AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Lakhimpur Violence : મૃતકોના પરિવારોને મળશે 45 લાખ રૂપિયા અને સરકારી નોકરી, યોગી સરકારે કરી જાહેરાત

સરકારે જાહેરાત કરી હતી કે મૃતકોના પરિવારજનોને 45-45 લાખ રૂપિયા આપવામાં આવશે. ઘાયલોને 10 લાખ આપવામાં આવશે. આ સિવાય મૃતકના આશ્રિતોને નોકરી આપવામાં આવશે.

Lakhimpur Violence : મૃતકોના પરિવારોને મળશે 45 લાખ રૂપિયા અને સરકારી નોકરી, યોગી સરકારે કરી જાહેરાત
Lakhimpur Violence
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 04, 2021 | 1:50 PM
Share

લખીમપુર હિંસાને (Lakhimpur Violence) લઈને ખેડૂતો અને વહીવટીતંત્ર વચ્ચે ચાલી રહેલી મંત્રણામાં બંને પક્ષો વચ્ચે સમાધાનના સમાચાર છે. વહીવટીતંત્રે ખેડૂતોની માગ માની લીધી છે. સરકારે જાહેરાત કરી કે લખીમપુર કેસમાં ખેડૂતો અને અધિકારીઓ વચ્ચે વાતચીત બાદ સમાધાન થઈ ગયું છે.

સરકારે જાહેરાત કરી હતી કે મૃતકોના પરિવારજનોને 45-45 લાખ રૂપિયા આપવામાં આવશે. ઘાયલોને 10 લાખ આપવામાં આવશે. આ સિવાય મૃતકના આશ્રિતોને નોકરી આપવામાં આવશે. એડીજી પ્રશાંત કુમારે 8 દિવસમાં ગુનેગારોની ધરપકડ કરવાની ખાતરી આપી છે. કોઈ દોષિતને છોડવામાં આવશે નહીં.

પ્રિયંકા ગાંધીની મુક્તિની માગ સાથે કોંગ્રેસે રાષ્ટ્રવ્યાપી આંદોલનની ચેતવણી આપી કોંગ્રેસે લખીમપુર હિંસા સામે દેશવ્યાપી આંદોલનની જાહેરાત કરી છે. કોંગ્રેસના નેતા રાજીવ શુક્લાએ કહ્યું કે કોંગ્રેસ પાર્ટી માગ કરે છે કે પ્રિયંકા ગાંધીને તાત્કાલિક મુક્ત કરવામાં આવે અને પીડિત પરિવારને મળવા દેવામાં આવે. કોંગ્રેસે યોગી સરકારને ગૃહ રાજ્યમંત્રીને હટાવવા અને તેમના પુત્રની ધરપકડ કરવાની માગ કરી હતી.

રાજીવ શુક્લાએ કહ્યું કે જે લોકો મૃત્યુ પામ્યા છે તેમની પણ તપાસ થવી જોઈએ. પાર્ટી નેતૃત્વ દ્વારા સૂચનાઓ જારી કરવામાં આવી છે, સમગ્ર દેશમાં ડીએમ કાર્યાલયનો ઘેરાવ કરવામાં આવશે. આખો દેશ ખેડૂતોની સાથે છે અને કોંગ્રેસ આ અંગે દેશવ્યાપી આંદોલન શરૂ કરશે. કોંગ્રેસના નેતા રાજીવ શુક્લાએ કહ્યું કે મુખ્યમંત્રીનું જહાજ પણ ઉતરતા અટકાવવામાં આવી રહ્યું છે. વિપક્ષી નેતાઓને જવા દેવાયા નથી. રાજીવ શુક્લાએ કહ્યું કે અમારી સરકાર પણ હતી, અમે તે લોકો સામે કાર્યવાહી કરવાને બદલે ક્યારેય કોઈ વિરોધને અટકાવ્યો નથી.

આ પહેલા કોંગ્રેસના (Congress) નેતા રાહુલ ગાંધીએ (Rahul Gandhi) ઉત્તર પ્રદેશ સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે, પાર્ટીના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા, જેઓ લખીમપુર ખેરી જતા હતા ત્યારે કથિત રીતે ધરપકડ કરવામાં આવી હતી, તેઓ પાછા નહીં હટે અને ન્યાય માટે લડવાનું ચાલુ રાખશે. તેમણે ટ્વિટ કર્યું હતું કે, પ્રિયંકા, હું જાણું છું કે તમે પાછળ હટશો નહીં – તેઓ તમારી હિંમતથી ડરી ગયા છે. ન્યાય માટેની આ અહિંસક લડાઈમાં, અમે દેશના અન્નદાતાને જીતાડીશું.”

આ પણ વાંચો : અટકાયત બાદ પ્રિયંકા ગાંધી સ્વચ્છતા અભિયાનમાં વ્યસ્ત ! કસ્ટડીમાં રાખેલા રૂમની કરી રહી છે સફાઈ, જુઓ Video

આ પણ વાંચો : Lakhimpur Violence: પંજાબના CM ચરણજીત સિંહ ચન્નીએ લખીમપુર જવા યુપી સરકાર પાસેથી માંગી પરવાનગી

25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
સુભાષબ્રિજ સંપૂર્ણ તોડી પાડવા કન્સલ્ટન્ટ એજન્સીઓએ કરી ભલામણ
સુભાષબ્રિજ સંપૂર્ણ તોડી પાડવા કન્સલ્ટન્ટ એજન્સીઓએ કરી ભલામણ
g clip-path="url(#clip0_868_265)">