બિલ્કિસ બાનો કેસમાં દોષિતોને છોડવા મામલે સુપ્રીમ કોર્ટની રાજ્ય સરકારને નોટિસ, બે સપ્તાહમાં મુક્તિ સંબંધિત દસ્તાવેજો રજૂ કરવા આદેશ

Bilkis Bano Case: બિલ્કિસ બાનો કેસના દોષિતોને છોડવા મામલે સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકારને નોટિસ પાઠવી છે. કોર્ટે ગુજરાત સરકારને બે સપ્તાહમાં દોષિતોને મુક્ત કરવા સંબંધિત દસ્તાવેજો કોર્ટમાં રજૂ કરવા નોટિસ પાઠવી છે.

બિલ્કિસ બાનો કેસમાં દોષિતોને છોડવા મામલે સુપ્રીમ કોર્ટની રાજ્ય સરકારને નોટિસ, બે સપ્તાહમાં મુક્તિ સંબંધિત દસ્તાવેજો રજૂ કરવા આદેશ
Bilkis Bano
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 09, 2022 | 5:40 PM

ગુજરાતના વર્ષ 2002ના રમખાણોની પીડિતા બિલ્કિસ બાનો(Bilkis Bano)ના દોષિતોની મુક્તિના વિરોધમાં સુપ્રીમ કોર્ટમાં શુક્રવારે સુનાવણી થઈ હતી. આ દરમિયાન સુપ્રીમ કોર્ટે આ કેસમાં દાખલ કરાયેલી તમામ અરજીઓ પર નોટિસ પાઠવી છે. છેલ્લી સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે (Supreme Court) બિલ્કિસ બાનો કેસમાં રાજ્ય સરકારને નોટિસ પાઠવી હતી. સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકાર(Gujarat Government)ને બે સપ્તાહમાં દોષિતોને મુક્ત કરવા સંબંધિત તમામ દસ્તાવેજો કોર્ટમાં રજૂ કરવા જણાવ્યુ છે.

સુપ્રીમ કોર્ટમાં આ કેસની આગામી સુનાવણી ત્રણ અઠવાડિયા પછી થશે. સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને બે અઠવાડિયામાં અરજી પર જવાબ દાખલ કરવા જણાવ્યુ છે. સુપ્રીમ કોર્ટના આદેશ છતાં, મુક્ત કરાયેલા 11 લોકોને અરજીકર્તા તરફથી પક્ષ ન બનતા સુનાવણી શુક્રવારે ટળી ગઈ છે.

11 દોષિતોને મુક્ત કરવામાં આવ્યા હતા

બિલ્કિસ બાનોએ આ કેસમાં કહ્યું હતું કે તેમના અને તેમના પરિવારના સાત સભ્યો સાથે જોડાયેલા આ કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા 11 દોષિતોની સજા પૂર્ણ થયા પહેલા અપાયેલી મુક્તિએ તેના ન્યાય પરના વિશ્વાસને તોડી નાખ્યો છે. બિલ્કિસ બાનો સામૂહિક બળાત્કાર અને તેના પરિવારના સાત સદસ્યોની હત્યાના દોષિત 11 લોકોને ગુજરાત સરકારે માફી નીતિ અંતર્ગત સજા માફી આપી દીધી હતી. ત્યારબાદ 15 ઓગષ્ટે તેમને ગોધરા સબજેલમાંથી મુક્ત કરી દેવામાં આવ્યા હતા.

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

બિલ્કિસે ગણાવ્યો અન્યાયકારી નિર્ણય

સરકારના આ પગલાની ટીકા કરતા બિલ્કિસે કહ્યું કે આટલો મોટો અને અન્યાયી નિર્ણય લેતા પહેલા કોઈએ તેમની સુરક્ષા વિશે ન પૂછ્યું અને ના તો તેના ભલા વિશે વિચાર્યું હતું. તેમણે ગુજરાત સરકારને તેમના નિર્ણયને બદલવા અને તેને કોઈપણ ભય વિના શાંતિથી જીવવાનો અધિકાર આપવા જણાવ્યું હતું. બિલ્કિસ બાનો વતી તેમના વકીલે નિવેદન જાહેર કરીને કહ્યું હતું કે 15 ઓગસ્ટ, 2022ના રોજ જ્યારે મેં સાંભળ્યું કે મારી ત્રણ વર્ષની દીકરીને મારી પાસેથી છીનવી લેનારા 11 દોષિતોને મુક્ત કરવામાં આવ્યા છે, જેમણે મારા પરિવાર અને મારું જીવન બરબાદ કર્યું હતું. તો મારી સામે 20 વર્ષ જૂનો ભયાનક ભૂતકાળ ફરી જાગ્રત થઈ ગયો.

ન્યાય પરથી મારો વિશ્વાસ ઉઠી ગયો

બિલ્કિસે કહ્યું કે આજે તે માત્ર એટલું જ કહી શકે છે કે એક મહિલા માટે આ રીતે ન્યાય કેવી રીતે સમાપ્ત થઈ શકે? તેમણે કહ્યું, મે દેશની સુપ્રીમ કોર્ટ પર વિશ્વાસ કર્યો. મેં તંત્ર પર ભરોસો કર્યો અને ધીમે ધીમે મારા ભયાનક ભૂતકાળ સાથે જીવવાની કોશિષ કરી રહી હતી. પરંતુ દોષિતોની મુક્તિની સાથે મારી માનસિક શાંતિ ડહોળાઈ ગઈ છે અને મારો ન્યાય પરથી ફરી મારો વિશ્વાસ ઉઠી ગયો છે. બિલ્કિસે કહ્યુ ‘મારુ દુ:ખ, મારી પીડા અને ન્યાય પરથી મારો વિશ્વાસ ઉઠી જવો એ માત્ર મારી સમસ્યા નથી. પરંતુ કોર્ટમાં ન્યાય માટે લડી રહેલી તમામ મહિલાઓની વાત છે.’

Latest News Updates

ધોરણ-12નું પરિણામ ગુરુવારે થશે જાહેર
ધોરણ-12નું પરિણામ ગુરુવારે થશે જાહેર
અરવલ્લીઃ ચૂંટણી ફરજથી પરત ફરતા શિક્ષકને અકસ્માત નડ્યો, બેનાં મોત
અરવલ્લીઃ ચૂંટણી ફરજથી પરત ફરતા શિક્ષકને અકસ્માત નડ્યો, બેનાં મોત
મતદાનના દિવસે જ પ્રાંતિજમાં મહિલાને અજાણ્યા ત્રણ શખ્શોએ લૂંટી લીધી
મતદાનના દિવસે જ પ્રાંતિજમાં મહિલાને અજાણ્યા ત્રણ શખ્શોએ લૂંટી લીધી
અરવલ્લીઃ મતદાનના દિવસે BJP નેતા પર હુમલાનો મામલો, વધુ 4 આરોપી ઝડપાયા
અરવલ્લીઃ મતદાનના દિવસે BJP નેતા પર હુમલાનો મામલો, વધુ 4 આરોપી ઝડપાયા
જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને
જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને
ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ
ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ
પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ
પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ
રુપાલાના શબ્દોએ ક્ષત્રિય અસ્મિતા પર ઘા કર્યો છેઃ ક્ષત્રિય અગ્રણી
રુપાલાના શબ્દોએ ક્ષત્રિય અસ્મિતા પર ઘા કર્યો છેઃ ક્ષત્રિય અગ્રણી
સંતરામપુરના પરથમપુરમાં બૂથ કેપ્ચરીંગનો Video વાયરલ
સંતરામપુરના પરથમપુરમાં બૂથ કેપ્ચરીંગનો Video વાયરલ
ભાજપ પ્રભાવિત વિસ્તારમાં 2019 કરતા 2024માં મતદાન ઘટ્યુ
ભાજપ પ્રભાવિત વિસ્તારમાં 2019 કરતા 2024માં મતદાન ઘટ્યુ
g clip-path="url(#clip0_868_265)">