PM Modi Covid Review Meeting : કોરોનાને લઈને PM મોદી આજે મુખ્યપ્રધાનો સાથે યોજશે બેઠક, નવી માર્ગદર્શિકા, રણનીતિ પર થઈ શકે છે ચર્ચા

મંગળવારે દેશમાં એક જ દિવસમાં કોરોનાના 2483 નવા કેસ નોંધાયા છે. આ સાથે, દેશમાં કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા વધીને 4,30,62,569 થઈ ગઈ છે. સારવાર હેઠળ દર્દીઓની સંખ્યા ઘટીને 15,636 થઈ ગઈ છે.

PM Modi Covid Review Meeting : કોરોનાને લઈને  PM મોદી આજે મુખ્યપ્રધાનો સાથે યોજશે બેઠક, નવી માર્ગદર્શિકા, રણનીતિ પર થઈ શકે છે ચર્ચા
PM Modi (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 27, 2022 | 6:51 AM

દેશમાં ફરી એકવાર કોરોના (Covid-19) નો પ્રકોપ વધી રહ્યો છે. તેને ધ્યાનમાં રાખીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) બુધવારે તમામ રાજ્યોના મુખ્યપ્રધાનો સાથે વાતચીત કરશે તેમ સત્તાવાર સૂત્રોએ મંગળવારે આ માહિતી આપી હતી. અધિકારીઓના જણાવ્યા અનુસાર, વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશમાં કોવિડ-19 સંબંધિત સ્થિતિ અંગે બપોરે 12 વાગ્યે વીડિયો કોન્ફરન્સ દ્વારા વિવિધ રાજ્યોના મુખ્યપ્રધાનો સાથે વાતચીત કરશે. આ સાથે, દેશમાં કોરોના (corona) સંક્રમિતોની કુલ સંખ્યા વધીને 4,30,62,569 થઈ ગઈ છે. સારવાર હેઠળ દર્દીઓની સંખ્યા ઘટીને 15,636 થઈ ગઈ છે.

તમને જણાવી દઈએ કે મુખ્યપ્રધાનો સાથેની બેઠકમાં પીએમ મોદી ઘણા મહત્વપૂર્ણ નિર્ણય લઈ શકે છે. ભૂતકાળમાં ‘મન કી બાત’ કાર્યક્રમમાં, વડા પ્રધાન મોદીએ દેશવાસીઓને સાવચેત રહેવા અને માસ્ક પહેરવા, યોગ્ય અંતરનું પાલન જાળવી રાખવા અને વારંવાર હાથ ધોવા જેવા તમામ કોરોના નિવારક પગલાંનું પાલન કરવા વિનંતી કરી હતી.

Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક

મંગળવારે સવારે 8 વાગ્યે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા અપડેટ ડેટા અનુસાર, છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાને કારણે મૃત્યુના 1399 કેસ નોંધાયા છે. આમાંથી 1,347 કેસ આસામમાં સંક્રમણને કારણે થયેલા મૃત્યુની પુનઃ મેચિંગ બાદ નોંધાયા હતા અને કેરળમાં મૃત્યુના 47 કેસ, પંજાબમાં ચેપને કારણે ચાર અને દિલ્હીમાં એક મૃત્યુ નોંધાયુ છે. નવા કેસ સામે આવ્યા બાદ દેશમાં સંક્રમણના કારણે કુલ મૃત્યુઆંક વધીને 5,23,622 થઈ ગયો છે.

કોરોનાથી મૃત્યુ દર 1.22 ટકા

ડેટા અનુસાર, દેશમાં કોરોનાની સારવાર હેઠળ દર્દીઓની સંખ્યા ઘટીને 15,636 પર આવી ગઈ છે, જે કુલ કેસના 0.04 ટકા છે. છેલ્લા 24 કલાકમાં સારવાર હેઠળના દર્દીઓની સંખ્યામાં 886નો ઘટાડો થયો છે. દર્દીઓના સાજા થવાનો રાષ્ટ્રીય દર 98.75 ટકા છે. સંક્રમણનો દૈનિક દર 0.55 ટકા છે અને સાપ્તાહિક દર 0.58 ટકા છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ 4,25,23,311 લોકો સંક્રમણ મુક્ત થયા છે અને કોવિડ-19થી મૃત્યુદર 1.22 ટકા છે.

રસીકરણનો આંકડો 187 કરોડને પાર

દેશવ્યાપી રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં કોવિડ-19 વિરોધી રસીના 187.95 કરોડથી વધુ ડોઝ આપવામાં આવ્યા છે. નોંધપાત્ર વાત એ છે કે, 7 ઓગસ્ટ 2020ના રોજ દેશમાં સંક્રમિત લોકોની સંખ્યા 20 લાખ, 23 ઓગસ્ટ 2020ના રોજ 30 લાખ અને 5 સપ્ટેમ્બર 2020ના રોજ 40 લાખથી વધુ થઈ ગઈ હતી. ચેપના કુલ કેસ 16 સપ્ટેમ્બર 2020ના રોજ 50 લાખ, 28 સપ્ટેમ્બર 2020ના રોજ 60 લાખ, 11 ઓક્ટોબર 2020ના રોજ 70 લાખ, 29 ઓક્ટોબર 2020ના રોજ 80 લાખ અને 20 નવેમ્બરના રોજ 90 લાખને વટાવી ગયા હતા. 19 ડિસેમ્બર 2020 ના રોજ, દેશમાં આ કેસ એક કરોડને વટાવી ગયા હતા. ગયા વર્ષે, 4 મેના રોજ, સંક્રમિતોની સંખ્યા 20 મિલિયનને વટાવી ગઈ હતી અને 23 જૂન, 2021 ના ​​રોજ, તે 30 મિલિયનને વટાવી ગઈ હતી. આ વર્ષે 26 જાન્યુઆરીએ કેસ ચાર કરોડને વટાવી ગયો હતો.

આ પણ વાંચોઃ

Delhi Corona Update: દિલ્હીમાં ફરી કોરોનાના કેસમાં વધારો, 24 કલાકમાં 1200થી વધુ કેસ, એક દર્દીનું મોત

આ પણ વાંચોઃ

US: અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ કોરોના પોઝિટિવ આવ્યા, કોરોના વાયરસના કોઈ લક્ષણો નથી

Latest News Updates

ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
g clip-path="url(#clip0_868_265)">