ઉદ્ધવ ઠાકરેનો રાજ પર કટાક્ષ: ‘એક મુન્નાભાઈ શાલ પહેરીને પોતાને બાલ ઠાકરે સમજે છે’

રાજ ઠાકરેએ લાઉડ સ્પીકર વિવાદ પર ઉદ્ધવ સરકારની આકરી ઝાટકણી કાઢી હતી. પોતાના પિતરાઈ ભાઈ રાજ ઠાકરે પર કટાક્ષ કરતા સીએમ ઉદ્ધવે કહ્યું, 'લગે રહો મુન્નાભાઈ'.

ઉદ્ધવ ઠાકરેનો રાજ પર કટાક્ષ: 'એક મુન્નાભાઈ શાલ પહેરીને પોતાને બાલ ઠાકરે સમજે છે'
uddhav thackeray, cm, maharastraImage Credit source: ANI
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 15, 2022 | 10:01 AM

શિવસેના પ્રમુખ અને મહારાષ્ટ્રના સીએમ ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray) અને MNS પ્રમુખ રાજ ઠાકરે (Raj Thackeray) વચ્ચે આક્ષેપ પ્રતિઆક્ષેપ સાથેસાથે રાજકીય કટાક્ષ વધી રહ્યા છે. લાઉડસ્પીકર વિવાદ બાદ ઉદ્ધવ ઠાકરેએ રાજ ઠાકરે પર કટાક્ષ કર્યો હતો. સીએમએ કહ્યું, ‘એક મુન્નાભાઈ શાલ પહેરીને પોતાને બાલ ઠાકરે સમજે છે.’ ઉદ્ધવ ઠાકરેએ શનિવારે BKC મેદાનમાં રેલીને સંબોધિત કરી હતી. તેમનું નિશાન મુખ્યત્વે રાજ ઠાકરે હતા, રાજ ઠાકરેએ મહારાષ્ટ્ર રાજ્યમાં લાઉડ સ્પીકર (Loudspeaker) વિવાદ પર ઉદ્ધવ સરકારની ઉગ્ર ઝાટકણી કાઢી હતી. તેમના ભાઈ રાજ ઠાકરે પર કટાક્ષ કરતા સીએમ ઉદ્ધવે કહ્યું, ‘લગે રહો મુન્નાભાઈ’.

ઘણા મુન્નાભાઈ રખડતા હોય છે

‘લગે રહો મુન્નાભાઈ’ ફિલ્મનો ઉલ્લેખ કરતાં ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે અભિનેતા (સંજય દત્ત) આ તસવીરમાં મહાત્મા ગાંધીની તસવીર જુએ છે. મુન્નાભાઈ વિચારવાનું શરૂ કરે છે કે તેઓ મહાત્મા ગાંધી સાથે વાતચીત કરી રહ્યા છે, પરંતુ ફિલ્મના અંતે ખબર પડે છે કે તે ‘કેમિકલ લોચા’નો કેસ છે. અમારે અહીં પણ ઘણા મુન્નાભાઈ છે, જેઓ વ્હેમમાં ફરતા હોય છે.

રાજ ઠાકરેનું નામ લીધા વિના સીએમ ઠાકરેએ કહ્યું કે અમારી પાસે પણ આવો કિસ્સો છે. અહીં મુન્નાભાઈ પોતાને બાળાસાહેબ ઠાકરે (શિવસેનાના સ્થાપક) માને છે. શાલ પહેરે છે. હનુમાન જયંતિ પર મહા આરતી કરતી વખતે ઉદ્ધવ ઠાકરેએ કેસરી શાલ પહેરેલા રાજ ઠાકરેની ઝાટકણી કાઢી હતી. સ્વ. બાળ ઠાકરેને હિન્દુ હ્રદય સમ્રાટ તરીકે પણ ઓળખવામાં આવતા હતા. રેલીમાં સીએમ ઠાકરેએ પણ ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે 2017 થી 2022 વચ્ચે બે કરોડ લોકોએ નોકરી ગુમાવી છે. તમામ રાજકીય પક્ષોએ આ હકીકતની નોંધ લેવી જોઈએ.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

મનસેના કાર્યકરો રાજને ‘હિન્દુ જનનાયક’ માને છે.

મહારાષ્ટ્રની મસ્જિદોમાંથી લાઉડસ્પીકર હટાવવાની માંગ અને તેના વિરુદ્ધ આંદોલન બાદ MNS કાર્યકર્તાઓ રાજ ઠાકરેને ‘હિંદુ જનનાયક’ માનવા માંડ્યા છે. રાજ ઠાકરેએ એક સમાન નાગરિક સંહિતા લાગુ કરવા અને દેશમાં વસ્તી નિયંત્રણ કાયદો લાવવાના કેન્દ્ર સરકારના ઈરાદાને પણ સમર્થન આપ્યું છે.

Latest News Updates

મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
g clip-path="url(#clip0_868_265)">