AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

US Travel Advisory: અમેરિકાએ ભારત પ્રવાસ કરનારા તેના નાગરિકો માટે ટ્રાવેલ એડવાઈઝરી જારી કરી, જમ્મુ-કાશ્મીર ન જવા આપી સલાહ

યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે ભારત માટે તેની તાજેતરની ટ્રાવેલ એડવાઈઝરીમાં કહ્યું છે કે ગુના અને આતંકવાદ(Terrorism)ને કારણે ભારતમાં વધુ સાવચેત રહેવાની જરૂર છે. મંગળવારે, યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે ભારતને લેવલ 3 થી લેવલ 1 કેટેગરીમાં ખસેડ્યું.

US Travel Advisory: અમેરિકાએ ભારત પ્રવાસ કરનારા તેના નાગરિકો માટે ટ્રાવેલ એડવાઈઝરી જારી કરી, જમ્મુ-કાશ્મીર ન જવા આપી સલાહ
US issues travel advisory for its citizens
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 30, 2022 | 8:26 AM
Share

US Travel Advisory: અમેરિકાએ મંગળવારે એક નવી ટ્રાવેલ એડવાઈઝરી(Travel Advisory)માં તેના નાગરિકોને ભારતની મુસાફરી કરતી વખતે વધુ સાવચેત રહેવા વિનંતી કરી છે. આ સાથે જમ્મુ-કાશ્મીર અને ભારત-પાકિસ્તાન (India-Pakistan) સરહદના 10 કિલોમીટરની અંદર લોકોને મુસાફરી ન કરવાની સલાહ આપવામાં આવી છે. યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે ભારત માટે તેની તાજેતરની ટ્રાવેલ એડવાઈઝરીમાં કહ્યું છે કે ગુના અને આતંકવાદ(Terrorism)ને કારણે ભારતમાં વધુ સાવચેત રહેવાની જરૂર છે. મંગળવારે, યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે ભારતને લેવલ 3 થી લેવલ 1 કેટેગરીમાં ખસેડ્યું.

બંને એડવાઈઝરી ઈશારો કરી રહી છે કે અમેરિકાને લાગે છે કે ભારતમાં સ્થિતિ હવે સામાન્ય થઈ રહી છે. જો કે, જમ્મુ અને કાશ્મીર અને ભારત-પાકિસ્તાન સરહદ પર અમેરિકાનું વલણ એક જ છે, જ્યાં તે તેના નાગરિકોને મુસાફરી ન કરવા માટે કહી રહ્યું છે. ટ્રાવેલ એડવાઈઝરીમાં કહેવામાં આવ્યું છે કે કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદી હુમલા અને હિંસક નાગરિક અશાંતિ શક્ય છે. તેથી, આ કેન્દ્રશાસિત પ્રદેશની તમામ મુસાફરી ટાળો.

સ્ટેટ ડિપાર્ટમેન્ટે શું કહ્યું

સ્ટેટ ડિપાર્ટમેન્ટે કહ્યું કે ખાસ કરીને ભારત અને પાકિસ્તાનને અલગ કરતી લાઇન ઓફ કંટ્રોલ (એલઓસી) પર અને કાશ્મીર ખીણમાં શ્રીનગર, ગુલમર્ગ અને પહેલગામના પ્રવાસન સ્થળોએ છૂટાછવાયા હિંસા થઈ છે. ભારત સરકાર વિદેશી પર્યટકોને એલઓસીના અમુક વિસ્તારોની મુલાકાત લેવા પર પ્રતિબંધ મૂકે છે. ભારત અને પાકિસ્તાન સરહદની બંને બાજુએ મજબૂત લશ્કરી હાજરી જાળવી રાખે છે.

વિઝા અંગે એડવાઈઝરીમાં શું કહેવામાં આવ્યું હતું

ટ્રાવેલ એડવાઈઝરી આગળ જણાવે છે કે બોર્ડર ક્રોસિંગ સામાન્ય રીતે ખુલ્લું હોય છે, પરંતુ મુસાફરી શરૂ કરતા પહેલા બોર્ડર ક્રોસિંગની વર્તમાન સ્થિતિની ચકાસણી કરો. પાકિસ્તાનમાં પ્રવેશવા માટે પાકિસ્તાની વિઝા જરૂરી છે. ભારતમાં રહેતા અમેરિકી નાગરિકો જ ભારતમાં પાકિસ્તાની વિઝા માટે અરજી કરી શકે છે. અન્યથા ભારતની મુસાફરી કરતા પહેલા તમારા રહેઠાણના દેશમાં પાકિસ્તાની વિઝા માટે અરજી કરો.

આ પણ વાંચો-ઈઝરાયેલના બની બ્રાકી શહેરમાં ફાયરિંગ, પાંચ લોકોના મોત, પોલીસે હુમલાખોરને ઠાર માર્યો

આ પણ વાંચો-શ્રીનગરમાં સુરક્ષા દળોને મોટી સફળતા, મોડી રાત્રે રૈનાવારી વિસ્તારમાં એન્કાઉન્ટરમાં લશ્કર-એ-તૈયબાના 2 આતંકવાદીઓ ઠાર

અંબાલાલ પટેલે ખેડૂતોની ચિંતા વધારી ! ઠંડીના કહેર વચ્ચે માવઠાની આગાહી
અંબાલાલ પટેલે ખેડૂતોની ચિંતા વધારી ! ઠંડીના કહેર વચ્ચે માવઠાની આગાહી
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
g clip-path="url(#clip0_868_265)">