AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

નીરવ મોદીને ભારત લાવવાનો રસ્તો સાફ, UKની કોર્ટે અરજી ફગાવી દીધી

7 હજાર કરોડના કૌભાંડના આરોપી ભાગેડુ હીરા વેપારી નીરવ મોદીને ભારતમાં લાવવાનો રસ્તો સાફ થઈ ગયો છે. યુકે હાઈકોર્ટે તેની અપીલ ફગાવી દીધી છે. નીરવ મોદીએ અપીલ કરી હતી કે તેનું પ્રત્યાર્પણ ન કરવામાં આવે. કોર્ટે આ મામલે કહ્યું છે કે નીરવ મોદીનું પ્રત્યાર્પણ કોઈપણ દૃષ્ટિકોણથી અન્યાયી કે દમનકારી નહીં હોય.

નીરવ મોદીને ભારત લાવવાનો રસ્તો સાફ, UKની કોર્ટે અરજી ફગાવી દીધી
Nirav Modi
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 09, 2022 | 5:11 PM
Share

તમને જણાવી દઈએ કે નીરવ મોદીએ પંજાબ નેશનલ બેંક સાથે 7,000 કરોડ રૂપિયાની છેતરપિંડી કરી હતી. જે બાદ તે વિદેશ ભાગી ગયો હતો. ભારત સરકાર હાલમાં લંડનની જેલમાં બંધ નીરવ મોદીને વહેલી તકે પરત લાવવાનો પ્રયાસ કરી રહી છે. ભારતીય એજન્સીઓએ ભાગેડુ નીરવ મોદીને ભારત લાવવા માટે સરકારી અને કાયદાકીય સ્તરે અપીલ દાખલ કરી હતી. આ અપીલમાં કહેવામાં આવ્યું હતું કે નીરવ મોદીએ ભારતની બેંકિંગ સિસ્ટમ સાથે છેતરપિંડી કરી છે. તેથી તેને કાનૂની પ્રક્રિયા માટે ભારતીય એજન્સીઓને સોંપવામાં આવે.

નીરવ મોદીએ આ અપીલના વિરોધમાં અને પોતાના બચાવમાં ઘણી દલીલો રજૂ કરી હતી. એવા અહેવાલો હતા કે નીરવ મોદી ભારતીય કાયદાનો સામનો કરવા માટે તૈયાર છે, પરંતુ તે ઇચ્છતો ન હતો કે તેને ભારતીય એજન્સીઓને સોંપવામાં આવે. જ્યારે નીચલી કોર્ટે નીરવ મોદીને ભારતને સોંપવાનો નિર્ણય આપ્યો ત્યારે નીરવ હાઈકોર્ટમાં ગયો. હવે હાઈકોર્ટે પણ તેની અરજી ફગાવી દીધી છે.

નીરવ મોદીએ બચાવ માટે શું કહ્યું?

નીરવ મોદીએ પોતાની અરજીમાં કહ્યું હતું કે ભારતમાં જેલોની હાલત ખૂબ જ ખરાબ છે અને તેના જીવને ખતરો હોઈ શકે છે. તેના જવાબમાં ભારતીય એજન્સીઓએ લંડનની કોર્ટને આ અંગે વિસ્તૃત માહિતી આપી હતી અને કહ્યું હતું કે નીરવ મોદી ટાળવા માટે આવું કહી રહ્યો છે. હવે હાઈકોર્ટે નીરવ મોદીની અપીલ ફગાવી દીધી છે અને કહ્યું છે કે તેને ભારતને સોંપવાનો નિર્ણય ન તો અયોગ્ય છે અને ન તો કોઈ દબાણ હેઠળ લેવામાં આવી રહ્યો છે.

મોરારીબાપુએ તલગાજરડા થી સાળંગપુરના નવા રૂટની ST બસનો કરાવ્યો પ્રારંભ
મોરારીબાપુએ તલગાજરડા થી સાળંગપુરના નવા રૂટની ST બસનો કરાવ્યો પ્રારંભ
મોદીના ભગીરથ પાટીલ, પાણી, અને પડકારની વાતો જાણો
મોદીના ભગીરથ પાટીલ, પાણી, અને પડકારની વાતો જાણો
આંતરધર્મીય લગ્ન મુદ્દે હોબાળો! યુવતીને વકીલના વેશમાં કોર્ટમાં લવાઈ
આંતરધર્મીય લગ્ન મુદ્દે હોબાળો! યુવતીને વકીલના વેશમાં કોર્ટમાં લવાઈ
થિંક ફેસ્ટ મંચ પર હર્ષ સંઘવીએ લવ જેહાદ અને સોમનાથ પર કરી વાત
થિંક ફેસ્ટ મંચ પર હર્ષ સંઘવીએ લવ જેહાદ અને સોમનાથ પર કરી વાત
ઈરાન-ઈઝરાયલના યુદ્ધમાં દિવના યુવાને જીવ ગુમાવ્યો
ઈરાન-ઈઝરાયલના યુદ્ધમાં દિવના યુવાને જીવ ગુમાવ્યો
અમદાવાદમાંથી રૂ.89 લાખના કિંમતની જૂની ચલણી નોટ ઝડપાઈ
અમદાવાદમાંથી રૂ.89 લાખના કિંમતની જૂની ચલણી નોટ ઝડપાઈ
ઉનાળાની આકરી ગરમી માટે રહેજો તૈયાર, હવામાન વિભાગે કરી આગાહી
ઉનાળાની આકરી ગરમી માટે રહેજો તૈયાર, હવામાન વિભાગે કરી આગાહી
વિવાદમાં ઘેરાયેલી કીર્તિ પટેલનો યુ-ટર્ન? ગુરુની હાજરીમાં લીધો વળાંક
વિવાદમાં ઘેરાયેલી કીર્તિ પટેલનો યુ-ટર્ન? ગુરુની હાજરીમાં લીધો વળાંક
વેપારીઓ માટે આજનો દિવસ સારો છે, તમે કોઈ તીર્થસ્થળની યાત્રા કરશો
વેપારીઓ માટે આજનો દિવસ સારો છે, તમે કોઈ તીર્થસ્થળની યાત્રા કરશો
તેલના ખેલમાં ઈરાનનો 'માસ્ટરસ્ટ્રોક'
તેલના ખેલમાં ઈરાનનો 'માસ્ટરસ્ટ્રોક'
g clip-path="url(#clip0_868_265)">