UP : કૈરાનાની ફટાકડા ફેક્ટરીમાં વિસ્ફોટ, 4 કામદારોના મોત અને 12 ઘાયલ, ઘણા લોકો કાટમાળ નીચે ફસાયા હોવાની આશંકા

TV9 GUJARATI

|

Updated on: Oct 01, 2021 | 10:25 PM

કૈરાનામાં ગેરકાયદેસર રીતે ફેક્ટરી ચલાવવામાં આવી રહી હતી. આજે ફેક્ટરીમાં એટલો જોરદાર વિસ્ફોટ થયો હતો કે આ ઘટનામાં આખું કારખાનું નાશ પામ્યું હતું.

UP : કૈરાનાની ફટાકડા ફેક્ટરીમાં વિસ્ફોટ, 4 કામદારોના મોત અને 12 ઘાયલ, ઘણા લોકો કાટમાળ નીચે ફસાયા હોવાની આશંકા
Firecrackers Factory Blast

Follow us on

ઉત્તર પ્રદેશના શામલીમાં કૈરાના ફટાકડા ફેક્ટરીમાં ભીષણ વિસ્ફોટ (Firecrackers Factory Blast) થયો છે. આ વિસ્ફોટમાં ચાર લોકોના મોત થયા છે. એક ડઝનથી વધુ લોકો ઘાયલ થયા હોવાનું કહેવાય છે. તમામ ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

સમાચાર અનુસાર, આ વિસ્ફોટ સાંજે 4.45 વાગ્યાની આસપાસ ફટાકડા ફેક્ટરીમાં થયો હતો. વિસ્ફોટ એટલો ભયંકર હતો કે ત્યાં હાજર ચાર લોકો ઉડી ગયા (4 Dead 12 Injured). ત્યાં હાજર ઘણા લોકો તેમાં ફસાઈ ગયા. ઘટનાસ્થળે રાહત અને બચાવ કાર્ય ચાલુ છે.

કહેવામાં આવી રહ્યું છે કે કૈરાનામાં ગેરકાયદેસર રીતે ફેક્ટરી (Kairana Illegal Factory) ચલાવવામાં આવી રહી હતી. આજે ફેક્ટરીમાં એટલો જોરદાર વિસ્ફોટ થયો હતો કે આ ઘટનામાં આખું કારખાનું નાશ પામ્યું હતું. હજુ પણ ઘણા લોકો કાટમાળ નીચે ફસાયેલા હોવાની આશંકા છે. ઘાયલોને હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે. કાટમાળ નીચે ફસાયેલા લોકોની શોધખોળ ચાલુ છે.

પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ રાહત કાર્ય કરી રહી છે

ફટાકડાની ફેક્ટરીમાં થયેલા વિસ્ફોટથી આ વિસ્તારમાં હલચલ મચી ગઈ હતી. પોલીસ દળ પણ ઘટના સ્થળે પહોંચી ગયું હતું. પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમો રાહત અને બચાવ કાર્યમાં લાગેલી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે કૈરાનાના જંગલમાં ગેરકાયદે ફટાકડાનું કારખાનું ચલાવવામાં આવી રહ્યું હતું. આજના વિસ્ફોટમાં ચાર લોકોના મોત થયા હતા. જ્યારે ચારની હાલત હજુ પણ ગંભીર છે. જંગલમાં ગેરકાયદેસર રીતે કેટલા સમયથી ફેક્ટરી ચલાવવામાં આવી રહી હતી તે અંગે કોઈ માહિતી નથી.

પોલીસ અને ફાયર બ્રિગેડ રાહત અને બચાવ કાર્યમાં સતત રોકાયેલા છે. હજુ કેટલા લોકો કાટમાળમાં ફસાયેલા છે તેની કોઈ માહિતી નથી. સાથે જ આ ફેક્ટરી કેટલા સમયથી ચાલી રહી હતી તે અંગેની માહિતી એકત્ર કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. બનાવથી વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. વિસ્ફોટ એટલો ભયંકર હતો કે ફેક્ટરી સંપૂર્ણપણે નાશ પામી હતી.

આ પણ વાંચો : Dubai Expo 2020: કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે દુબઈમાં એક્સ્પો 2020માં ભારતીય પેવેલિયનનું ઉદ્ઘાટન કર્યું, પીએમ મોદી બોલ્યા, ‘ભારત અવસરનો દેશ છે’

આ પણ વાંચો : ‘ખેડૂતો સાથે ફરી વાત કરો – કરતારપુર કોરિડોર ઝડપથી ખોલવો જોઈએ’, પીએમ મોદી સાથેની પ્રથમ બેઠકમાં પંજાબના સીએમ ચરણજીત સિંહ ચન્નીએ કરી માગ

Latest News Updates

Click on your DTH Provider to Add TV9 Gujarati