UP : કૈરાનાની ફટાકડા ફેક્ટરીમાં વિસ્ફોટ, 4 કામદારોના મોત અને 12 ઘાયલ, ઘણા લોકો કાટમાળ નીચે ફસાયા હોવાની આશંકા

કૈરાનામાં ગેરકાયદેસર રીતે ફેક્ટરી ચલાવવામાં આવી રહી હતી. આજે ફેક્ટરીમાં એટલો જોરદાર વિસ્ફોટ થયો હતો કે આ ઘટનામાં આખું કારખાનું નાશ પામ્યું હતું.

UP : કૈરાનાની ફટાકડા ફેક્ટરીમાં વિસ્ફોટ, 4 કામદારોના મોત અને 12 ઘાયલ, ઘણા લોકો કાટમાળ નીચે ફસાયા હોવાની આશંકા
Firecrackers Factory Blast
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 01, 2021 | 10:25 PM

ઉત્તર પ્રદેશના શામલીમાં કૈરાના ફટાકડા ફેક્ટરીમાં ભીષણ વિસ્ફોટ (Firecrackers Factory Blast) થયો છે. આ વિસ્ફોટમાં ચાર લોકોના મોત થયા છે. એક ડઝનથી વધુ લોકો ઘાયલ થયા હોવાનું કહેવાય છે. તમામ ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

સમાચાર અનુસાર, આ વિસ્ફોટ સાંજે 4.45 વાગ્યાની આસપાસ ફટાકડા ફેક્ટરીમાં થયો હતો. વિસ્ફોટ એટલો ભયંકર હતો કે ત્યાં હાજર ચાર લોકો ઉડી ગયા (4 Dead 12 Injured). ત્યાં હાજર ઘણા લોકો તેમાં ફસાઈ ગયા. ઘટનાસ્થળે રાહત અને બચાવ કાર્ય ચાલુ છે.

કહેવામાં આવી રહ્યું છે કે કૈરાનામાં ગેરકાયદેસર રીતે ફેક્ટરી (Kairana Illegal Factory) ચલાવવામાં આવી રહી હતી. આજે ફેક્ટરીમાં એટલો જોરદાર વિસ્ફોટ થયો હતો કે આ ઘટનામાં આખું કારખાનું નાશ પામ્યું હતું. હજુ પણ ઘણા લોકો કાટમાળ નીચે ફસાયેલા હોવાની આશંકા છે. ઘાયલોને હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે. કાટમાળ નીચે ફસાયેલા લોકોની શોધખોળ ચાલુ છે.

પ્રેમાનંદ મહારાજ વૃંદાવન કેમ છોડતા નથી? જણાવ્યું મોટું રહસ્ય
ગરમીમાં હાઈ બીપીના દર્દીઓએ ભૂલથી પણ ના ખાવી જોઈએ આ વસ્તુઓ, જાણો અહીં
કથાકાર જયા કિશોરી ગુસ્સે થાય ત્યારે શું કરે છે? જાતે ખોલ્યા રાઝ
એક નાની ઈલાયચીનું સેવન કરવાથી થશે અઢળક ફાયદા
ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?

પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ રાહત કાર્ય કરી રહી છે

ફટાકડાની ફેક્ટરીમાં થયેલા વિસ્ફોટથી આ વિસ્તારમાં હલચલ મચી ગઈ હતી. પોલીસ દળ પણ ઘટના સ્થળે પહોંચી ગયું હતું. પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમો રાહત અને બચાવ કાર્યમાં લાગેલી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે કૈરાનાના જંગલમાં ગેરકાયદે ફટાકડાનું કારખાનું ચલાવવામાં આવી રહ્યું હતું. આજના વિસ્ફોટમાં ચાર લોકોના મોત થયા હતા. જ્યારે ચારની હાલત હજુ પણ ગંભીર છે. જંગલમાં ગેરકાયદેસર રીતે કેટલા સમયથી ફેક્ટરી ચલાવવામાં આવી રહી હતી તે અંગે કોઈ માહિતી નથી.

પોલીસ અને ફાયર બ્રિગેડ રાહત અને બચાવ કાર્યમાં સતત રોકાયેલા છે. હજુ કેટલા લોકો કાટમાળમાં ફસાયેલા છે તેની કોઈ માહિતી નથી. સાથે જ આ ફેક્ટરી કેટલા સમયથી ચાલી રહી હતી તે અંગેની માહિતી એકત્ર કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. બનાવથી વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. વિસ્ફોટ એટલો ભયંકર હતો કે ફેક્ટરી સંપૂર્ણપણે નાશ પામી હતી.

આ પણ વાંચો : Dubai Expo 2020: કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે દુબઈમાં એક્સ્પો 2020માં ભારતીય પેવેલિયનનું ઉદ્ઘાટન કર્યું, પીએમ મોદી બોલ્યા, ‘ભારત અવસરનો દેશ છે’

આ પણ વાંચો : ‘ખેડૂતો સાથે ફરી વાત કરો – કરતારપુર કોરિડોર ઝડપથી ખોલવો જોઈએ’, પીએમ મોદી સાથેની પ્રથમ બેઠકમાં પંજાબના સીએમ ચરણજીત સિંહ ચન્નીએ કરી માગ

Latest News Updates

સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">