આ વર્ષે હાઈકોર્ટમાં 153 જજોની નિમણૂક, નવા CJIની પસંદગીની પ્રક્રિયા પણ ટૂંક સમયમાં શરૂ થશે

દેશના આગામી મુખ્ય ન્યાયાધીશ (CJI)ની નિમણૂકની પ્રક્રિયા પણ આ સપ્તાહમાં અથવા આવતા સપ્તાહની શરૂઆતમાં શરૂ કરવામાં આવશે. આ પ્રક્રિયા હેઠળ, કેન્દ્રીય કાયદા મંત્રાલય 'ભારતના મુખ્ય ન્યાયાધીશ'ને પત્ર લખશે અને તેમના અનુગામીની નિમણૂક કરવા માટે અપીલ કરશે.

આ વર્ષે હાઈકોર્ટમાં 153 જજોની નિમણૂક, નવા CJIની પસંદગીની પ્રક્રિયા પણ ટૂંક સમયમાં શરૂ થશે
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 07, 2022 | 8:38 AM

આ વર્ષે અત્યાર સુધીમાં વિવિધ હાઈકોર્ટ(Highcourt)માં 153 જજોની નિમણૂક કરવામાં આવી છે. આ અંગે માહિતી આપતાં સૂત્રોએ ગુરુવારે જણાવ્યું હતું કે આગામી દિવસોમાં વધુ નિમણૂકો થવાની શક્યતા છે. ગુરુવારે બોમ્બે હાઈકોર્ટ(Bombay High Court)માં 6 વધારાના ન્યાયાધીશોની નિમણૂક કરવામાં આવી હતી. એવી માહિતી છે કે સરકાર ટૂંક સમયમાં બોમ્બે હાઈકોર્ટના ચીફ જસ્ટિસ દીપાંકર દત્તાને સર્વોચ્ચ અદાલત (Supreme Court))માં લાવવા અંગે નિર્ણય લઈ શકે છે. જો દત્તાને સુપ્રીમ કોર્ટમાં લાવવામાં આવે તો સુપ્રીમ કોર્ટમાં જજોની સંખ્યા વધીને 30 થઈ જશે. સુપ્રીમ કોર્ટમાં, ‘ચીફ જસ્ટિસ ઑફ ઈન્ડિયા’ (CJI) સહિત કુલ જજોની 34 જગ્યાઓ મંજૂર છે.

એવી અપેક્ષા રાખવામાં આવે છે કે દેશના આગામી મુખ્ય ન્યાયાધીશ (CJI)ની નિમણૂકની પ્રક્રિયા પણ સરકાર દ્વારા આ અઠવાડિયે અથવા આવતા સપ્તાહની શરૂઆતમાં શરૂ કરવામાં આવશે. આ પ્રક્રિયા હેઠળ, કેન્દ્રીય કાયદા મંત્રાલય ભારતના મુખ્ય ન્યાયાધીશને પત્ર લખશે અને તેમના અનુગામીની નિમણૂક કરવાની અપીલ કરશે. જસ્ટિસ ઉદય ઉમેશ લલિત 8 નવેમ્બરે ચીફ જસ્ટિસ ઑફ ઈન્ડિયા (CJI)ના પદ પરથી નિવૃત્ત થવાના છે. તેમની પાછળ જસ્ટિસ ધનંજય વાય. ચંદ્રચુડ સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ જજ બનશે.

ભારતના મુખ્ય ન્યાયાધીશ સૌથી વરિષ્ઠ ન્યાયાધીશને તેમના અનુગામી તરીકે નિયુક્ત કરે છે. જો આ પરંપરા ચાલુ રહેશે તો જસ્ટિસ ચંદ્રચુડ ભારતના 50મા મુખ્ય ન્યાયાધીશ હશે. નવા CJIની નિમણૂક ન થાય ત્યાં સુધી UU લલિત ચાર્જ સંભાળશે. લલિત ભારતના 49મા CJI છે, તેમનો કાર્યકાળ 74 દિવસનો છે. તેઓ આ વર્ષે 9 નવેમ્બરે 65 વર્ષના થશે ત્યારે નિવૃત્ત થશે. UU લલિત આઝાદ ભારતના ઈતિહાસમાં બીજા CJI છે જેઓ બારમાંથી સીધા સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યા છે.

યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ

તેમના પહેલા, જ્યારે જસ્ટિસ એસએમ સિકરી જાન્યુઆરી 1971માં દેશના 13મા CJI બન્યા, ત્યારે તેઓ પ્રેક્ટિસ દ્વારા સીધા સુપ્રીમ કોર્ટના જજ તરીકે નિયુક્ત થનારા પ્રથમ જજ હતા. સરકારી લો કોલેજ (મુંબઈ)માંથી કાયદાનો અભ્યાસ કરનાર જસ્ટિસ લલિતનો પરિવાર છેલ્લી એક સદીથી કાયદો અને ન્યાયતંત્ર સાથે જોડાયેલો છે. તેમના પિતા બોમ્બે હાઈકોર્ટની નાગપુર બેંચના એડિશનલ જજ રહી ચૂક્યા છે અને સુપ્રીમ કોર્ટમાં સિનિયર એડવોકેટ તરીકે પ્રેક્ટિસ પણ કરી રહ્યા છે. તેમના દાદા રંગનાથ લલિત પણ વકીલાતના વ્યવસાય સાથે જોડાયેલા હતા.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">