AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘ઉત્તર પ્રદેશ બની રહ્યું છે નવું જમ્મુ -કાશ્મીર’, લખીમપુરની ઘટના પર પૂર્વ મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાનું નિવેદન

નેશનલ કોન્ફરન્સના (National conference) નેતા અને જમ્મુ -કાશ્મીરના (Jammu Kashmir) પૂર્વ મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ (Omar Abdullah) સોમવારે લખીમપુર ખેરીમાં થયેલા વિવાદ પર પોતાની પ્રતિક્રિયા આપી છે.

'ઉત્તર પ્રદેશ બની રહ્યું છે નવું જમ્મુ -કાશ્મીર', લખીમપુરની ઘટના પર પૂર્વ મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાનું નિવેદન
Omar Abdullah
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 04, 2021 | 5:26 PM
Share

નેશનલ કોન્ફરન્સના (National conference) નેતા અને જમ્મુ -કાશ્મીરના (Jammu Kashmir) પૂર્વ મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ (Omar Abdullah) સોમવારે લખીમપુર ખેરીમાં થયેલા વિવાદ પર પોતાની પ્રતિક્રિયા આપી છે. તેમણે પોતાના એક ટ્વીટમાં ઉત્તર પ્રદેશને “નવું જમ્મુ અને કાશ્મીર” ગણાવ્યું છે.

યુપીના લખીમપુરમાં (UP Lakhimpur Violence) ખેડૂતો અને કેન્દ્રીય મંત્રીના પુત્ર વચ્ચે થયેલી અથડામણ બાદ હિંસક ઘટનામાં આઠ લોકોના મોતને કારણે રાજ્યભરમાં હંગામો ચાલુ છે. આ સમગ્ર કેસમાં ઉત્તર પ્રદેશ પોલીસે કેન્દ્રીય મંત્રી અજય મિશ્રાના પુત્ર આશિષ મિશ્રા સહિત 14 લોકો સામે હત્યા, ગુનાહિત કાવતરું અને બળવો સહિતની કલમો હેઠળ કેસ નોંધ્યો છે.

કોંગ્રેસના (Congress) નેતા રાહુલ ગાંધીએ (Rahul Gandhi) ઉત્તર પ્રદેશ સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે, પાર્ટીના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા, જેઓ લખીમપુર ખેરી જતા હતા ત્યારે કથિત રીતે ધરપકડ કરવામાં આવી હતી, તેઓ પાછા નહીં હટે અને ન્યાય માટે લડવાનું ચાલુ રાખશે. તેમણે ટ્વિટ કર્યું હતું કે, પ્રિયંકા, હું જાણું છું કે તમે પાછળ હટશો નહીં – તેઓ તમારી હિંમતથી ડરી ગયા છે. ન્યાય માટેની આ અહિંસક લડાઈમાં, અમે દેશના અન્નદાતાને જીતાડીશું. ”

કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી, છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ અને સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવ સહિત વિવિધ પક્ષોના ઘણા વિપક્ષી નેતાઓ પણ આજે લખીમપુર ખેરીની મુલાકાતે આવવાના છે. બઘેલનો આરોપ છે કે પ્રિયંકા ગાંધીની હરગાંવમાંથી ધરપકડ કરવામાં આવી છે. તેમણે કહ્યું કે ધરપકડ સમયે પ્રિયંકા ગાંધી પીડિત પરિવારોને મળવા માટે ઉત્તર પ્રદેશના લખીમપુર ખેરી જિલ્લા જઈ રહી હતી.

પ્રિયંકા ગાંધીની મુક્તિની માગ સાથે કોંગ્રેસે રાષ્ટ્રવ્યાપી આંદોલનની ચેતવણી આપી કોંગ્રેસે લખીમપુર હિંસા સામે દેશવ્યાપી આંદોલનની જાહેરાત કરી છે. કોંગ્રેસના નેતા રાજીવ શુક્લાએ કહ્યું કે કોંગ્રેસ પાર્ટી માગ કરે છે કે પ્રિયંકા ગાંધીને તાત્કાલિક મુક્ત કરવામાં આવે અને પીડિત પરિવારને મળવા દેવામાં આવે. કોંગ્રેસે યોગી સરકારને ગૃહ રાજ્યમંત્રીને હટાવવા અને તેમના પુત્રની ધરપકડ કરવાની માગ કરી હતી.

રાજીવ શુક્લાએ કહ્યું કે જે લોકો મૃત્યુ પામ્યા છે તેમની પણ તપાસ થવી જોઈએ. પાર્ટી નેતૃત્વ દ્વારા સૂચનાઓ જારી કરવામાં આવી છે, સમગ્ર દેશમાં ડીએમ કાર્યાલયનો ઘેરાવ કરવામાં આવશે. આખો દેશ ખેડૂતોની સાથે છે અને કોંગ્રેસ આ અંગે દેશવ્યાપી આંદોલન શરૂ કરશે. કોંગ્રેસના નેતા રાજીવ શુક્લાએ કહ્યું કે મુખ્યમંત્રીનું જહાજ પણ ઉતરતા અટકાવવામાં આવી રહ્યું છે. વિપક્ષી નેતાઓને જવા દેવાયા નથી. રાજીવ શુક્લાએ કહ્યું કે અમારી સરકાર પણ હતી, અમે તે લોકો સામે કાર્યવાહી કરવાને બદલે ક્યારેય કોઈ વિરોધને અટકાવ્યો નથી.

આ પણ વાંચો : Lakhimpur Violence : મૃતકોના પરિવારોને મળશે 45 લાખ રૂપિયા અને સરકારી નોકરી, યોગી સરકારે કરી જાહેરાત

આ પણ વાંચો : સુપ્રીમ કોર્ટે કોરોનાના કારણે જીવ ગુમાવનારાના પરિવારો માટે 50,000 રૂપિયાની વળતર યોજનાને આપી મંજૂરી, 30 દિવસમાં થશે ચુકવણી

જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
g clip-path="url(#clip0_868_265)">