PM Modiએ ઈટાલીની વડાપ્રધાનને ગિફ્ટ કર્યું ‘પટોળું’, જેના વિશે ચર્ચાએ પકડ્યું જોર

કહેવાય છે કે ગિફ્ટ હૃદયને નજીક લાવે છે. પરસ્પર સંબંધોને મજબૂત કરવામાં તેમનો ઉપયોગ નવો નથી અને ભારતના PM Modi તેને સારી રીતે સમજી ચૂક્યા છે. આ જ કારણ હતું કે, G20 કોન્ફરન્સમાં તેમની ભેટોનું વર્ચસ્વ હતું.

PM Modiએ ઈટાલીની વડાપ્રધાનને ગિફ્ટ કર્યું 'પટોળું', જેના વિશે ચર્ચાએ પકડ્યું જોર
PM Modi and Italy PM
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 18, 2022 | 9:29 AM

ભેટ આપવાની પ્રથા માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં ખૂબ જૂની છે. આત્મીયતા જાળવવા અને સંબંધોમાં ઉષ્મા લાવવા માટે નાની ભેટ કેટલી ઉપયોગી છે તે દરેક વ્યક્તિ જાણે છે. આ જ કારણ છે કે ઇન્ડોનેશિયાના બાલી દ્વીપમાં G-20 સમિટમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમનું મહત્વ સમજ્યું. વડાપ્રધાનએ ભારતના સાંસ્કૃતિક વારસાને આવરી લેતા મંચ પર ઉપસ્થિત વિશ્વ નેતાઓને ગુજરાત અને હિમાચલ પ્રદેશની પરંપરાગત કલાકૃતિઓ ધરાવતી ભેટો આપી હતી. પીએમએ યુએસ પ્રમુખ જો બિડેનને કાંગડાનું લઘુચિત્ર પેઇન્ટિંગ આપ્યું હતું, જ્યારે બ્રિટિશ પીએમ ઋષિ સુનકને ગુજરાતની હાથે બનાવેલી ‘માતા ની પછેડી’ આપવામાં આવી હતી.

ઓસ્ટ્રેલિયન પીએમ એન્થોની અલ્બાનીસને છોટા ઉદેપુરની આદિવાસી લોક કલા પિથોરા ભેટમાં આપવામાં આવી હતી. ફ્રાન્સ, જર્મની અને સિંગાપોરના નેતાઓને કચ્છના સુલેમાની વાટકા આપ્યા. તેમના ઇટાલિયન સમકક્ષ જ્યોર્જિયા મેલોનીને ‘પાટણ પટોણા’ દુપટ્ટો ભેટમાં આપ્યો. પીએમ દ્વારા આપવામાં આવેલી તમામ ભેટોમાં ઈટાલીના વડાપ્રધાનને આપવામાં આવેલા પાટણ પટોળા સ્કાર્ફની સૌથી વધુ ચર્ચા થઈ રહી છે. છેવટે, પાટણના પટોળામાં એવું તો શું ખાસ છે જે દરેકનું ધ્યાન ખેંચી રહ્યું છે.

ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo

ઇટાલીના પીએમને મળેલી ભેટ સામાન્ય નથી

G-20 સમિટમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના ઇટાલિયન સમકક્ષ જ્યોર્જિયા મેલોનીને ભેટમાં આપેલો પટોળા પાટણનો દુપટ્ટો કોઈ મામુલી ભેટ નથી. આ દુપટ્ટો સુરતના લાકડાના હસ્તકલા સાદેલીના એક બોક્સમાં આપવામાં આવ્યો હતો. અધિકારીઓએ જણાવ્યું કે, મેલોનીના દુપટ્ટા પર વણાયેલું મોટિફ રાની કી વાવ એટલે કે 11મી સદીમાં પાટણમાં બાંધવામાં આવેલી એક વાવથી પ્રેરિત છે.

પીએમના ગૃહ રાજ્યમાં પાટણ પટોળા માત્ર એક કાપડ નથી, પરંતુ તેને આપવો એ સન્માન દર્શાવવાની એક રીત પણ છે. આ ગુજરાતની પ્રાચીન કલા છે. તેને પહેરવું અને રાખવું એ ગુજરાત માટે ગૌરવની વાત ગણાય છે. તેની કિંમત એટલી છે કે આ કાપડ સામાન્ય લોકોની પહોંચની બહાર જ રહે છે.

ગુજરાતના લોકગીતોમાં પાટણના પટોળાની વિશેષતાના અવાજો ગુંજી ઉઠે છે. પટોળા સાડીનો ઈતિહાસ 900 વર્ષ જૂનો છે. એવું કહેવાય છે કે તેનું વર્ણન રામાયણ પુરાણમાં જોવા મળે છે. આ ઉપરાંત એવું પણ માનવામાં આવે છે કે, અજંતા ઈલોરાની ગુફાઓની કલાકૃતિઓ દ્વારા પહેરવામાં આવતા કેટલાક કપડાં પાટણના વસ્ત્રોમાં જોવા મળે છે. ગુજરાતના પાટણમાં બનેલી આ સાડી પોતાનામાં એક અનોખું ચિત્ર છે. આ હસ્તકલા ભારતના ઈતિહાસમાં નોંધપાત્ર ગણાય છે.

પટોળાના ફેબ્રિકને આ રીતે રંગવામાં આવે છે

પટોળાની પ્રાચીન કલા ડબલ ઈકત એટલે કે રંગવાની તકનીક 11મી સદીની છે. પ્યોર સિલ્કમાંથી બનેલા પટોળા કપડામાં બંને બાજુ રંગો અને ડિઝાઇનની સમાન જટિલતા હોય છે. આ પાટણ પટોળાને વણાટ પહેલા તાના-બાના પર વ્યક્તિગત ગાંઠો રંગવાની જટિલ અને મુશ્કેલ તકનીક દ્વારા તૈયાર કરવામાં આવે છે. આને ‘બંધણી’ કહે છે.

તેના વણાટની આ વિશેષતા તેને કપડાંમાં ઉત્તમ બનાવે છે. તે ગુજરાતના પાટણ શહેરમાં તૈયાર કરવામાં આવે છે, તેથી તેને ‘પટોળા’ કહેવામાં આવે છે. પટોળા રોઝવૂડ અને વાંસની પટ્ટીઓથી બનેલા જૂના લાકડાંનાં લૂમ પર વણાય છે. લૂમ ત્રાંસી હોય છે. અન્ય સામાન્ય રીતે પહેરવામાં આવતાં પટોળા રાજકોટ પટોળા છે, જે સપાટ લૂમ પર વણાય છે.

તેના વણાટમાં રેશમના દોરા તાના-બાનાનો સમાવેશ થાય છે. આને કોટન થ્રેડ વડે બાંધવામાં આવે છે, જે બનાવવાની ડિઝાઇન સાથે ચિહ્નિત કરવામાં આવે છે. આ બંધાયેલા ભાગ પછી રંગ કરતી વખતે રંગોના સંપર્કમાં આવતો નથી. બાદમાં આ ભાગોને અલગ-અલગ રંગોમાં બાંધવા, ખોલવા અને ફરીથી રંગવા પડે છે.

ફેબ્રિક પર એક પછી એક સિંગલ અને પ્રાથમિક રંગો લગાવવામાં આવે છે, પછી મિશ્રિત રંગોને ઓવરલેપ કરીને ફેબ્રિકમાં લાવવામાં આવે છે. આ પ્રકારની રંગીન ડિઝાઈનને ખાસ બનાવે છે. તેમાં ઘણો પ્રયત્ન અને સમય લાગે છે. આ સાથે આ કામ માટે અત્યંત કુશળ અને નિપુણ કારીગરોની જરૂર છે.

Latest News Updates

અરવલ્લીઃ ચૂંટણી ફરજથી પરત ફરતા શિક્ષકને અકસ્માત નડ્યો, બેનાં મોત
અરવલ્લીઃ ચૂંટણી ફરજથી પરત ફરતા શિક્ષકને અકસ્માત નડ્યો, બેનાં મોત
મતદાનના દિવસે જ પ્રાંતિજમાં મહિલાને અજાણ્યા ત્રણ શખ્શોએ લૂંટી લીધી
મતદાનના દિવસે જ પ્રાંતિજમાં મહિલાને અજાણ્યા ત્રણ શખ્શોએ લૂંટી લીધી
અરવલ્લીઃ મતદાનના દિવસે BJP નેતા પર હુમલાનો મામલો, વધુ 4 આરોપી ઝડપાયા
અરવલ્લીઃ મતદાનના દિવસે BJP નેતા પર હુમલાનો મામલો, વધુ 4 આરોપી ઝડપાયા
જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને
જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને
ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ
ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ
પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ
પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ
રુપાલાના શબ્દોએ ક્ષત્રિય અસ્મિતા પર ઘા કર્યો છેઃ ક્ષત્રિય અગ્રણી
રુપાલાના શબ્દોએ ક્ષત્રિય અસ્મિતા પર ઘા કર્યો છેઃ ક્ષત્રિય અગ્રણી
સંતરામપુરના પરથમપુરમાં બૂથ કેપ્ચરીંગનો Video વાયરલ
સંતરામપુરના પરથમપુરમાં બૂથ કેપ્ચરીંગનો Video વાયરલ
ભાજપ પ્રભાવિત વિસ્તારમાં 2019 કરતા 2024માં મતદાન ઘટ્યુ
ભાજપ પ્રભાવિત વિસ્તારમાં 2019 કરતા 2024માં મતદાન ઘટ્યુ
આદિવાસી વિસ્તારમાં વધુ મતદાન એ જાગૃતિ દર્શાવે છે : સી આર પાટીલ
આદિવાસી વિસ્તારમાં વધુ મતદાન એ જાગૃતિ દર્શાવે છે : સી આર પાટીલ
g clip-path="url(#clip0_868_265)">