મારી સામે તપાસ માટે એટલું દબાણ હતું કે CBI અધિકારીએ આત્મહત્યા કરવી પડી: મનીષ સિસોદિયા

મનીષ સિસોદિયાએ (Manish Sisodia) કહ્યું કે મને ફસાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો. તેમણે કહ્યું કે બે દિવસ પહેલા સીબીઆઈ અધિકારીએ આત્મહત્યા કરી હતી. તેઓ મારી સીબીઆઈ તપાસ જોઈ રહ્યા હતા.

મારી સામે તપાસ માટે એટલું દબાણ હતું કે CBI અધિકારીએ આત્મહત્યા કરવી પડી: મનીષ સિસોદિયા
Manish Sisodia
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 05, 2022 | 6:08 PM

દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાએ (Manish Sisodia) સીબીઆઈના (CBI) દુરુપયોગ અને તાજેતરમાં સીબીઆઈ અધિકારીની આત્મહત્યા મામલે ભાજપ (BJP) પર પ્રહારો કર્યા છે. સિસોદિયાએ કહ્યું કે મને ફસાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો. તેમણે કહ્યું કે બે દિવસ પહેલા સીબીઆઈ અધિકારીએ આત્મહત્યા કરી હતી. તેઓ મારી સીબીઆઈ તપાસ જોઈ રહ્યા હતા. મારી સામે કાર્યવાહી મંજૂર કરવા માટે તેમના પર દબાણ કરવામાં આવ્યું હતું અને તેઓએ આત્મહત્યા કરવી પડી હતી. તેને આત્મહત્યા કરવી પડે તેવું દબાણ સર્જાયું હતું.

તાજેતરમાં જ સીબીઆઈ અધિકારી જિતેન્દ્ર કુમારની આત્મહત્યાનો મામલો સામે આવ્યો હતો. તેના પર સિસોદિયાએ કહ્યું કે તેમના વિશે જાણવા મળ્યું છે કે તે અધિકારીઓ કાયદાકીય સલાહકાર હતા, તેઓ મારી વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી નકલી એફઆઈઆરના મામલાને પણ જોઈ રહ્યા હતા. તે અધિકારી પર મારી સામે કાર્યવાહી મંજૂર કરવા દબાણ કરવામાં આવ્યું હતું કે તેમને આત્મહત્યા કરવી પડી હોવાનું જાણવા મળે છે. મનીષ સિસોદિયાએ કહ્યું કે આવા અધિકારી પર મારી ધરપકડ કરવા માટે દબાણ કરવું ખૂબ જ શરમજનક કૃત્ય છે, તે પરિવાર પ્રત્યે મારી સંવેદના છે.

આખો સમય ફસાવવાનું જ વિચારે છે પીએમ: મનીષ સિસોદિયા

સિસોદિયાએ વધુમાં કહ્યું કે હું વડાપ્રધાનને કહેવા માંગુ છું કે મને ફસાવવા માટે આવા અધિકારીઓ પર દબાણ ન કરો કે તેમને ફાંસી લગાવવી પડે. તમે આખો સમય એવું જ વિચારતા રહો છો કે કેવી રીતે ફસાવવામાં આવે, તમે શાળા બનાવવાનું ક્યારે વિચારશો.

ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં

સિસોદિયાએ વડાપ્રધાનને પૂછ્યા ત્રણ સવાલ

1. અધિકારીઓ પર આટલું દબાણ કેમ સર્જાય છે કે તેમને જીવ આપવો પડે?

2. શું ઓપરેશન લોટસ ચલાવવાનું જ બાકી રહ્યું છે?

3. ક્યાં સુધી અન્ય રાજ્યોની ચૂંટાયેલી સરકારોને કચડી નાખવામાં આવશે?

દરેક વ્યક્તિએ આવો ભ્રષ્ટાચાર કરવો જોઈએ

બીજી તરફ સિસોદિયાએ શિક્ષક દિવસના અવસર પર કહ્યું કે હું ગર્વથી કહું છું કે મેં 8 વર્ષ સુધી શિક્ષણ મંત્રી તરીકે કામ કર્યું છે. તમે ફરિયાદ કરો છો, તમારે શા માટે વધુ રૂમ, વધુ શૌચાલય બનાવ્યા, તમે શા માટે શાનદાર ડેસ્ક બનાવ્યા, અમને ગર્વ છે કે અમે આ બધું કર્યું છે. ફાંસી આપો, જેલમાં મોકલો, હિંમત હોય તો કરી બતાવો જે અમારી ટીમે છેલ્લા 8 વર્ષમાં એજ્યુકેશન માટે કર્યું છે. જો આ ભ્રષ્ટાચાર હોય તો તે સમગ્ર દેશમાં શિક્ષણ મંત્રીઓ, વડાપ્રધાન અને કેન્દ્ર સરકાર દ્વારા કરવો જોઈએ.

Latest News Updates

રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
Surendranagar : પરસોત્તમ રૂપાલના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Surendranagar : પરસોત્તમ રૂપાલના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
Rain : ભર ઉનાળે દક્ષિણ ગુજરાતમાં મેઘ મહેર, વલસાડ, ડાંગ, તાપીમાં વરસાદ
Rain : ભર ઉનાળે દક્ષિણ ગુજરાતમાં મેઘ મહેર, વલસાડ, ડાંગ, તાપીમાં વરસાદ
Chhota Udepur : ઉનાળાની આકરી ગરમી વચ્ચે વરસ્યો વરસાદ
Chhota Udepur : ઉનાળાની આકરી ગરમી વચ્ચે વરસ્યો વરસાદ
દેવળકી ગામમાં ઘઉંના ખેતરમાં લાગી ભીષણ આગ
દેવળકી ગામમાં ઘઉંના ખેતરમાં લાગી ભીષણ આગ
g clip-path="url(#clip0_868_265)">