Tamil Nadu Chopper Crash :એરફોર્સની કોર્ટ ઓફ ઈન્કવાયરી પૂર્ણ, જાણો કેમ થયું હેલિકોપ્ટર દુર્ઘટનાનો શિકાર

CIFTએ વૈશ્વિક સ્તરે એરક્રાફ્ટ અકસ્માતના મુખ્ય કારણોમાંનું એક છે. તપાસ ટીમે હેલિકોપ્ટરમાં કોઈ ટેકનિકલ ખામી હોવાની શક્યતાને નકારી કાઢી છે. તેમનું કહેવું છે કે, હેલિકોપ્ટરમાં કંઈ ગડબડી ન હતી.

Tamil Nadu Chopper Crash :એરફોર્સની કોર્ટ ઓફ ઈન્કવાયરી પૂર્ણ, જાણો કેમ થયું હેલિકોપ્ટર દુર્ઘટનાનો શિકાર
Tamil Nadu Chopper Crash
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 02, 2022 | 2:27 PM

Tamil Nadu Chopper Crash:તામિલનાડુના કુન્નુરમાં ગયા મહિને થયેલા હેલિકોપ્ટર દુર્ઘટના (Tamil Nadu Helicopter Crash)માં એરફોર્સની કોર્ટ ઓફ ઈન્કવાયરી (Court of Inquiry) લગભગ પૂર્ણ થઈ ગઈ છે. આ હેલિકોપ્ટર દુર્ઘટનામાં દેશના પહેલા CDS જનરલ બિપિન રાવત અને તેમની પત્ની મધુલિકા રાવત સહિત 14 લોકોના મોત થયા હતા. આ દુર્ઘટનામાં એરફોર્સનું MI-17V5 એરક્રાફ્ટ ક્રેશ થયું હતું.

એરફોર્સ દ્વારા કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી

સૂત્રોના જણાવ્યા અનુસાર એરફોર્સ ચીફને અંતિમ રિપોર્ટ જાન્યુઆરીમાં સોંપવામાં આવે તેવી શક્યતા છે.અત્યાર સુધી હેલિકોપ્ટર દુર્ઘટના (Helicopter Crash)ની તપાસને લઈને એરફોર્સ દ્વારા કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી. પરંતુ જો સૂત્રોનું માનીએ તો હેલિકોપ્ટર દુર્ઘટનાના સંભવિત કારણોમાં માનવીય કે ટેકનિકલ ભૂલ સામેલ નથી. આ મુજબ, આવા અકસ્માતો ત્યારે થાય છે જ્યારે પાયલોટ તેનું ધ્યાન ગુમાવે છે અથવા તે પરિસ્થિતિનો યોગ્ય અંદાજો લગાવી શકતો નથી. આ સિવાય એવું પણ બની શકે છે કે પાયલોટ અજાણતામાં કોઈ સપાટી સાથે અથડાઈ ગયો. આવી સ્થિતિને કંટ્રોલ્ડ ફ્લાઈટ ઈન્ટુ ટેરેન (CIFT) કહેવાય છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

હેલિકોપ્ટરમાં કોઈ ટેકનિકલ ખામી નહોતી

સૂત્રોએ જણાવ્યું કે, CIFT એટલે કે હેલિકોપ્ટર ઉડાન માટે યોગ્ય હતું અને તે પાઇલટની ભૂલ નથી. તેમણે કહ્યું કે, આ કિસ્સામાં એવું બની શકે છે કે ખરાબ હવામાનને કારણે કુન્નુર વિસ્તારમાં વિઝિબિલિટી ઘટી ગઈ હોય, જેના કારણે આ દુર્ઘટના થઈ. નોંધપાત્ર રીતે, વૈશ્વિક સ્તરે એરક્રાફ્ટ અકસ્માતોના મુખ્ય કારણોમાં CIFT પણ એક છે. તપાસ ટીમે હેલિકોપ્ટરમાં કોઈ ટેકનિકલ ખામી હોવાની કોઈ શક્યતાને નકારી કાઢી છે. તેમનું કહેવું છે કે, હેલિકોપ્ટરમાં કંઈ ગડબડ ન હતું.

તપાસ રિપોર્ટ એરફોર્સ ચીફને સોંપવામાં આવશે

સશસ્ત્ર દળોમાં દેશના ટોચના હેલિકોપ્ટર પાઇલટ એર માર્શલ માનવેન્દ્ર સિંહની અધ્યક્ષતા(Air Marshal Manvendra Singh)માં ટ્રાઇ-સર્વિસિસ કોર્ટ ઑફ ઇન્ક્વાયરી છે. કોર્ટ ઓફ ઈન્કવાયરીની રચના એર ચીફ માર્શલ વીઆર ચૌધરી(Air Chief Marshal VR Chaudhari)એ એર સ્ટાફના વડા દ્વારા કરવામાં આવી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, આશા છે કે, થોડા દિવસોમાં આ રિપોર્ટ એર ચીફ માર્શલ વીઆર ચૌધરીને સોંપવામાં આવશે. તારણો રજૂ કરવામાં આવે તે પહેલાં, તપાસમાં તમામ પ્રોટોકોલનું પાલન કરવામાં આવ્યું હતું તેની ખાતરી કરવા માટે તેમની કાયદેસર રીતે તપાસ કરવામાં આવશે. તપાસ ટીમ હાલમાં તેની તપાસની પુષ્ટિ કરવા માટે એરફોર્સના કાનૂની વિભાગની સલાહ લઈ રહી છે.

આ પણ વાંચો : Winter Superfoods: શિયાળામાં રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે આ 10 સુપરફૂડ્સને ડાયેટમાં કરો સામેલ

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">