બાળ લગ્ન અને સતી પ્રથા પર બોલ્યા RSS નેતા, ઇસ્લામિક આક્રમણને કારણે આવ્યા આ દુષણો

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વરિષ્ઠ કાર્યકર્તા કૃષ્ણ ગોપાલે એક કાર્યક્રમમાં જણાવ્યું હતું કે દેશમાં ઇસ્લામિક આક્રમણને કારણે બાળ લગ્ન અને સતી પ્રથા જેવી દુષણો આવી છે. તેમણે કહ્યું કે ઈસ્લામિક આક્રમણ બાદ મહિલાઓએ અભ્યાસ કરવાનું બંધ કરી દીધું હતું. સમાજે તેમની સુરક્ષાને લઈને ઘણા નિયંત્રણો પણ લાદ્યા હતા.

બાળ લગ્ન અને સતી પ્રથા પર બોલ્યા RSS નેતા, ઇસ્લામિક આક્રમણને કારણે આવ્યા આ દુષણો
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 04, 2023 | 11:52 AM

New Delhi: રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના એક વરિષ્ઠ નેતાએ બાળ લગ્ન અને સતી પ્રથા પર મોટું નિવેદન આપ્યું છે. આરએસએસના વરિષ્ઠ કાર્યકર્તા કૃષ્ણ ગોપાલે જણાવ્યું હતું કે ઇસ્લામિક આક્રમણને કારણે ભારતીય સમાજમાં સતી પ્રથા, બાળલગ્ન પર પ્રતિબંધ અને વિધવા પુનઃવિવાહ જેવી સામાજિક દુષણો ઊભા થયા હતા. તેમણે કહ્યું કે આના દ્વારા ભારતીય સમાજમાં મહિલાઓ પર અત્યાચાર થતો હતો.

આ પણ વાંચો: Sanatan Dharma : સનાતન પર રાજકીય તોફાન, ઉદયનિધિ પોતાના નિવેદન પર અડગ, હિમંતા સરમાએ કોંગ્રેસની મૂંઝવણ વધારી?

દિલ્હી યુનિવર્સિટીમાં આયોજિત ‘નારી શક્તિ સંગમ’ નામના એક કાર્યક્રમને સંબોધતા આરએસએસના નેતા કૃષ્ણ ગોપાલે કહ્યું કે મધ્યયુગીન કાળમાં મહિલાઓ અને છોકરીઓને આક્રમણકારોથી બચાવવા માટે તેમના પર અનેક પ્રકારના પ્રતિબંધો લગાવવામાં આવ્યા હતા. તેમણે કહ્યું કે મધ્યકાલીન સમયગાળો ખૂબ જ મુશ્કેલ સમય હતો.

શું ભારત કોમનવેલ્થ ગેમ્સ 2026માં ભાગ નહીં લે?
શરીરમાં આયર્નની કમી હોય તો કેવા લક્ષણો જોવા મળે ?
સરફરાઝ ખાન બન્યો પિતા, જુઓ ફોટો
રોજ સવારે 1 કાચું આમળું ખાવાથી જાણો શું થાય છે?
માત્ર 20 રૂપિયામાં તમને મળશે સોના જેવો નિખાર, સ્કીન માટે વરદાન છે આ વસ્તુ
ગુલાબના છોડમાં નાખી દો આ વસ્તુ, ફુલોનો થશે ઢગલો

મહિલાઓનું અપહરણ કરીને બજારોમાં વેચવામાં આવતી હતી: RSS નેતા

કૃષ્ણ ગોપાલે કહ્યું કે મધ્યકાલીન સમયગાળા દરમિયાન સમગ્ર ભારત તાબેદારી સાથે સંઘર્ષ કરી રહ્યું હતું. મંદિરોમાં તોડફોડ કરવામાં આવી હતી અને મંદિરો તોડવામાં આવ્યા હતા. મોટી યુનિવર્સિટીઓ નાશ પામી અને મહિલાઓના જીવન જોખમમાં મુકાયા. આરએસએસના નેતાએ કહ્યું કે દુનિયાભરમાં લાખો મહિલાઓનું અપહરણ કરીને તેને માર્કેટમાં વેચવામાં આવી હતી.

મહિલાઓએ ગુરુકુળો અને શાળાઓમાં જવાનું બંધ કર્યું: RSS નેતા

કૃષ્ણ ગોપાલે વધુમાં જણાવ્યું હતું કે મોહમ્મદ ગૌરી હોય, અહમદ શાહ અબ્દાલી હોય કે મહમૂદ ગઝની હોય, આ બધાએ દેશમાંથી મહિલાઓને લઈ જઈને દુનિયાના બજારોમાં વેચી દીધી હતી. એ યુગ ભારે અપમાનનો યુગ હતો. આ પછી, મહિલાઓ અને છોકરીઓની સુરક્ષા માટે, સમાજે તેમના પર ઘણા પ્રકારના પ્રતિબંધો લગાવ્યા હતા. પરિણામ એ આવ્યું કે સ્ત્રીઓ અભણ બની ગઈ. તેણે ગુરુકુળો અને શાળાઓમાં જવાનું બંધ કરી દીધું હતું.

તમિલનાડુથી શરૂ થયો વિવાદ સમગ્ર દેશમાં ફેલાણો

તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિનના પુત્ર અને સરકારના મંત્રી ઉદયનિધિ સ્ટાલિનના સનાતન પરના નિવેદનથી રાજકીય તાપમાન વધી ગયું છે. તેણે સનાતનને ખતમ કરવાની વાત કરી છે, જે બાદ બીજેપી નેતા અને આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ કહ્યું કે તે તમિલનાડુના મંત્રી ઉદયનિધિ સ્ટાલિનની નિંદા કરવા નથી માંગતા કારણ કે તેણે પોતાની જાતને ખુલ્લી પાડી દીધી છે. આટલું જ નહીં કોંગ્રેસે ઉદયનિધિના નિવેદનથી પોતાને દૂર કરી લીધી છે.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

જુનાગઢમાં મગફળીના તૈયાર પાથરા પર વરસાદી પાણી ફરી વળતા પારાવાર નુકસાન
જુનાગઢમાં મગફળીના તૈયાર પાથરા પર વરસાદી પાણી ફરી વળતા પારાવાર નુકસાન
રાજ્યમાં વરસેલા પાછોતરા વરસાદમાં તૈયાર પાક ધોવાઈ જતા ખેડૂતો થયા પાયમાલ
રાજ્યમાં વરસેલા પાછોતરા વરસાદમાં તૈયાર પાક ધોવાઈ જતા ખેડૂતો થયા પાયમાલ
શાકભાજીના ભાવ આસમાને જતા સામાન્ય માણસનું બજેટ થયુ ડામાડોળ- Video
શાકભાજીના ભાવ આસમાને જતા સામાન્ય માણસનું બજેટ થયુ ડામાડોળ- Video
અમદાવાદમાં એકાએક સાઈન બોર્ડ નીચે પડતા ત્રણ લોકોને આવી ઈજા- જુઓ Video
અમદાવાદમાં એકાએક સાઈન બોર્ડ નીચે પડતા ત્રણ લોકોને આવી ઈજા- જુઓ Video
રાજકોટના ખીરસરા ગામના ખેડૂતોની મહેનત પર ફરી વળ્યા વરસાદી પાણી- Video
રાજકોટના ખીરસરા ગામના ખેડૂતોની મહેનત પર ફરી વળ્યા વરસાદી પાણી- Video
ભાડુઆતની નોંધણીના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા પોલીસે કવાયત હાથ ધરી
ભાડુઆતની નોંધણીના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા પોલીસે કવાયત હાથ ધરી
અમૂલમાં મિલાવટ એટલે નથી કેમ કે તેના કોઇ માલિક નથી - અમિત શાહ
અમૂલમાં મિલાવટ એટલે નથી કેમ કે તેના કોઇ માલિક નથી - અમિત શાહ
ભાયલી દુષ્કર્મ કેસમાં પોલીસે 17 દિવસમાં રજૂ કરી 6 હજાર પાનીની ચાર્જશીટ
ભાયલી દુષ્કર્મ કેસમાં પોલીસે 17 દિવસમાં રજૂ કરી 6 હજાર પાનીની ચાર્જશીટ
Amreli : જાફરાબાદના નવી જીકાદ્રી ગામમાં સિંહણે કર્યો બાળકનો શિકાર
Amreli : જાફરાબાદના નવી જીકાદ્રી ગામમાં સિંહણે કર્યો બાળકનો શિકાર
કાંકરિયા પાસે કોર્પોરેશનનું હોર્ડિંગ પડ્યું, એક પરિવારના 3 લોકો ઘાયલ
કાંકરિયા પાસે કોર્પોરેશનનું હોર્ડિંગ પડ્યું, એક પરિવારના 3 લોકો ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">