AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tv9 Festival of India: લાઈવ પરફોર્મન્સ, સાથે ખરીદી, TV9 ફેસ્ટિવલ ઓફ ઈન્ડિયાનો આજે ત્રીજો દિવસ

દિલ્હીના મેજર ધ્યાનચંદ સ્ટેડિયમમાં ચાલી રહેલા આ કાર્યક્રમના બીજા દિવસે અનેક રાજકીય પક્ષોના વરિષ્ઠ નેતાઓએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમ 24મી ઓક્ટોબર સુધી સવારે 10 થી રાત્રે 10 વાગ્યા સુધી યોજાશે, જેમાં TV9 નેટવર્ક તમારા આગમનની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યું છે. સ્વાદિષ્ટ વાનગીઓથી લઈને ભેટો અને ઘરની સજાવટની વસ્તુઓ, તમારે બીજે ક્યાંય જવાની જરૂર રહેશે નહીં.

Tv9 Festival of India: લાઈવ પરફોર્મન્સ, સાથે ખરીદી, TV9 ફેસ્ટિવલ ઓફ ઈન્ડિયાનો આજે ત્રીજો દિવસ
Tv9 Festival of India
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 22, 2023 | 5:59 PM
Share

આજે ‘TV9 ફેસ્ટિવલ ઑફ ઈન્ડિયા‘નો ત્રીજો દિવસ છે. દિલ્હીના મેજર ધ્યાનચંદ સ્ટેડિયમમાં ચાલી રહેલા આ કાર્યક્રમના બીજા દિવસે અનેક રાજકીય પક્ષોના વરિષ્ઠ નેતાઓએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમ 24મી ઓક્ટોબર સુધી સવારે 10 થી રાત્રે 10 વાગ્યા સુધી યોજાશે, જેમાં TV9 નેટવર્ક તમારા આગમનની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યું છે. સ્વાદિષ્ટ વાનગીઓથી લઈને ભેટો અને ઘરની સજાવટની વસ્તુઓ, તમારે બીજે ક્યાંય જવાની જરૂર રહેશે નહીં.

આ ઉત્સવમાં રાજકારણના દિગ્ગજોએ ભાગ લીધો હતો

TV9 ફેસ્ટિવલ ઓફ ઈન્ડિયાના બીજા દિવસે રક્ષા મંત્રી રાજનાથ સિંહ મા દુર્ગાના આશીર્વાદ લેવા પહોંચ્યા હતા. દિલ્હીના ધ્યાનચંદ સ્ટેડિયમમાં આયોજિત આ ભવ્ય કાર્યક્રમમાં મા દુર્ગાની દિલ્હીની સૌથી મોટી પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે. બીજેપી સાંસદ ગૌતમ ગંભીર અને બીજેપી નેતા તરુણ ચુગ પણ TV9 ફેસ્ટિવલની ઉજવણી કરવા પહોંચ્યા હતા. યુપીના ડેપ્યુટી સીએમ બ્રજેશ પાઠકે અહીંના સ્ટોલની મુલાકાત લીધી, જ્યાં તમને ભારત અને વિદેશની દરેક ચીજવસ્તુઓ મળશે.

આ કાર્યક્રમમાં કોંગ્રેસના નેતા જયપ્રકાશ અગ્રવાલ પણ હાજર રહ્યા હતા જ્યારે કોંગ્રેસ નેતા પવન ખેડાએ TV9 ને દર વર્ષે આવા કાર્યક્રમનું આયોજન કરવા અપીલ કરી હતી. કાર્યક્રમના બીજા દિવસે સામાન્ય લોકોની ભારે ભીડ જોવા મળી હતી. લોકો નાના બાળકો સાથે કાર્યક્રમ માણતા જોવા મળ્યા હતા. દુર્ગા પૂજા નિમિત્તે આયોજિત ગરબા નૃત્યની તો શું વાત કરવી. લાઈવ મ્યુઝિક શોના ગીતો પર લોકો ડાન્સ કરતા જોવા મળ્યા હતા.

આ પ્રમાણે હતો આજનો કાર્યક્રમ

  • સવારે 11 કલાકે પુષ્પાંજલિ
  • સવારે 11.30 કલાકે ચંડી પાઠ
  • બપોરે 12.30 કલાકે ભોગ આરતી
  • બપોરે 1 કલાકે- પ્રસાદ વિતરણ
  • સાંજે 7.36 થી 8.24 – સંધ્યા પૂજા
  • રાત્રે 8 થી 9 – સાંજની આરતી

ફેસ્ટિવલ ક્યાં યોજાઈ રહ્યો છે?

  • સ્થળ: મેજર ધ્યાનચંદ નેશનલ સ્ટેડિયમ, ઇન્ડિયા ગેટ પાસે, નવી દિલ્હી
  • પ્રવેશ: ગેટ નંબર બે અને ત્રણ, પાર્કિંગ મફત છે.

આપને જણાવી દઈએ કે TV9 ફેસ્ટિવલનો આ કાર્યક્રમ 24 ઓક્ટોબર સુધી આયોજિત થવાનો છે. તહેવારોની મોસમ દરમિયાન, TV9 નેટવર્ક તેના દર્શકોને તેમના પરિવારો સાથે આ કાર્યક્રમમાં હાજરી આપવા અને ભારતના સાંસ્કૃતિક વારસાને નજીકથી જોવાની આ શ્રેષ્ઠ તક ગુમાવશો નહીં તેવી અપીલ કરે છે.

આ પણ વાંચો: જેમાંથી બને છે વાસણ, તેનાથી બની છે ‘નમો ભારત’, દેશની સૌથી ધનિક મહિલા સાથે પણ છે કનેક્શન

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">