જો તમે મુસાફરીના શોખીન છો તો અવશ્ય Travel Insurance કરાવો, જાણો તેની જરૂરિયાત અને ફાયદા

માણસ દરરોજ પોતાનું ઘર અને ઑફિસ સંભાળતી વખતે એટલો થાકી જાય છે કે તે મનને ફ્રેશ કરવા માટે તમામ પ્રકારના રસ્તાઓ શોધે છે. પ્રવાસ એ તમારા મનને તાજગી આપવાનો શ્રેષ્ઠ માર્ગ છે.

જો તમે મુસાફરીના શોખીન છો તો અવશ્ય Travel Insurance કરાવો, જાણો તેની જરૂરિયાત અને ફાયદા
Travel Insurance
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 30, 2022 | 6:25 AM

ઘણા લોકોને ફરવાનો ખૂબ શોખ હોય છે. આ રીતે તે ઘણીવાર બહાર ફરવા માટે મુસાફરી(Travel) કરે છે. મુસાફરી કરતા લોકોએ ચોક્કસપણે ડોમેસ્ટિક ટ્રાવેલ ઇન્શ્યોરન્સ(Domestic Travel Insurance) કરાવવું જોઈએ. અમે તમને જણાવી દઈએ કે વિદેશ પ્રવાસ કરતા લોકો માટે ટ્રાવેલ ઈન્શ્યોરન્સ(Travel Insurance) લેવો ખૂબ જ જરૂરી છે. બીજી તરફ દેશમાં મુસાફરી દરમિયાન મુસાફરી વીમો જરૂરી નથી પરંતુ ઘણા નિષ્ણાતો માને છે કે દેશમાં મુસાફરી કરતી વખતે પણ ડોમેસ્ટિક ટ્રાવેલ ઈન્સ્યોરન્સ લેવો જોઈએ. મોટાભાગના લોકો ડોમેસ્ટિક ટ્રાવેલ ઇન્સ્યોરન્સ પસંદ કરતા નથી કારણ કે તેઓ તેના વિશે જાણતા નથી. તે જ સમયે, ઘણા લોકોને લાગે છે કે ટ્રાવેલ ઇન્શ્યોરન્સ મેળવવાથી, અકસ્માતના કિસ્સામાં માત્ર નુકસાનની ભરપાઈ થાય છે. આટલું જ નહીં તે તમને મેડિકલ ઈમરજન્સી, ચોરી કે સામાન ખોવાઈ જવાના કિસ્સામાં પણ મદદ કરે છે.

માણસ દરરોજ પોતાનું ઘર અને ઑફિસ સંભાળતી વખતે એટલો થાકી જાય છે કે તે મનને ફ્રેશ કરવા માટે તમામ પ્રકારના રસ્તાઓ શોધે છે. પ્રવાસ એ તમારા મનને તાજગી આપવાનો શ્રેષ્ઠ માર્ગ છે. તેથી જ જ્યારે પણ નોકરી કરતા લોકોને લાંબી રજાઓ (Long Vacations)મળે છે તેઓ મુસાફરી કરવાની યોજના બનાવે છે. જેનાથી આ રજાઓમાં જ તેમનું ફરવા જવાનું થઇ જાય છે અને તેના માટે તેમને કોઈ ખાસ રજા લેવાની જરૂર પણ નથી રહેતી.

ડોમેસ્ટિક ટ્રાવેલ ઈન્સ્યોરન્સની ખાસ વિશેષતાઓ

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
  •  ડોમેસ્ટિક ટ્રાવેલ ઇન્સ્યોરન્સ લેવાથી તમને મુસાફરી દરમિયાન અકસ્માતના કિસ્સામાં કવર મળે છે.
  •  આ સિવાય તમને મેડિકલ ઈમરજન્સી, મુસાફરી દરમિયાન મુશ્કેલી, ફ્લાઈટમાં વિલંબ, ટિકિટ કેન્સલેશન વગેરેમાં ઈન્સ્યોરન્સ કવર મળે છે. આ ઉપરાંત મેડિકલ ઈમરજન્સીના કિસ્સામાં તમને એમ્બ્યુલન્સની સુવિધા પણ મળશે.
  •  જો કોઈ વ્યક્તિ મુસાફરી દરમિયાન અચાનક બીમાર પડી જાય છે, તો આવી સ્થિતિમાં તમને હેલ્થ કવર મળે છે. જ્યારે કોઈ વ્યક્તિ બીમાર પડે છે ત્યારે તેના હોસ્પિટલમાં દાખલ થવાનો સંપૂર્ણ ખર્ચ વીમા કંપની ઉઠાવે છે.
  •  જો પ્રવાસ દરમિયાન કોઈ વ્યક્તિનો સામાન ખોવાઈ જાય અથવા ચોરાઈ જાય તો આવી સ્થિતિમાં તમને વીમા કંપની તરફથી વળતર મળે છે.
  •  જો તમને તમારી મુસાફરી પહેલા અથવા મહત્વપૂર્ણ પ્રસંગોએ ટિકિટ કેન્સલેશન વગેરેના કિસ્સામાં તમામ રિફંડ પૈસા મળે છે.
  •  જો તમારો પાસપોર્ટ, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ વગેરે જેવી કોઈપણ વસ્તુ ખોવાઈ જાય છે, તો આવી સ્થિતિમાં, તમને વીમા કંપની દ્વારા નુકસાન માટે કવર કરવામાં આવશે.

આ પણ વાંચો :  આ ટેક્સટાઇલ કંપનીએ કરી શેર બાયબેકની જાહેરાત, મળી શકે છે 12 ટકા નફો

આ પણ વાંચો : MONEY9: IPO કેટલા ગણો ભરાયો તે કેવી રીતે ખબર પડે ? સમજો IPOનું ગણિત

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">