Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સરહદ પર આતંકવાદી ષડયંત્ર: BSFએ જમ્મુ-કાશ્મીરમાં વધારી સુરક્ષા, ઘૂસણખોરીને લઈને સુરક્ષા દળ એલર્ટ

સરહદ પર હિમવર્ષા વચ્ચે પ્રજાસત્તાક દિવસ પહેલા આતંકવાદીઓ ઘૂસણખોરીનો પ્રયાસ કરી રહ્યા છે. તેને નિષ્ફળ બનાવવા માટે BSF સંપૂર્ણ રીતે સતર્ક છે.

સરહદ પર આતંકવાદી ષડયંત્ર: BSFએ જમ્મુ-કાશ્મીરમાં વધારી સુરક્ષા, ઘૂસણખોરીને લઈને સુરક્ષા દળ એલર્ટ
BSF JAWAN (File Image)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 21, 2022 | 10:00 PM

પ્રજાસત્તાક દિવસ (Republic Day) પહેલા આતંકી પુલવામા જેવી મોટી ઘટનાનું પુનરાવર્તન કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. ત્યારે ભારતીય જવાનોએ આતંકવાદી ષડયંત્રને નિષ્ફળ બનાવવા માટે કમર કસી છે. બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF) એ પ્રજાસત્તાક દિવસની ઉજવણી પહેલા સરહદ પર સતર્કતા વધારી દીધી છે. ઘૂસણખોરીના પ્રયાસો અને આતંકવાદી યોજનાઓને નિષ્ફળ બનાવવા માટે BSFએ તેની શિયાળાની વ્યૂહરચનાના ભાગરૂપે જમ્મુ અને કાશ્મીરમાં આંતરરાષ્ટ્રીય સરહદ પર ધુમ્મસ વિરોધી સર્વેલન્સ સાધનો સાથે વધારાના સૈનિકો તૈનાત કર્યા છે.

અધિકારીઓએ જણાવ્યું કે જમ્મુ અને કાશ્મીરમાં 200 કિલોમીટર લાંબી આંતરરાષ્ટ્રીય સરહદ (IB) ની રક્ષા કરી રહેલા BSFના જવાનોને ઘૂસણખોરી કરનારા આતંકવાદીઓ સામે એલર્ટ પર રાખવામાં આવ્યા છે. એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે અમે સરહદ પર સૈનિકો તૈનાત કર્યા છે. ધુમ્મસભર્યા વાતાવરણ અને પ્રજાસત્તાક દિવસની ઉજવણીને ધ્યાનમાં રાખીને આંતરરાષ્ટ્રીય સરહદ પર સર્વેલન્સ સાધનો સાથે વધારાની ટુકડીઓ તૈનાત કરવામાં આવી છે.

અધિકારીએ કહ્યું કે બોર્ડર પર ઓપરેશન તેજ કરવામાં આવ્યું છે. રાત્રિના સમયે પણ તકેદારી વધારી દેવામાં આવી છે. જેના કારણે શિયાળાના ગાઢ ધુમ્મસ વચ્ચે આતંકવાદીઓ પોતાના મનસૂબામાં સફળ ન થઈ શકે. ઘૂસણખોરી માટે ધુમ્મસનો ઉપયોગ કરીને આતંકવાદીઓ તરફ ઈશારો કરતા અધિકારીઓએ કહ્યું કે શિયાળાની વ્યૂહરચનાના ભાગ રૂપે સુરક્ષા વ્યવસ્થા સઘન કરવામાં આવી છે.

વિનોદ કાંબલીને હવે દર મહિને આટલા પૈસા મળશે
AC Tips : અચાનક ઓછું થઈ ગયું છે AC નું કૂલિંગ? હોઈ શકે છે આ 5 મોટા કારણ
શું મૃત્યુનો સમય અને સ્થળ અગાઉથી નક્કી હોય છે? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
IPL 2025 ના 'સુપરમેન', તેમનાથી બચવું મુશ્કેલ છે !
મનપસંદ જીવનસાથીને કેવી રીતે મેળવવો ? પ્રેમાનંદ મહારાજે આપ્યો જવાબ
સાસુ અને વહુ વચ્ચે ઝગડો શા માટે થાય છે? બાબા બાગેશ્વરે જણાવ્યું કારણ

તેમણે કહ્યું કે સૈનિકોએ ઉઝ, બંસંતાર અને ચિનાબ નદીના વિસ્તારોમાં તમામ જગ્યાઓ ભરી દીધી છે. પ્રજાસત્તાક દિવસની ઉજવણીને ધ્યાનમાં રાખીને આંતરરાષ્ટ્રીય સરહદે સુરક્ષા સઘન બનાવવાના પગલા લેવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે પોલીસે સરહદ તરફ જતા રસ્તાઓ પર અનેક ચોકીઓ પણ લગાવી છે.

આતંકવાદીઓ પુલવામા હુમલાનું પુનરાવર્તન કરવાનો પ્રયાસ કરી રહ્યા છે

26 જાન્યુઆરી પહેલા કાશ્મીરમાં પુલવામા જેવા હુમલાનું પુનરાવર્તન કરવાનું ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે. આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના આતંકીઓ આ પ્રયાસ કરી રહ્યા છે. મળતી માહિતી મુજબ, ત્રણ આતંકવાદીઓની ટીમ પુલવામામાં ઘૂસણખોરીની તૈયારી કરી રહી છે. ગુપ્તચર એજન્સીઓએ પોલીસ અને સેના સહિત તમામ સુરક્ષા દળોને એલર્ટ કરી દીધા છે. પ્રજાસત્તાક દિવસ પહેલા આતંકવાદીઓ કાશ્મીરમાં વાતાવરણ બગાડવાનો પ્રયાસ કરી રહ્યા છે.

સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ આતંકવાદીઓ જમ્મુ, સાંબા અને કઠુઆમાં સૈન્ય કેમ્પ અને અન્ય સુરક્ષા એજન્સીઓના અડ્ડા પર હુમલો કરી શકે છે. આ આતંકવાદીઓ આંતરરાષ્ટ્રીય સરહદ સાંબા અને કઠુઆથી ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. થોડા દિવસો પહેલા બીએસએફના આઈજીએ પણ કહ્યું હતું કે સરહદ પર આતંકવાદીઓની 4 ટીમો સક્રિય છે, જે 26 જાન્યુઆરી પહેલા કોઈ મોટો હુમલો કરવાની તૈયારીમાં છે. પરંતુ આતંકવાદીઓની ઘૂસણખોરી રોકવા માટે ભારતીય જવાન સરહદ પર સંપૂર્ણ એલર્ટ મોડમાં છે.

આ પણ વાંચો :  Punjab Election: ભાજપે પંજાબ વિધાનસભા ચૂંટણી માટે 34 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી

વરસાદી ઝાપટાને કારણે રહેવાસીઓમાં હાશકારો
વરસાદી ઝાપટાને કારણે રહેવાસીઓમાં હાશકારો
ગોધરામાં ટાયરના ભંગારના ગોડાઉનમાં લાગી વિકરાળ આગ, જુઓ વીડિયો
ગોધરામાં ટાયરના ભંગારના ગોડાઉનમાં લાગી વિકરાળ આગ, જુઓ વીડિયો
સંગઠનમાં દેશવ્યાપી આમૂલ ફેરફારની કોંગ્રેસે ગુજરાતથી કરી શરૂઆત
સંગઠનમાં દેશવ્યાપી આમૂલ ફેરફારની કોંગ્રેસે ગુજરાતથી કરી શરૂઆત
ભેજાબાજોએ RUDAના નકશા બારોબાર ઉમેર્યા 24 ગામ, જાણો સંપૂર્ણ ઘટના
ભેજાબાજોએ RUDAના નકશા બારોબાર ઉમેર્યા 24 ગામ, જાણો સંપૂર્ણ ઘટના
અકસ્માતમાં મદદ કરવા આવેલા લોકો પર ટ્રક પલટી, CCTV આવ્યા સામે
અકસ્માતમાં મદદ કરવા આવેલા લોકો પર ટ્રક પલટી, CCTV આવ્યા સામે
સિયાપુરામાં બે જૂથ વચ્ચે અથડામણ, ટોળાએ બેથી વધુ બાઈકને સળગાવ્યા
સિયાપુરામાં બે જૂથ વચ્ચે અથડામણ, ટોળાએ બેથી વધુ બાઈકને સળગાવ્યા
આ રાશિના જાતકોને આજે નોકરીમાં લાભના સંકેત, જાણો આજનું રાશિફળ
આ રાશિના જાતકોને આજે નોકરીમાં લાભના સંકેત, જાણો આજનું રાશિફળ
Junagadh : પોલીસે MD ડ્રગ્સના મુદ્દામાલ સાથે એક આરોપીની કરી ધરપકડ
Junagadh : પોલીસે MD ડ્રગ્સના મુદ્દામાલ સાથે એક આરોપીની કરી ધરપકડ
ગુજરાતમાં હીટવેવ ફરી મચાવશે હાહાકાર ! જાણો તમારા જિલ્લાઓનું હવામાન
ગુજરાતમાં હીટવેવ ફરી મચાવશે હાહાકાર ! જાણો તમારા જિલ્લાઓનું હવામાન
અંકલેશ્વરના પાનોલીની કેમિકલ કંપનીમાં લાગેલી આગ અન્ય કંપનીમાં પણ ફેલાઈ
અંકલેશ્વરના પાનોલીની કેમિકલ કંપનીમાં લાગેલી આગ અન્ય કંપનીમાં પણ ફેલાઈ
g clip-path="url(#clip0_868_265)">