ઉત્તરાખંડ ટનલમાં 8 દિવસથી ફસાયેલા કામદારોને બચાવવા થાઈલેન્ડથી આવશે ટીમ, જાણો શું છે સરકારની તૈયારી

ઉત્તરાખંડમાં ફસાયેલા કામદારોની બચાવ કામગીરી સતત ચાલી રહી છે. 24 મીટર ડ્રિલિંગ બાદ બચાવ કાર્ય બંધ થઈ ગયું છે. કેટલીક સમસ્યાઓના કારણે સમયાંતરે બચાવ કામગીરી અટકાવવી પડે છે. રાજ્યથી લઈને કેન્દ્ર સરકાર દ્વારા બચાવ કાર્ય પર નજર રાખવામાં આવી રહી છે.શ્રમિકોને બહાર કાઢવા માટે બચાવ ટીમો તૈનાત છે. આજે આ અકસ્માતને 8 દિવસ થઈ ગયા છે.

ઉત્તરાખંડ ટનલમાં 8 દિવસથી ફસાયેલા કામદારોને બચાવવા થાઈલેન્ડથી આવશે ટીમ, જાણો શું છે સરકારની તૈયારી
workers trapped in Uttarakhand tunnel
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 20, 2023 | 11:07 AM

ઉત્તરકાશી જિલ્લાના સિલ્ક્યારામાં રવિવારે થયેલી ટનલ દુર્ઘટનામાં 41 મજૂરોના જીવ જોખમમાં છે. કામદારોને બહાર કાઢવા માટે તમામ શક્ય પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. છેલ્લા 8 દિવસથી કામદારોને બચાવવાની કામગીરી ચાલી રહી છે. ત્યારે હવે બચાવની કોઈ જરૂર જણાય તો નોર્વે અને થાઈલેન્ડના નિષ્ણાતોની ટીમને ભારત બોલાવવામાં આવી શકે છે. કેન્દ્ર સરકાર આ માટે સંપૂર્ણ રીતે તૈયાર છે.

તમને જણાવી દઈએ તો આ અગાઉ અંડર-16 ફૂટબોલ જુનિયર ટીમના 17 ખેલાડીઓ થાઈલેન્ડમાં એક સુરંગમાં ફસાઈ ગયા હતા. 2018માં થાઈલેન્ડ અને નોર્વેની રેસ્ક્યુ ટીમ દ્વારા તેમને ટનલમાંથી બહાર કાઢ્યા હતા.

થાઈલેન્ડના નિષ્ણાતોની ટીમને ભારત આવી શકે

ઉત્તરાખંડમાં ફસાયેલા કામદારોની બચાવ કામગીરી સતત ચાલી રહી છે. 24 મીટર ડ્રિલિંગ બાદ બચાવ કાર્ય બંધ થઈ ગયું છે. કેટલીક સમસ્યાઓના કારણે સમયાંતરે બચાવ કામગીરી અટકાવવી પડે છે. રાજ્યથી લઈને કેન્દ્ર સરકાર દ્વારા બચાવ કાર્ય પર નજર રાખવામાં આવી રહી છે. શ્રમિકોને બહાર કાઢવા માટે બચાવ ટીમો તૈનાત છે. આજે આ અકસ્માતને 8 દિવસ થઈ ગયા છે. કામદારોને ખોરાક પાણી પણ પાઈપલાઈન દ્વારા આપવામાં આવી રહ્યા છે.

સરફરાઝ ખાન બન્યો પિતા, જુઓ ફોટો
રોજ સવારે 1 કાચું આમળું ખાવાથી જાણો શું થાય છે?
માત્ર 20 રૂપિયામાં તમને મળશે સોના જેવો નિખાર, સ્કીન માટે વરદાન છે આ વસ્તુ
ગુલાબના છોડમાં નાખી દો આ વસ્તુ, ફુલોનો થશે ઢગલો
Lawrence : લેટિન ભાષાનો શબ્દ છે લોરેન્સ, આ નામનો અર્થ શું થાય?
દિવાળી પર ગૃહિણીઓ આ કાર્યો દ્વારા કમાઈ શકો છો હજારો રુપિયા

પીએમ મોદીએ સીએમ ધામી પાસેથી લીધી જાણકારી

આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી સાથે ફોન પર વાત કરી અને ઉત્તરકાશીના સિલ્ક્યારા ટનલમાં ચાલી રહેલા બચાવ અભિયાનની માહિતી લીધી હતી. પીએમ મોદીએ સુરંગમાં ફસાયેલા કામદારોને સુરક્ષિત રીતે બહાર કાઢવા માટે કરવામાં આવી રહેલા પ્રયાસો તેમજ કેન્દ્ર સરકાર દ્વારા મોકલવામાં આવેલા જરૂરી બચાવ સાધનો અને સંસાધનોની માહિતી લીધી હતી. આ દુર્ઘટના બાદ પીએમ મોદીએ સીએમ ધામીને ત્રણ વખત ફોન કરીને બચાવ કામગીરીની જાણકારી મેળવી હતી.

41 કામદારો ટનલમાં

આજે રવિવારે ઘટનાનો 8મો દિવસ શરૂ થયો છે પરંતુ અત્યાર સુધીમાં 41 લોકો જીવન-મરણ વચ્ચેની લડાઈ લડી રહ્યા છે. હવે લોકોને એક જ સવાલ છે કે સુરંગમાં ફસાયેલા મજૂરોને ક્યારે બહાર કાઢવામાં આવશે. આનો જવાબ કોઈની પાસે નથી. મશીનમાં ખામી સર્જાતા બચાવ કામગીરી બંધ કરી 2 દિવસ થયા છે. ઈન્દોરથી એરલિફ્ટ કરવામાં આવેલ મશીન લગાવવામાં આવ્યું છે. હવે ટૂંક સમયમાં ફરીથી બચાવ કાર્ય શરૂ કરવામાં આવશે. પીએમઓએ કહ્યું કે અન્ય બચાવ યોજનાઓ પણ અમલમાં આવી રહી છે, જેમાં બરકોટ સાઇટ પર રેસ્ક્યૂ, વર્ટિકલ વે એટલે કે પર્વતની ટોચ પર અને લંબ માર્ગનો સમાવેશ થાય છે.

પીએમથી લઈને રાજ્યના સીએમ સુધી, દરેક આ બચાવને લઈને ચિંતિત છે, અને અધિકારીઓ પાસેથી ક્ષણ-ક્ષણ અપડેટ લઈ રહ્યા છે. કેન્દ્ર અને રાજ્ય બચાવ માટે જે પણ સાધનોની જરૂર પડશે તે આપવા માટે હંમેશા તૈયાર છે. સુરંગની અંદર પહેલાથી જ ફસાયેલા કામદારોને ખાદ્ય સામગ્રી મોકલવામાં આવી રહી છે. ખાદ્યપદાર્થો વધુ મોકલી શકાય તે માટે 6 ઇંચની પાઇપ પણ નાખવામાં આવી રહી છે. આ પાઇપ 35 મીટર સુધી ડ્રિલ કરવામાં આવી છે.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

ભાડુઆતની નોંધણીના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા પોલીસે કવાયત હાથ ધરી
ભાડુઆતની નોંધણીના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા પોલીસે કવાયત હાથ ધરી
અમૂલમાં મિલાવટ એટલે નથી કેમ કે તેના કોઇ માલિક નથી - અમિત શાહ
અમૂલમાં મિલાવટ એટલે નથી કેમ કે તેના કોઇ માલિક નથી - અમિત શાહ
ભાયલી દુષ્કર્મ કેસમાં પોલીસે 17 દિવસમાં રજૂ કરી 6 હજાર પાનીની ચાર્જશીટ
ભાયલી દુષ્કર્મ કેસમાં પોલીસે 17 દિવસમાં રજૂ કરી 6 હજાર પાનીની ચાર્જશીટ
Amreli : જાફરાબાદના નવી જીકાદ્રી ગામમાં સિંહણે કર્યો બાળકનો શિકાર
Amreli : જાફરાબાદના નવી જીકાદ્રી ગામમાં સિંહણે કર્યો બાળકનો શિકાર
કાંકરિયા પાસે કોર્પોરેશનનું હોર્ડિંગ પડ્યું, એક પરિવારના 3 લોકો ઘાયલ
કાંકરિયા પાસે કોર્પોરેશનનું હોર્ડિંગ પડ્યું, એક પરિવારના 3 લોકો ઘાયલ
ડીસામાંથી 345 કિલો પોશડોડા અને 50 જીવતા કારતૂસ સાથે આરોપી ઝડપાયો
ડીસામાંથી 345 કિલો પોશડોડા અને 50 જીવતા કારતૂસ સાથે આરોપી ઝડપાયો
આ 4 રાશિના જાતકોને આજે કાર્યસ્થળે લાભના સંકેત
આ 4 રાશિના જાતકોને આજે કાર્યસ્થળે લાભના સંકેત
અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડાની ગુજરાત પર કેવી થશે અસર ?
અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડાની ગુજરાત પર કેવી થશે અસર ?
ગુજરાતમાં નક્લીની એક બાદ એક નક્લીની ભરમાર, હવે નક્લી જજનો થયો પર્દાફાશ
ગુજરાતમાં નક્લીની એક બાદ એક નક્લીની ભરમાર, હવે નક્લી જજનો થયો પર્દાફાશ
મેઘરાજાએ વેર્યો વિનાશ, ધોવાયો તૈયાર પાક, ખેડૂતો થયા બરબાદ- Vidoe
મેઘરાજાએ વેર્યો વિનાશ, ધોવાયો તૈયાર પાક, ખેડૂતો થયા બરબાદ- Vidoe
g clip-path="url(#clip0_868_265)">