તમિલનાડુ : તંજાવુરના મંદિરમાં મોટી દુર્ઘટના, વીજ કરંટના કારણે 11 થી વધુ શ્રદ્ધાળુઓના મોત
Tamil Nadu Chariot Accident: તમિલનાડુમાં એક મોટી દુર્ઘટનામાં 11 થી વધુ લોકોના મોત થયા હોવાના સમચાર મળી રહ્યા છે.
તમિલનાડુના (Tamil Nadu)તંજાવુર જિલ્લામાં એક મોટો અકસ્માત થયો છે. અહીં એક મંદિરના ઉત્સવમાં (Temple) રથ જીવંત વાયરને અડી ગયો હતો, જેના કારણે 11 થી વધુ લોકોના મોત થયા હોવાના સમચાર મળી રહ્યા છે. ઘટનાની માહિતી મળતા જ હાલ પોલીસ(Tamilnadu Police) ઘટના સ્થળે પહોંચી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર મૃતકોમાં બાળકો પણ સામેલ છે. મળતી માહિતી મુજબ આ દુર્ઘટના વહેલી સવારે થઈ હતી.
Tamil Nadu | At least 10 people died after a temple car (of chariot festival) came in contact with a live wire in the Thanjavur district. More details are awaited. pic.twitter.com/clhjADE6J3
— ANI (@ANI) April 27, 2022
અધિકારીઓએ જણાવ્યું હતું કે, મંદિરની પાલખીને પાછી વળતી વખતે તે જીવંત વાયરને અડી ગઈ હતી,જેને કારણે આ દુર્ઘટના ઘટી હતી.મળતી માહિતી મુજબ મૃત્યુ પામેલા લોકોમાં બે બાળકોનો સમાવેશ થાય છે. જ્યારે ત્રણ લોકો ગંભીર રીતે દાઝી ગયા હતા. જેમને સારવાર માટે તંજાવુર હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. તિરુચિરાપલ્લી સેન્ટ્રલ ઝોનના પોલીસ મહાનિરીક્ષક વી બાલકૃષ્ણ કહ્યું કે, આ દુર્ઘટના અંગે હાલ તપાસ કરવામાં આવી રહી છે.આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં રથ સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત જોવા મળે છે.
આ રશયાત્રામાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો
રથ જીવંત વાયર સાથે અથડાવાને કારણે આ અકસ્માત થયો હતો, જેના કારણે રથ(Chariot) સંપૂર્ણ રીતે ક્ષતિગ્રસ્ત થઈ ગયો હતો. આ તહેવારની વાત કરીએ તો, તમિલનાડુમાં દર વર્ષે આ ઉતસ્વનું આયોજન કરવામાં આવે છે. દર વર્ષે મોટી સંખ્યામાં લોકો આ ધાર્મિક ઉત્સવમાં ભાગ લે છે. આવી સ્થિતિમાં હવે લોકોની સુરક્ષાને લઈને સવાલો ઉભા થઈ રહ્યા છે.
આ પણ વાંચોઃ
PM Modi Covid Review Meeting : કોરોનાને લઈને PM મોદી આજે મુખ્યપ્રધાનો સાથે યોજશે બેઠક, નવી માર્ગદર્શિકા, રણનીતિ પર થઈ શકે છે ચર્ચા
આ પણ વાંચોઃ