AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TV9 WITT Summit 2026: શંકરાચાર્ય સામે બોલવાની મારી કોઈ ઓકાત નથી…” કુમાર વિશ્વાસે TV9 ના મંચ પરથી સત્તાપક્ષ અને સંતોને આપી શિખામણ

TV9 નેટવર્કના મંચ પર કવિ અને કથાવાચક કુમાર વિશ્વાસે ઉત્તર પ્રદેશના શંકરાચાર્ય વિવાદ પર ખુલીને વાત કરી છે. તેમણે શંકરાચાર્યને ભારતીય પરંપરાના 'પિતામહ' ગણાવતા કહ્યું કે, તેમની સામે બોલવાની મારી કોઈ હેસિયત નથી.

TV9 WITT Summit 2026: શંકરાચાર્ય સામે બોલવાની મારી કોઈ ઓકાત નથી... કુમાર વિશ્વાસે TV9 ના મંચ પરથી સત્તાપક્ષ અને સંતોને આપી શિખામણ
Image Credit source: TV9 Network
| Updated on: Mar 24, 2026 | 7:24 PM
Share

પ્રખ્યાત કવિ કુમાર વિશ્વાસે તાજેતરમાં ઉત્તર પ્રદેશમાં ચાલી રહેલા શંકરાચાર્ય અને સત્તાપક્ષ વચ્ચેના વિવાદ પર પોતાનો મત રજૂ કર્યો છે. તેમણે ખૂબ જ વિનમ્રતા સાથે આ વિવાદના બંને પક્ષોને મર્યાદામાં રહેવાની સલાહ આપી છે.

TV9 WITT સમિટ: કુમાર વિશ્વાસે શંકરાચાર્ય વિવાદ પર તોડ્યું મૌન

શંકરાચાર્ય પરંપરાના પિતામહ છે”

કુમાર વિશ્વાસે કહ્યું કે, “હું જે ગામ-ગલીમાં ઉછર્યો છું ત્યાં અમે પિતા સામે પણ નથી બોલતા, તો શંકરાચાર્ય જે પિતામહ સમાન છે તેમની સામે બોલવાની મારી કોઈ ઓકાત નથી. જે રીતે શાસન માટે કાયદો હોય છે, તેમ ધર્મ માટે શંકરાચાર્યના વચન જ શાસ્ત્ર છે.” તેમણે સ્પષ્ટ કર્યું કે શંકરાચાર્ય પાસે ધર્મની વ્યાખ્યા કરવાનો પૂરો અધિકાર છે.

અધિકારીઓને શિખામણ: “હત્યારા અને સંત વચ્ચેનો તફાવત સમજો”

રાજ્ય વ્યવસ્થામાં બેઠેલા અધિકારીઓ માટે કુમાર વિશ્વાસે એક ઉદાહરણ આપતા કહ્યું કે, “એક પોલીસવાળો જ્યારે હત્યારા સાથે ડીલ કરે છે ત્યારે તે સભ્ય ભાષા વાપરે તેવી આશા ન રાખી શકાય, કારણ કે તેની સામે ગુનેગાર છે. પરંતુ જ્યારે તમે સાધુ-સંતો કે ધર્મ માટે સમર્પિત કોઈ સામાન્ય બટુક સાથે વાત કરો છો, ત્યારે વિનમ્રતા અને મર્યાદા હોવી અનિવાર્ય છે. અધિકારીઓએ આવા સંવેદનશીલ કિસ્સાઓમાં સચેત રહેવું જોઈએ.”

યોગી આદિત્યનાથ અને ભાષાની મર્યાદા

શંકરાચાર્ય દ્વારા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ માટે કરવામાં આવેલી ‘મુગલોના વંશજ’ વાળી ટિપ્પણી અંગે પૂછવામાં આવતા કુમારે કહ્યું કે, “ભાષાની મર્યાદા બંને પક્ષે હોવી જોઈએ. ઉત્તર પ્રદેશની સત્તા પર બેઠેલી વ્યક્તિ (યોગીજી) પોતે પણ ભગવાધારી છે અને એક પ્રતિષ્ઠિત પીઠના પીઠાધીશ્વર છે. જોકે તેઓ શાસન ચલાવી રહ્યા છે, એટલે તેમના પર સારી-ખરાબ ટિપ્પણીઓ થશે જ, પરંતુ સાધુ-સંતોએ એકબીજા પ્રત્યે મર્યાદા જાળવવી જોઈએ.”

કુમાર વિશ્વાસના મતે, સત્તા અને ધર્મ જ્યારે સામસામે હોય ત્યારે વિનમ્રતા જ એકમાત્ર રસ્તો છે. તેમણે ફરી એકવાર યાદ અપાવ્યું કે ભજન કરવા માટે મઠ છે અને શાસન ચલાવવા માટે ગાદી, પરંતુ બંને વચ્ચેના સંવાદમાં સન્માન જળવાવું જોઈએ.

India Healthcare Crisis: યુદ્ધના કારણે ‘જીવન રક્ષક’ ગેસની અવગણના, શું ભારત પર મંડરાઈ રહ્યું છે મેડિકલ ઈમરજન્સીનું મોટું જોખમ?

Follow Us
નાણાકીય લાભ થવાની શક્યતા છે, માતા-પિતાને ભેટ આપો
નાણાકીય લાભ થવાની શક્યતા છે, માતા-પિતાને ભેટ આપો
ફ્લાઇટમાં જઈ ચોરી કરતી ગેંગ ઝડપાઈ: બનાસકાંઠા પોલીસે 2 આરોપી પકડ્યા
ફ્લાઇટમાં જઈ ચોરી કરતી ગેંગ ઝડપાઈ: બનાસકાંઠા પોલીસે 2 આરોપી પકડ્યા
ચાંદખેડામાં 3 વર્ષની બાળકીના મોતનું રહસ્ય ખુલ્યું - જુઓ Video
ચાંદખેડામાં 3 વર્ષની બાળકીના મોતનું રહસ્ય ખુલ્યું - જુઓ Video
વડોદરા: કેનાલ નિર્માણમાં ભ્રષ્ટાચારના આક્ષેપ, સાંસદે આપી તપાસની સૂચના
વડોદરા: કેનાલ નિર્માણમાં ભ્રષ્ટાચારના આક્ષેપ, સાંસદે આપી તપાસની સૂચના
રાજકોટ: ધાર્મિક દબાણો હટાવવાના વિરોધમાં કોંગ્રેસની રામધૂન
રાજકોટ: ધાર્મિક દબાણો હટાવવાના વિરોધમાં કોંગ્રેસની રામધૂન
અમદાવાદ: તળાવોના બ્યુટીફીકેશન મુદ્દે અમિત શાહની ઉચ્ચસ્તરીય બેઠક
અમદાવાદ: તળાવોના બ્યુટીફીકેશન મુદ્દે અમિત શાહની ઉચ્ચસ્તરીય બેઠક
નર્મદા કલેક્ટર બેઠક તોફાની: રસ્તા-પાણી મુદ્દે નેતાઓ અધિકારીઓ પર વરસ્યા
નર્મદા કલેક્ટર બેઠક તોફાની: રસ્તા-પાણી મુદ્દે નેતાઓ અધિકારીઓ પર વરસ્યા
અમદાવાદમાં AMC એ પાણીપુરીની લારી સીલ કરી ફટકાર્યો ₹10,000 નો દંડ
અમદાવાદમાં AMC એ પાણીપુરીની લારી સીલ કરી ફટકાર્યો ₹10,000 નો દંડ
Breaking News: સાંભાર-ચટણીમાં ઝેરી રંગ બદલ 6 માસની જેલ
Breaking News: સાંભાર-ચટણીમાં ઝેરી રંગ બદલ 6 માસની જેલ
અમદાવાદમાં પાણીપુરીમાંથી નીકળ્યું હાડકું ! વીડિયો થયો વાયરલ-Video
અમદાવાદમાં પાણીપુરીમાંથી નીકળ્યું હાડકું ! વીડિયો થયો વાયરલ-Video
g clip-path="url(#clip0_868_265)">