AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રામનવમી અને હનુમાન જયંતી દરમિયાન થયેલી હિંસાની નિવૃત જ્જના નેતૃત્વમાં તપાસ કરાવવાની માંગ, સુપ્રીમ કોર્ટે રદ કરી અરજી

Ramnavami & Hanuman Jayanti violence: જસ્ટિસ નાગેશ્વર રાવ અને જસ્ટિસ ગવઈની બેન્ચે આ મામલે સુનાવણી કરી હતી. સુનાવણી બાદ સુપ્રીમ કોર્ટે અરજી ફગાવી દીધી હતી. દેશમાં રામ નવમી અને હનુમાન જયંતિ દરમિયાન કાઢવામાં આવેલી શોભાયાત્રાઓ પર ઘણા રાજ્યોમાં હુમલાની માહિતી મળી હતી.

રામનવમી અને હનુમાન જયંતી દરમિયાન થયેલી હિંસાની નિવૃત જ્જના નેતૃત્વમાં તપાસ કરાવવાની માંગ, સુપ્રીમ કોર્ટે રદ કરી અરજી
suprme court of India (File Image)
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 26, 2022 | 11:34 AM
Share

દેશના અલગ-અલગ ભાગોમાં રામ નવમી (Ram Navami) અને હનુમાન જયંતી (Hanuman Jayanti) દરમિયાન નીકળેલા શોભાયાત્રાઓ પર હુમલાના અહેવાલો છે. આ કેસમાં સુપ્રીમ કોર્ટના (Supreme Court) નિવૃત્ત જજની અધ્યક્ષતામાં તપાસ કરાવવાની માંગ કરવામાં આવી હતી. આ મામલે આજે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જસ્ટિસ નાગેશ્વર રાવ અને જસ્ટિસ ગવઈની બેન્ચે આ મામલે સુનાવણી કરી હતી. સુનાવણી બાદ સુપ્રીમ કોર્ટે અરજી ફગાવી દીધી હતી. દેશમાં રામ નવમી અને હનુમાન જયંતિ દરમિયાન કાઢવામાં આવેલી શોભાયાત્રાઓ પર ઘણા રાજ્યોમાં હુમલાની માહિતી મળી હતી. આ પછી દેશના અલગ-અલગ રાજ્યોમાં સાંપ્રદાયિક તંગદિલી સર્જાઈ હતી.

વકીલ વિશાલ તિવારીએ કહ્યું કે હિંસાની તપાસ એકતરફી થઈ રહી છે. તેથી સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જજની દેખરેખ હેઠળ તપાસની જરૂર છે. તેના પર જસ્ટિસ નાગેશ્વર રાવે અરજીને ફગાવી દીધી અને કહ્યું કે તમે ઈચ્છો છો કે ભારતના પૂર્વ ચીફ જસ્ટિસ (CJI) તપાસની દેખરેખ રાખે. કયા CJI ફ્રી છે? એવી માગણીઓ ન કરો જે પૂરી ન થઈ શકે, અમે અરજીને ફગાવી રહ્યા છીએ. તે જ સમયે, અરજદાર વિશાલ તિવારીએ મધ્યપ્રદેશ, ગુજરાત અને ઉત્તર પ્રદેશમાં બુલડોઝરની કાર્યવાહીની તપાસ માટે ન્યાયિક પંચની રચના કરવાની પણ માંગ કરી હતી.

દેશના અલગ અલગ ભાગોમાં થઈ હતી હિંસા

રામ નવમી દરમિયાન 10 એપ્રિલે દેશભરમાં હિંસા જોવા મળી હતી. આ સિવાય હનુમાન જયંતિના અવસર પર પણ હિંસા થઈ હતી. ઘણા રાજ્યોમાં નીકળેલા સરઘસો પર પથ્થરમારાની ઘટનાઓ પ્રકાશમાં આવી હતી. જે બાદ સ્થિતિ બેકાબૂ બની હતી. આ સમયગાળા દરમિયાન કુલ 10 રાજ્યોમાં હિંસા જોવા મળી હતી. આ ઘટનાઓમાં અનેક પોલીસકર્મીઓ અને લોકો ઘાયલ થયા છે. 10 એપ્રિલના રોજ ગુજરાત, મધ્યપ્રદેશ, ઝારખંડ અને પશ્ચિમ બંગાળમાં સાંપ્રદાયિક હિંસાના અહેવાલો હતા. આ પછી 6 એપ્રિલે દિલ્હી, કર્ણાટક અને આંધ્રપ્રદેશમાં કરવામાં આવ્યું હતું. તે જ સમયે, મહારાષ્ટ્રમાં ઘણી જગ્યાએ હિંસાના સમાચાર સામે આવ્યા છે.

ગુજરાતના ખંભાત શહેરમાં રામનવમી દરમિયાન શોભાયાત્રા કાઢવામાં આવી હતી. આ શોભાયાત્રામાં હિંસા થઈ હતી, જેના કારણે એક વ્યક્તિનું મોત થયું હતું. આ સિવાય ઘણી દુકાનોને પણ આગ ચાંપવામાં આવી હતી. તે જ સમયે મધ્યપ્રદેશના ખરગોનમાં રામ નવમીના અવસર પર શોભા યાત્રા કાઢવામાં આવી હતી, જેમાં હિંસા થઈ હતી. ઝારખંડ પણ હિંસાથી અસ્પૃશ્ય ન હતું, લોહરદગા અને બોકારોમાં પણ રામ નવમીના દિવસે હિંસા થઈ હતી. પશ્ચિમ બંગાળ અને કર્ણાટક પણ હિંસાની ઝપેટમાં આવી ગયા છે. આંધ્રપ્રદેશના કુર્નૂલમાં બે સમુદાયના લોકો વચ્ચે પથ્થરમારો થયો હતો. આ સિવાય દિલ્હીના જહાંગીરપુરીમાં હનુમાન જયંતિના અવસર પર હિંસા થઈ હતી.

આ પણ વાંચો: Jammu Kashmir: બારામુલામાં સુરક્ષા દળોને મોટી સફળતા, જૈશ-એ-મોહમ્મદના બે આતંકવાદીઓની બંદૂક અને ગ્રેનેડ સાથે ધરપકડ

આ પણ વાંચો: સુરતમાં સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને આજીવન કેદની સજા, આરોપીની પત્નીને દસ વર્ષની કેદની સજાનો હુકમ

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
g clip-path="url(#clip0_868_265)">