AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

US Travel Advisory: અમેરિકાએ ભારત પ્રવાસ કરનારા તેના નાગરિકો માટે ટ્રાવેલ એડવાઈઝરી જારી કરી, જમ્મુ-કાશ્મીર ન જવા આપી સલાહ

યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે ભારત માટે તેની તાજેતરની ટ્રાવેલ એડવાઈઝરીમાં કહ્યું છે કે ગુના અને આતંકવાદ(Terrorism)ને કારણે ભારતમાં વધુ સાવચેત રહેવાની જરૂર છે. મંગળવારે, યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે ભારતને લેવલ 3 થી લેવલ 1 કેટેગરીમાં ખસેડ્યું.

US Travel Advisory: અમેરિકાએ ભારત પ્રવાસ કરનારા તેના નાગરિકો માટે ટ્રાવેલ એડવાઈઝરી જારી કરી, જમ્મુ-કાશ્મીર ન જવા આપી સલાહ
US issues travel advisory for its citizens
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 30, 2022 | 8:26 AM
Share

US Travel Advisory: અમેરિકાએ મંગળવારે એક નવી ટ્રાવેલ એડવાઈઝરી(Travel Advisory)માં તેના નાગરિકોને ભારતની મુસાફરી કરતી વખતે વધુ સાવચેત રહેવા વિનંતી કરી છે. આ સાથે જમ્મુ-કાશ્મીર અને ભારત-પાકિસ્તાન (India-Pakistan) સરહદના 10 કિલોમીટરની અંદર લોકોને મુસાફરી ન કરવાની સલાહ આપવામાં આવી છે. યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે ભારત માટે તેની તાજેતરની ટ્રાવેલ એડવાઈઝરીમાં કહ્યું છે કે ગુના અને આતંકવાદ(Terrorism)ને કારણે ભારતમાં વધુ સાવચેત રહેવાની જરૂર છે. મંગળવારે, યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે ભારતને લેવલ 3 થી લેવલ 1 કેટેગરીમાં ખસેડ્યું.

બંને એડવાઈઝરી ઈશારો કરી રહી છે કે અમેરિકાને લાગે છે કે ભારતમાં સ્થિતિ હવે સામાન્ય થઈ રહી છે. જો કે, જમ્મુ અને કાશ્મીર અને ભારત-પાકિસ્તાન સરહદ પર અમેરિકાનું વલણ એક જ છે, જ્યાં તે તેના નાગરિકોને મુસાફરી ન કરવા માટે કહી રહ્યું છે. ટ્રાવેલ એડવાઈઝરીમાં કહેવામાં આવ્યું છે કે કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદી હુમલા અને હિંસક નાગરિક અશાંતિ શક્ય છે. તેથી, આ કેન્દ્રશાસિત પ્રદેશની તમામ મુસાફરી ટાળો.

સ્ટેટ ડિપાર્ટમેન્ટે શું કહ્યું

સ્ટેટ ડિપાર્ટમેન્ટે કહ્યું કે ખાસ કરીને ભારત અને પાકિસ્તાનને અલગ કરતી લાઇન ઓફ કંટ્રોલ (એલઓસી) પર અને કાશ્મીર ખીણમાં શ્રીનગર, ગુલમર્ગ અને પહેલગામના પ્રવાસન સ્થળોએ છૂટાછવાયા હિંસા થઈ છે. ભારત સરકાર વિદેશી પર્યટકોને એલઓસીના અમુક વિસ્તારોની મુલાકાત લેવા પર પ્રતિબંધ મૂકે છે. ભારત અને પાકિસ્તાન સરહદની બંને બાજુએ મજબૂત લશ્કરી હાજરી જાળવી રાખે છે.

વિઝા અંગે એડવાઈઝરીમાં શું કહેવામાં આવ્યું હતું

ટ્રાવેલ એડવાઈઝરી આગળ જણાવે છે કે બોર્ડર ક્રોસિંગ સામાન્ય રીતે ખુલ્લું હોય છે, પરંતુ મુસાફરી શરૂ કરતા પહેલા બોર્ડર ક્રોસિંગની વર્તમાન સ્થિતિની ચકાસણી કરો. પાકિસ્તાનમાં પ્રવેશવા માટે પાકિસ્તાની વિઝા જરૂરી છે. ભારતમાં રહેતા અમેરિકી નાગરિકો જ ભારતમાં પાકિસ્તાની વિઝા માટે અરજી કરી શકે છે. અન્યથા ભારતની મુસાફરી કરતા પહેલા તમારા રહેઠાણના દેશમાં પાકિસ્તાની વિઝા માટે અરજી કરો.

આ પણ વાંચો-ઈઝરાયેલના બની બ્રાકી શહેરમાં ફાયરિંગ, પાંચ લોકોના મોત, પોલીસે હુમલાખોરને ઠાર માર્યો

આ પણ વાંચો-શ્રીનગરમાં સુરક્ષા દળોને મોટી સફળતા, મોડી રાત્રે રૈનાવારી વિસ્તારમાં એન્કાઉન્ટરમાં લશ્કર-એ-તૈયબાના 2 આતંકવાદીઓ ઠાર

Follow Us
Surat: નવી સિવિલ હોસ્પિટલમાં ABVP એ કર્યુ ઉગ્ર વિરોધ પ્રદર્શન
Surat: નવી સિવિલ હોસ્પિટલમાં ABVP એ કર્યુ ઉગ્ર વિરોધ પ્રદર્શન
ગુજરાતમાં 'સાર્વત્રિક વરસાદ', અનેક વિસ્તારોમાં 'પાણી ભરાયા'
ગુજરાતમાં 'સાર્વત્રિક વરસાદ', અનેક વિસ્તારોમાં 'પાણી ભરાયા'
પંચમહાલના શહેરામાં 5 ઇંચ અને ગોધરામાં 2 ઇંચ વરસાદ
પંચમહાલના શહેરામાં 5 ઇંચ અને ગોધરામાં 2 ઇંચ વરસાદ
અમદાવાદના સાબરમતીમાં PCBના દરોડા, ફ્લેટમાં ચાલતું જુગારધામ ઝડપાયું !
અમદાવાદના સાબરમતીમાં PCBના દરોડા, ફ્લેટમાં ચાલતું જુગારધામ ઝડપાયું !
જામનગરમાં મૃતક બાળકનો ચાંદીપુરા વાયરસનો રિપોર્ટ પોઝિટિવ
જામનગરમાં મૃતક બાળકનો ચાંદીપુરા વાયરસનો રિપોર્ટ પોઝિટિવ
Breaking News : ​જૂનાગઢમાં ​પાર્ક કરેલી બાઇક પર અજગર વીંટળાયો
Breaking News : ​જૂનાગઢમાં ​પાર્ક કરેલી બાઇક પર અજગર વીંટળાયો
અમદાવાદમાં વરસાદી માહોલ વચ્ચે વાસણા બેરેજના 3 દરવાજા ખોલાયા
અમદાવાદમાં વરસાદી માહોલ વચ્ચે વાસણા બેરેજના 3 દરવાજા ખોલાયા
મધ્યપ્રદેશમાં વરસાદની સિસ્ટમ સક્રીય, સરદાર સરોવર ડેમમાં આવશે નવું પાણી
મધ્યપ્રદેશમાં વરસાદની સિસ્ટમ સક્રીય, સરદાર સરોવર ડેમમાં આવશે નવું પાણી
તહેવાર પહેલા ખાદ્યતેલના ભાવમાં ભડકો! સિંગતેલ ₹50,કપાસિયા તેલ ₹40 મોંઘુ
તહેવાર પહેલા ખાદ્યતેલના ભાવમાં ભડકો! સિંગતેલ ₹50,કપાસિયા તેલ ₹40 મોંઘુ
સરદાર સરોવર ડેમમાં 82.58 ટકા જળસ્તરનો થયો સંગ્રહ
સરદાર સરોવર ડેમમાં 82.58 ટકા જળસ્તરનો થયો સંગ્રહ
g clip-path="url(#clip0_868_265)">