AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: જ્ઞાનવાપી મસ્જિદ પાસે વજુ માટે પાણી અને ટબની વ્યવસ્થા કરવામાં આવે: SCનો આદેશ

જ્ઞાનવાપી કેસમાં આજે શુક્રવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી છે. સર્વોચ્ચ અદાલતે આદેશ આપ્યો હતો કે, જ્ઞાનવાપી મસ્જિદ પાસે પર્યાપ્ત પાણી અને વજૂ માટે ટબની વ્યવસ્થા કરવામાં આવે.

Breaking News: જ્ઞાનવાપી મસ્જિદ પાસે વજુ માટે પાણી અને ટબની વ્યવસ્થા કરવામાં આવે: SCનો આદેશ
Gyanvapi Masjid
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 21, 2023 | 1:59 PM
Share

જ્ઞાનવાપી કેસમાં આજે શુક્રવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી છે. સર્વોચ્ચ અદાલતે આદેશ આપ્યો હતો કે, જ્ઞાનવાપી મસ્જિદ પાસે પર્યાપ્ત પાણી અને વજૂ માટે ટબની વ્યવસ્થા કરવામાં આવે. જિલ્લા મેજિસ્ટ્રેટ તેની ખાતરી કરશે. જ્યારે સોલિસિટર જનરલ તુષાર મહેતાએ, યુપી સરકાર વતી કહ્યું કે, વજૂ માટે જ્ઞાનવાપી મસ્જિદ પાસે 6 ટબ રાખવામાં આવશે અને પાણીની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવશે.

આ પણ વાંચો: Civil Services Day: વડાપ્રધાન મોદીએ IAS અધિકારીઓને કહ્યું ‘બ્યૂરોક્રેસીથી ચૂક થઈ તો દેશ લુંટાઈ જશે’

રમઝાન અને ઈદ દરમિયાન, મસ્જિદ પરિસરમાં જ વજુ કરવાની માગ મસ્જિદ સમિતિ દ્વારા સુપ્રીમ કોર્ટ સમક્ષ મૂકવામાં આવી હતી. આ દરમિયાન એસજી તુષાર મહેતાએ સુપ્રીમ કોર્ટમાં કહ્યું કે કલેકટરે 70 મીટર દૂર જગ્યા ઓફર કરી છે. મસ્જિદ કમિટિ તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ હુઝૈફા અહમદીએ કહ્યું કે અમને તેનાથી દૂર શા માટે કરવામાં આવે?

સુપ્રીમ કોર્ટે પૂછ્યું કે શુક્રવાર અને શનિવાર માટે કોઈ વ્યવસ્થા કરી શકાય? એસજી તુષાર મહેતાએ કહ્યું કે ડીએમ સાથે વાત થઈ છે, જ્યાં શિવલિંગ મળવાની વાત છે, ત્યાં વજુની પરવાનગી ન આપી શકાય. એસજીએ કહ્યું કે અમે 6 ડ્રમ આપ્યા છે. પાણીની પણ યોગ્ય વ્યવસ્થા છે. તેના પર ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડે કહ્યું કે કંઈક સુવિધાજનક પ્રોવાઈડ કરવામાં આવે. તેના પર સરકાર દ્વારા કહેવામાં આવ્યું હતું કે અમે પૂરતું પાણી ઉપલબ્ધ કરીશું.

અગાઉ, 18 એપ્રિલના રોજ સુનાવણી કરતી વખતે, સુપ્રીમ કોર્ટે જિલ્લા કલેક્ટરને રમઝાન દરમિયાન જ્ઞાનવાપી કેમ્પસમાં વજુ સુવિધાઓ પ્રદાન કરવા પર સંમત થવા માટે બેઠક ગોઠવવા જણાવ્યું હતું. CJI DY ચંદ્રચુડના નેતૃત્વ હેઠળની બેંચ જ્ઞાનવાપી કેમ્પસમાં મસ્જિદનું સંચાલન કરતી મેનેજમેન્ટ કમિટી અંજુમન ઈન્તેઝામિયા મસ્જિદની અરજી પર સુનાવણી કરી રહી હતી. તેમણે કહ્યું હતું કે તે આ મામલે આગામી સુનાવણી 21 એપ્રિલે કરશે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

દેશ ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">