AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

વડાપ્રધાન મોદીએ તમામ મંત્રાલયો પાસે માંગ્યુ સોશિયલ વેલફેર સ્કીમોનું લિસ્ટ, દેશભરમાં કરવામાં આવશે પ્રચાર

પીએમઓએ તમામ સંબંધિત મંત્રાલયો પાસેથી ડેટા માંગ્યો છે કે દેશભરમાં કેટલી સામાજિક યોજનાઓ ચાલી રહી છે, કેટલા લોકોને તેનો લાભ મળ્યો છે અને તેના માટે કેટલું બજેટ ફાળવવામાં આવ્યું છે.

વડાપ્રધાન મોદીએ તમામ મંત્રાલયો પાસે માંગ્યુ સોશિયલ વેલફેર સ્કીમોનું લિસ્ટ, દેશભરમાં કરવામાં આવશે પ્રચાર
File Image
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 13, 2022 | 10:17 AM
Share

ઉત્તર પ્રદેશ સહિત 4 રાજ્યોની વિધાનસભા ચૂંટણી (Assembly Elections 2022)માં ભારતીય જનતા પાર્ટી (BJP)એ મોટી જીત મેળવી છે. પાર્ટી સારી રીતે જાણે છે કે જે લોકોએ સમાજ કલ્યાણ યોજનાઓનો (Social Welfare Scheme) લાભ લીધો છે તેઓએ આ વખતે તેમને સમર્થન આપ્યું છે. આ જ કારણ છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેન્દ્રીય મંત્રાલયોને અનુસૂચિત જાતિ અને જનજાતિ, યુવાનો અને મહિલાઓના સંદર્ભમાં છેલ્લા સાડા સાત વર્ષમાં સરકારની સિદ્ધીઓની યાદી તૈયાર કરવાનો આદેશ આપ્યો છે. આ સિદ્ધિઓના અભ્યાસ માટે મંત્રીઓનું એક જૂથ બનાવવામાં આવશે.

એક અહેવાલ અનુસાર પીએમઓએ તમામ સંબંધિત મંત્રાલયો પાસેથી ડેટા માંગ્યો છે કે દેશભરમાં કેટલી સામાજિક યોજનાઓ ચાલી રહી છે, કેટલા લોકોને તેનો લાભ મળ્યો છે અને તેના માટે કેટલું બજેટ ફાળવવામાં આવ્યું છે. કેન્દ્ર સરકારની યોજના સમગ્ર દેશમાં તેનો પ્રચાર કરવાની છે. આ સિવાય સરકારે તે તમામ યોજનાઓ વિશેની યોજનાઓ પણ માંગી છે, જેને શરૂ કરવાની યોજના છે.

9 માર્ચે વડાપ્રધાને કરી આ નવી યોજના વિશે વાત

નામ ન આપવાની શરતે એક અધિકારીએ જણાવ્યું હતું કે 9 માર્ચે ભાજપની કેબિનેટની બેઠકમાં વડાપ્રધાને નવી યોજના વિશે વાત કરી હતી અને ઉપસ્થિત મંત્રીઓને કહ્યું હતું કે તેમના મંત્રાલયો સમાજના વંચિત વર્ગો માટે કામ કરી રહ્યા છે અને તેમના વાર્ષિક બજેટનો નોંધપાત્ર ભાગ આ વિભાગો માટે ખર્ચવામાં આવ્યો હતો, તેથી તેઓએ તેમની સિદ્ધિઓ એકત્રિત કરવી પડશે અને તેમને નોડલ મંત્રાલયોને મોકલવી પડશે. સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય અનુસૂચિત જાતિના કલ્યાણ માટે નોડલ મંત્રાલય છે, જ્યારે આદિજાતિ બાબતોનું મંત્રાલય અનુસૂચિત જનજાતિને લગતી બાબતો સાથે કામ કરે છે. આ સિવાય મહિલા, બાળ વિકાસ, યુવા અને રમતગમત બાબતો માટે અલગ મંત્રાલયો છે.

જનતા માટે અનેક પ્રકારની યોજનાઓ લાવી છે કેન્દ્ર સરકાર

વડાપ્રધાન મોદીએ ભાર મૂક્યો હતો કે તમામ મંત્રાલયો આ વર્ગોના કલ્યાણમાં યોગદાન આપે. ઉદાહરણ તરીકે વંચિતોને સબસિડીવાળા એલપીજી સિલિન્ડર આપવા માટેની ઉજ્જવલા યોજનાનું સંચાલન પેટ્રોલિયમ મંત્રાલય દ્વારા કરવામાં આવે છે અને મહિલાઓ અને ગરીબ પરિવારોને ફાયદો થાય છે. અન્ય કેટલાક મંત્રાલયો તેમના બજેટનો મોટો હિસ્સો લોકોની જરૂરિયાતોને પહોંચી વળવા માટે વાપરે છે, પછી ભલે તે ગ્રામીણ રોજગાર ગેરંટી યોજના હેઠળ રોજગાર આપવાનું હોય કે નાણાકીય સમાવેશ માટે જન ધન બેંક એકાઉન્ટ બનાવવાનું હોય.

આ પણ વાંચો: Congo Train Accident: આફ્રિકન દેશ કોંગોમાં ભીષણ ટ્રેન દુર્ઘટના, 60થી વધુ લોકોના મોત, 100થી વધુ ઈજાગ્રસ્ત

આ પણ વાંચો: ગુજરાતમાં માર્ચ મહિનામાં જ ગરમીનો પારો 40 ડીગ્રીને વટાવશે, હવામાન વિભાગે હીટવેવની કરી આગાહી

સાંસદ ગેનીબેન ઠાકોરે ગળામાં બટાટાનો હાર પહેરી કલેક્ટર કચેરી પહોંચ્યા
સાંસદ ગેનીબેન ઠાકોરે ગળામાં બટાટાનો હાર પહેરી કલેક્ટર કચેરી પહોંચ્યા
મોદી સરકારે ગિફ્ટ સિટીથી શાહપુર સુધીના મેટ્રોના વિસ્તરણને આપી મંજૂરી
મોદી સરકારે ગિફ્ટ સિટીથી શાહપુર સુધીના મેટ્રોના વિસ્તરણને આપી મંજૂરી
જામીન મળ્યા બાદ ભવનાથ પોલીસ સ્ટેશનમાં હાજર થઈ કીર્તિ પટેલ
જામીન મળ્યા બાદ ભવનાથ પોલીસ સ્ટેશનમાં હાજર થઈ કીર્તિ પટેલ
કપાસ પકવતા ખેડૂતો માટે માઠા સમાચાર: CCI ખરીદી બંધ કરશે
કપાસ પકવતા ખેડૂતો માટે માઠા સમાચાર: CCI ખરીદી બંધ કરશે
દેલાડ તળાવમાં કરોડોનું બજેટ પણ કામગીરી 'થર્ડ ક્લાસ'
દેલાડ તળાવમાં કરોડોનું બજેટ પણ કામગીરી 'થર્ડ ક્લાસ'
અસામાજીક તત્વો-હિસ્ટ્રીશિટરના ધીકતા ધંધા પર ફરી વળ્યું બુલડોઝર
અસામાજીક તત્વો-હિસ્ટ્રીશિટરના ધીકતા ધંધા પર ફરી વળ્યું બુલડોઝર
Breaking News: હિસ્ટ્રીશીટરોના ભવ્ય બંગલાઓ જમીનદોસ્ત
Breaking News: હિસ્ટ્રીશીટરોના ભવ્ય બંગલાઓ જમીનદોસ્ત
નકલી પનીર ,ધી નહી પરંતુ નોટ છાપવાનું રેકેટ ઝડપાયું
નકલી પનીર ,ધી નહી પરંતુ નોટ છાપવાનું રેકેટ ઝડપાયું
આરોપીઓની કોલ ડીટેલના આધારે તપાસ શરૂ
આરોપીઓની કોલ ડીટેલના આધારે તપાસ શરૂ
બહાર ભોજન કરતાં પહેલા સાવધાન! થાળીમાં નકલી પનીર પીરસી આરોગ્ય સાથે ખેલ
બહાર ભોજન કરતાં પહેલા સાવધાન! થાળીમાં નકલી પનીર પીરસી આરોગ્ય સાથે ખેલ
g clip-path="url(#clip0_868_265)">