મંત્રાલયો પાસે માંગ્યુ સોશિયલ વેલફેર સ્કીમોનું લિસ્ટ, દેશભરમાં કરવામાં આવશે પ્રચાર

આ પણ વાંચોઃ

CWCની મીટિંગ પહેલા આજે સોનિયા ગાંધીએ બોલાવી CPPની બેઠક, ચૂંટણીમાં થયેલી હાર અને પાર્ટીની રણનીતિ અંગે થઈ શકે છે ચર્ચા

Follow Us
ETP પ્લાન્ટની ટેંક ચેમ્બરની સફાઈ દરમિયાન 4ના મોત, જુઓ Video
ETP પ્લાન્ટની ટેંક ચેમ્બરની સફાઈ દરમિયાન 4ના મોત, જુઓ Video
અખબારમાં સમોસા-વડાપાવ પેક કર્યા તો દુકાનદારે જવું પડશે જેલ
અખબારમાં સમોસા-વડાપાવ પેક કર્યા તો દુકાનદારે જવું પડશે જેલ
નવસારી: 8 કરોડ ખર્ચાયા છતાં 18 તળાવ ઇન્ટરલિંક પ્રોજેક્ટ 6 વર્ષથી અધ્ધર
નવસારી: 8 કરોડ ખર્ચાયા છતાં 18 તળાવ ઇન્ટરલિંક પ્રોજેક્ટ 6 વર્ષથી અધ્ધર
સ્વચ્છ ભારત મિશનની ઇ-રિક્ષાઓ ધૂળ ખાય છે, ભ્રષ્ટાચારના આક્ષેપ
સ્વચ્છ ભારત મિશનની ઇ-રિક્ષાઓ ધૂળ ખાય છે, ભ્રષ્ટાચારના આક્ષેપ
હળવદના ચરાડવા પાસે કાર અકસ્માત, 7માંથી 5ના મોત અને 2 લોકોને ગંભીર ઈજા!
હળવદના ચરાડવા પાસે કાર અકસ્માત, 7માંથી 5ના મોત અને 2 લોકોને ગંભીર ઈજા!
એક તરફ વાયરસનો કહેર, બીજી તરફ બેદરકારીથી ગર્ભવતી સિંહણનું મોત !
એક તરફ વાયરસનો કહેર, બીજી તરફ બેદરકારીથી ગર્ભવતી સિંહણનું મોત !
આસારામ આશ્રમની આસપાસની જગ્યામાં ડિમોલિશન શરૂ, જુઓ Video
આસારામ આશ્રમની આસપાસની જગ્યામાં ડિમોલિશન શરૂ, જુઓ Video
ઠગ બંટી-બબલીએ 15 લોકો પાસેથી 20 કરોડથી વધુની છેતરપિંડી કરી
ઠગ બંટી-બબલીએ 15 લોકો પાસેથી 20 કરોડથી વધુની છેતરપિંડી કરી
પરિવારમાં બધાની વાતોને ધ્યાનથી સાંભળો, મિત્રોને સહયોગી બનતા જોશો
પરિવારમાં બધાની વાતોને ધ્યાનથી સાંભળો, મિત્રોને સહયોગી બનતા જોશો
જામનગરના વોટર પાર્કમાં 7 વર્ષના બાળકનું ડૂબી જવાથી મોત
જામનગરના વોટર પાર્કમાં 7 વર્ષના બાળકનું ડૂબી જવાથી મોત
g clip-path="url(#clip0_868_265)">