AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

નીરવ મોદીને ભારત લાવવાનો રસ્તો સાફ, UKની કોર્ટે અરજી ફગાવી દીધી

7 હજાર કરોડના કૌભાંડના આરોપી ભાગેડુ હીરા વેપારી નીરવ મોદીને ભારતમાં લાવવાનો રસ્તો સાફ થઈ ગયો છે. યુકે હાઈકોર્ટે તેની અપીલ ફગાવી દીધી છે. નીરવ મોદીએ અપીલ કરી હતી કે તેનું પ્રત્યાર્પણ ન કરવામાં આવે. કોર્ટે આ મામલે કહ્યું છે કે નીરવ મોદીનું પ્રત્યાર્પણ કોઈપણ દૃષ્ટિકોણથી અન્યાયી કે દમનકારી નહીં હોય.

નીરવ મોદીને ભારત લાવવાનો રસ્તો સાફ, UKની કોર્ટે અરજી ફગાવી દીધી
Nirav Modi
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 09, 2022 | 5:11 PM
Share

તમને જણાવી દઈએ કે નીરવ મોદીએ પંજાબ નેશનલ બેંક સાથે 7,000 કરોડ રૂપિયાની છેતરપિંડી કરી હતી. જે બાદ તે વિદેશ ભાગી ગયો હતો. ભારત સરકાર હાલમાં લંડનની જેલમાં બંધ નીરવ મોદીને વહેલી તકે પરત લાવવાનો પ્રયાસ કરી રહી છે. ભારતીય એજન્સીઓએ ભાગેડુ નીરવ મોદીને ભારત લાવવા માટે સરકારી અને કાયદાકીય સ્તરે અપીલ દાખલ કરી હતી. આ અપીલમાં કહેવામાં આવ્યું હતું કે નીરવ મોદીએ ભારતની બેંકિંગ સિસ્ટમ સાથે છેતરપિંડી કરી છે. તેથી તેને કાનૂની પ્રક્રિયા માટે ભારતીય એજન્સીઓને સોંપવામાં આવે.

નીરવ મોદીએ આ અપીલના વિરોધમાં અને પોતાના બચાવમાં ઘણી દલીલો રજૂ કરી હતી. એવા અહેવાલો હતા કે નીરવ મોદી ભારતીય કાયદાનો સામનો કરવા માટે તૈયાર છે, પરંતુ તે ઇચ્છતો ન હતો કે તેને ભારતીય એજન્સીઓને સોંપવામાં આવે. જ્યારે નીચલી કોર્ટે નીરવ મોદીને ભારતને સોંપવાનો નિર્ણય આપ્યો ત્યારે નીરવ હાઈકોર્ટમાં ગયો. હવે હાઈકોર્ટે પણ તેની અરજી ફગાવી દીધી છે.

નીરવ મોદીએ બચાવ માટે શું કહ્યું?

નીરવ મોદીએ પોતાની અરજીમાં કહ્યું હતું કે ભારતમાં જેલોની હાલત ખૂબ જ ખરાબ છે અને તેના જીવને ખતરો હોઈ શકે છે. તેના જવાબમાં ભારતીય એજન્સીઓએ લંડનની કોર્ટને આ અંગે વિસ્તૃત માહિતી આપી હતી અને કહ્યું હતું કે નીરવ મોદી ટાળવા માટે આવું કહી રહ્યો છે. હવે હાઈકોર્ટે નીરવ મોદીની અપીલ ફગાવી દીધી છે અને કહ્યું છે કે તેને ભારતને સોંપવાનો નિર્ણય ન તો અયોગ્ય છે અને ન તો કોઈ દબાણ હેઠળ લેવામાં આવી રહ્યો છે.

પેટલાદ, બોરસદ, ખંભાત નગરપાલિકાને GPCBએ ફટકારી નોટિસ
પેટલાદ, બોરસદ, ખંભાત નગરપાલિકાને GPCBએ ફટકારી નોટિસ
અમદાવાદમાં 35 સ્થળો પર ITનું સર્ચ ઓપરેશન
અમદાવાદમાં 35 સ્થળો પર ITનું સર્ચ ઓપરેશન
રાજકોટના જસદણમાં બાળકી સાથે દુષ્કર્મ મામલે એક આરોપીની ધરપકડ
રાજકોટના જસદણમાં બાળકી સાથે દુષ્કર્મ મામલે એક આરોપીની ધરપકડ
દાહોદમાં એક જ પરિવારના 5 ભાઈના મકાનમાં લાગી આગ
દાહોદમાં એક જ પરિવારના 5 ભાઈના મકાનમાં લાગી આગ
ગુજરાતી પ્રવાસીઓની બસને રાજસ્થાનમાં નડ્યો અકસ્માત, 3ના મોત, 28ને ઈજા
ગુજરાતી પ્રવાસીઓની બસને રાજસ્થાનમાં નડ્યો અકસ્માત, 3ના મોત, 28ને ઈજા
રાજ ટેકસટાઇલ માર્કેટમાં લાગી ભીષણ આગ, 15થી વધુ ગાડી ઘટના સ્થળે
રાજ ટેકસટાઇલ માર્કેટમાં લાગી ભીષણ આગ, 15થી વધુ ગાડી ઘટના સ્થળે
ગુજરાતમાં મિશ્ર ઋતુનો માર ! ગરમી,ઠંડી સાથે માવઠાની આગાહી
ગુજરાતમાં મિશ્ર ઋતુનો માર ! ગરમી,ઠંડી સાથે માવઠાની આગાહી
આજે આ રાશિના જાતકોને ભાગ્યનો સાથ: સુખ-સમૃદ્ધિનો સૂરજ ઊગશે
આજે આ રાશિના જાતકોને ભાગ્યનો સાથ: સુખ-સમૃદ્ધિનો સૂરજ ઊગશે
રાજ્યના અનેક જિલ્લામાં પૂરતુ ખાતર ન મળતા ધરતીપુત્રો પરેશાન
રાજ્યના અનેક જિલ્લામાં પૂરતુ ખાતર ન મળતા ધરતીપુત્રો પરેશાન
ભાવનગરની ગેંગે દ્વારા દેશભરમાં ચાલતું મોટું સાયબર ફ્રોડ રેકેટ ઝડપાયું!
ભાવનગરની ગેંગે દ્વારા દેશભરમાં ચાલતું મોટું સાયબર ફ્રોડ રેકેટ ઝડપાયું!
g clip-path="url(#clip0_868_265)">