દિલ્હી સહિત અનેક રાજ્યોમાં કોરોનાના વધતા કેસને લઈને કેન્દ્રીય આરોગ્ય સચિવે કહ્યુ- સાવચેતી રાખવી જરૂરી
કેરળમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 353 નવા કેસ નોંધાયા છે અને કોરોનાને કારણે કોઈનું મોત થયું નથી. એક્ટિવ કેસોની સંખ્યા 2,351 છે અને રાજ્યમાં કુલ મૃત્યુઆંક 68,339 છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે (Union Health Secretary Rajesh Bhushan) શુક્રવારે દિલ્હી, કેરળ, હરિયાણા, મિઝોરમ અને મહારાષ્ટ્રને પત્ર લખીને ગયા અઠવાડિયે કોરોના (Corona) ના કેસમાં થયેલા વધારા પર કડક તકેદારી રાખવા જણાવ્યું હતું. જો મિઝોરમ (Mizoram) ની વાત કરીએ તો ત્યાં છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ના 123 નવા કેસ સામે આવ્યા બાદ રાજ્યમાં કોરોના સંક્રમિતોની સંખ્યા વધીને 2,25,336 થઈ ગઈ છે. આરોગ્ય વિભાગના એક અધિકારીએ જણાવ્યું કે રાજ્યમાં કોવિડ-19ને કારણે અત્યાર સુધીમાં 687 લોકોના મોત થયા છે. રાજ્યમાં ચેપનો દર વધીને 17 ટકા થઈ ગયો છે, જે એક દિવસ પહેલા 13.69 ટકા હતો.
ગુરુવારે દિલ્હીમાં કોરોનાના 176 નવા કેસ સામે આવ્યા
ગુરુવારે દિલ્હીમાં કોરોના વાયરસ ચેપના 176 નવા કેસ નોંધાયા હતા, જે એક દિવસ પહેલા નોંધાયેલા કેસો કરતા 40 ટકા વધુ હતા. રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા શેર કરાયેલા ડેટા મુજબ, ચેપ દર 1.68 ટકા નોંધાયો હતો અને છેલ્લા એક દિવસમાં રોગચાળાને કારણે કોઈનું મૃત્યુ થયું નથી. બુધવારે, કોરોના ચેપના 126 કેસ નોંધાયા હતા, ચેપ દર 1.12 ટકા હતો અને એક દર્દીનું મૃત્યુ થયું હતું.
આ સિવાય કેરળમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 353 નવા કેસ નોંધાયા છે અને કોરોનાને કારણે કોઈનું મોત થયું નથી. એક્ટિવ કેસોની સંખ્યા 2,351 છે અને રાજ્યમાં કુલ મૃત્યુઆંક 68,339 છે. ગુરુવારે કેરળમાં કોરોનાવાયરસ ચેપના 291 કેસ નોંધાયા પછી, ચેપગ્રસ્ત લોકોની કુલ સંખ્યા વધીને 65,35,048 થઈ ગઈ છે. આ સિવાય મૃત્યુના 36 કેસ સાથે મૃતકોની સંખ્યા 68,264 પર પહોંચી ગઈ છે.
આરોગ્ય વિભાગે જણાવ્યું કે કેરળમાં સારવાર લઈ રહેલા દર્દીઓની સંખ્યા 2,398 છે. છેલ્લા 24 કલાકમાં કોવિડ-19 માટે 15,531 સેમ્પલનું પરીક્ષણ કરવામાં આવ્યું છે. ગુરુવારે, 323 લોકો ચેપમાંથી સ્વસ્થ થયા. આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ, સૌથી વધુ 73 કેસ એર્નાકુલમ જિલ્લામાં, 52 તિરુવનંતપુરમ અને 36 કોટ્ટયમમાંથી નોંધાયા છે.
આ પણ વાંચો: મનીષ સિસોદિયાનું એલાન- સોમવારે ગુજરાતની શાળા જોવા જઈશ, ભાજપે 27 વર્ષમાં કંઈક તો કર્યું જ હશે
આ પણ વાંચો: Uttar Pradesh: યોગી સરકારની ગુનાખોરી સામે મોટી કાર્યવાહી, 100 દિવસમાં 1000 ગુનેગારોને સજા આપવાની તૈયારી