AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કારસ્તાન જૂનુ પણ ષડયંત્ર નવું, કાશ્મીર ખીણમાં કાળ ત્રાટકતા આતંકવાદીઓએ જમ્મુને બનાવ્યું નિશાન

ગઈકાલ સોમવારે જમ્મુ ક્ષેત્રના કઠુઆ જિલ્લામાં આતંકવાદીઓએ સૈન્ય કાફલાના વાહન પર ગોળીબાર અને ગ્રેનેડથી હુમલો કર્યો હતો. જેમાં પાંચ જવાન શહીદ થયા છે. જ્યારે અન્ય પાંચ જવાન ઘાયલ થયા છે. આતંકી હુમલો જ્યાં થયો તે વિસ્તાર ઉધમપુર જિલ્લાના બસંતગઢને અડીને આવેલો છે. બસંતગઢ એક સમયે આતંકવાદીઓ માટે પાકિસ્તાનમાંથી કાશ્મીરમાં ઘૂસણખોરીનો માર્ગ હતો.

કારસ્તાન જૂનુ પણ ષડયંત્ર નવું, કાશ્મીર ખીણમાં કાળ ત્રાટકતા આતંકવાદીઓએ જમ્મુને બનાવ્યું નિશાન
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 09, 2024 | 2:25 PM
Share

ગઈકાલ સોમવારે જમ્મુ ક્ષેત્રના કઠુઆ જિલ્લામાં આતંકવાદીઓએ સૈન્ય કાફલાના વાહન પર હુમલો કર્યો હતો. જેમાં એક જુનિયર કમિશન્ડ ઓફિસર (JCO) સહિત પાંચ જવાનો શહીદ થયા હતા. જ્યારે અન્ય પાંચ જવાન ઘાયલ થયા છે. આતંકવાદીઓએ પહેલા સૈન્ય કાફલાના વાહનને ગ્રેનેડથી નિશાન બનાવ્યું હતું. ત્યારબાદ અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. આ વિસ્તાર ઉધમપુર જિલ્લાના બસંતગઢને અડીને આવેલો છે.

આતંકવાદનું આશ્રયસ્થાન પાકિસ્તાન જમ્મુ-કાશ્મીરને આતંકિત કરવાના કાવતરાઓ રચવાથી દૂર રહેતુ નથી. છેલ્લા એક દાયકામાં કાશ્મીર ખીણ પ્રદેશમાં પાકિસ્તાન પ્રાયોજિત આતંકવાદને ભારતીય સુરક્ષા એજન્સીઓએ તેમની જ ભાષામાં વળતો જવાબ આપ્યો છે. ત્યારે હવે સ્થિતિ એવી છે કે કાશ્મીર ખીણ પ્રદેશના યુવાનો આતંકવાદ છોડીને મુખ્ય પ્રવાહમાં પાછા આવી રહ્યા છે. સુરક્ષા દળો ઉપર રોજબરોજ થતા પથ્થરમારાના દિવસો હવે પૂરા થઈ ગયા છે.

હવે કોઈ અલગતાવાદી અવાજ, કાશ્મીર બંધનું એલાન કરવાની હિંમત કરી શકતો નથી. આ બધી એવી બાબતો છે, જે પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISI અને આતંકવાદી સંગઠનને સહેલાઈથી પચાવી શકતુ નથી. તેથી જ હવે આતંકી સંગઠનોએ જમ્મુ ક્ષેત્રને નિશાન બનાવી રહ્યા છે. તાજેતરના ભૂતકાળના આતંકવાદી હુમલાઓ પણ ક્યાંક ને ક્યાંક આ તરફ ઈશારો કરે છે.

આ માર્ગોથી આતંકવાદીઓ ઘૂસણખોરી કરતા હતા

વર્ષ 2000 ની આસપાસ, પાકિસ્તાનમાંથી ભારતમાં ઘૂસવા માટે આતંકવાદીઓ રાજૌરી જિલ્લામાં કરકુંડી, કેરી, લામ, તંગાગલી, ભીર ભાડેસર, ઝાંગઢ, મેનકા મહાદેવ, સુંદરબની અને કાલાકોટ વિસ્તારોમાંથી ઘૂસણખોરી કરતા હતા. આતંકવાદીઓ કાલાકોટ, બુધલ વિસ્તારના સમોટ અને કાલાકોટ થઈને રિયાસી પહોંચતા હતા. પુંછ જિલ્લામાં આતંકવાદીઓ દ્વારા બાલાકોટ, રોશની પોસ્ટ, બનલોઈ, કૃષ્ણા ઘાટી, શાહપુર, સબઝિયન અને કુતરિયાન માર્ગોનો ઉપયોગ કરતા આવ્યા છે.

ઘૂસણખોરીની સાથે સાથે આતંકવાદીઓએ હુમલા પણ કર્યા હતા. ધૂસણખોરી માટે ઉધમપુર અને કઠુઆ વચ્ચેનો બસંતગઢ માર્ગ પણ આતંકવાદીઓની યાદીમાં હતો. વર્ષ 2000માં આતંકવાદીઓએ કાશ્મીરમાં ધૂસવા માટે આ માર્ગોનો વધુ ઉપયોગ કર્યો હતો. આશ્ચર્યની વાત એ છે કે આતંકવાદીઓ ખુલ્લેઆમ લગ્નોમાં હાજરી આપતા હતા. 2005 પછી સેનાની તકેદારીના કારણે આ માર્ગો ધૂસણખોરી માટે બંધ કરી દેવામાં આવ્યા હતા. હવે ફરી એકવાર આતંકવાદીઓ જમ્મુ ક્ષેત્રમાં હુમલાની યોજના બનાવી રહ્યા છે. આ વર્ષે અત્યાર સુધીમાં બનેલી આતંકવાદી ઘટનાઓથી પણ તેની પુષ્ટિ થાય છે.

IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">