AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કોરોનાના કારણે થયેલા મૃત્યુ પર રાજ્ય અને કેન્દ્રને સુપ્રીમ કોર્ટનો નિર્દેશ, 10 દિવસમાં આપવું પડશે વળતર

સર્વોચ્ચ અદાલતે પુનરોચ્ચાર કર્યો કે વળતરની માગ કરતી અરજીઓને તકનીકી આધાર પર નકારી ન શકાય અને જો કોઈ તકનીકી ખામી જણાય તો સંબંધિત રાજ્યોને ભૂલ સુધારવાની તક આપવી જોઈએ.

કોરોનાના કારણે થયેલા મૃત્યુ પર રાજ્ય અને કેન્દ્રને સુપ્રીમ કોર્ટનો નિર્દેશ, 10 દિવસમાં આપવું પડશે વળતર
Supreme Court (File Photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 04, 2022 | 11:39 PM
Share

સુપ્રીમ કોર્ટે (Supreme Court) શુક્રવારે તમામ રાજ્ય સરકારો અને કેન્દ્રશાસિત પ્રદેશોને નિર્દેશ આપ્યો છે કે તેઓ કોવિડ-19 (Covid-19) ના ફેલાવા સામે લડવા માટે રાજ્ય કાનૂની સેવા પ્રાધિકરણ (SLSA) ના સભ્ય સચિવ સાથે સંકલન કરવા નોડલ અધિકારીની નિમણૂક કરે. જેથી કોરોનાના કારણે મૃત્યુ પામેલા લોકોના પરિવારોને ચૂકવણી કરી શકાય. આ સાથે સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે રાજ્યો પાસેથી માહિતી મળ્યા બાદ મહત્તમ 10 દિવસની અંદર પીડિતોને વળતર ચૂકવવામાં આવે. જસ્ટિસ એમ.આર. શાહ અને જસ્ટિસ બી.વી. નાગરત્નાની બેન્ચે રાજ્ય સરકારોને આદેશ આપ્યો છે કે તેઓ આજથી (શુક્રવાર) એક સપ્તાહની અંદર સંબંધિત રાજ્ય કાનૂની સેવા સત્તામંડળને નામ, સરનામું અને મૃત્યુ પ્રમાણપત્ર સહિત સંપૂર્ણ વિગતો પ્રદાન કરે. સાથે જ કહ્યું કે જો તેમાં નિષ્ફળ જશે તો આ બાબતને ખૂબ ગંભીરતાથી લેવામાં આવશે.

મહત્તમ 10 દિવસની અંદર ચુકવવામાં આવે વળતર

સર્વોચ્ચ અદાલતે પુનરોચ્ચાર કર્યો હતો કે વળતરની માગ કરતી અરજીઓને ટેકનિકલ આધારો પર નકારી કાઢવામાં ન આવે અને જો કોઈ ટેકનિકલ ખામી જણાય તો સંબંધિત રાજ્યોને ભૂલ સુધારવાની તક આપવી જોઈએ કારણ કે રાજ્યનું અંતિમ ધ્યેય લોકોને થોડી રાહત આપવાનું છે. પીડિતોને આશ્વાસન અને વળતર આપવું પડશે. કોર્ટે કહ્યું કે રાજ્યોએ દાવો પ્રાપ્ત થયાની તારીખથી મહત્તમ 10 દિવસની અંદર પીડિતોને વળતર ચૂકવવાના તમામ પ્રયાસો કરવા જોઈએ.

આ પહેલા પણ કોર્ટે આપ્યો હતો આ આદેશ

કોર્ટે કહ્યું કે તેણે તેના અગાઉના આદેશમાં કહ્યું હતું કે રાજ્ય સરકારોએ તેમના પોર્ટલ પર નોંધાયેલા કોવિડ -19 સંબંધિત મૃત્યુની સંપૂર્ણ વિગતોની સાથે જ તે વ્યક્તિઓની સંપૂર્ણ વિગતો આપવી જોઈએ જેમને વળતરની રકમ ચૂકવવામાં આવી છે, પરંતુ તેમ છતાં, એવું લાગે છે કે મોટાભાગના રાજ્યોએ માત્ર આંકડા આપ્યા છે અને કોઈ સંપૂર્ણ વિગતો આપી નથી.

બેન્ચે જણાવ્યું હતું કે સંપૂર્ણ વિગતો આપતા અગાઉના આદેશનો હેતુ ઓછામાં ઓછા એવા કેસોની તપાસ કરવાનો હતો કે જે રાજ્ય સરકારો પાસે નોંધાયેલા છે અને જેમાં વળતર માટે યોગ્ય અધિકારીઓનો સંપર્ક કરવામાં આવ્યો નથી.

આ પણ વાંચો :  Punjab: ગુરદાસપુરમાં રાજનાથ સિંહ બોલ્યા- પંજાબની અર્થવ્યવસ્થા કથળી, છેલ્લા 5 વર્ષમાં યુપીની અર્થવ્યવસ્થા 21 લાખ કરોડ રૂપિયા પર પહોંચી

Follow Us
ચાંદલોડિયા અન્ડર બ્રિજ બન્યો જનતાના માથાનો દુખાવો, 3 વર્ષથી કામ અધૂરું
ચાંદલોડિયા અન્ડર બ્રિજ બન્યો જનતાના માથાનો દુખાવો, 3 વર્ષથી કામ અધૂરું
રાજુલામાં ખાનગી શાળાઓની જોહુકમી સામે શિક્ષણ વિભાગે કરી લાલ આંખ
રાજુલામાં ખાનગી શાળાઓની જોહુકમી સામે શિક્ષણ વિભાગે કરી લાલ આંખ
પાલિતાણામાં શેત્રુંજી પર્વત પર યાત્રાળુનું બેગ લઈને ભાગ્યા સાવજ રાજા
પાલિતાણામાં શેત્રુંજી પર્વત પર યાત્રાળુનું બેગ લઈને ભાગ્યા સાવજ રાજા
ભડકોદ્રામાં 30 વર્ષ જૂની ટાંકી પત્તાના મહેલની જેમ તૂટી પડી
ભડકોદ્રામાં 30 વર્ષ જૂની ટાંકી પત્તાના મહેલની જેમ તૂટી પડી
વડોદરા પાદરા પાસે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઇવે પર ગમખ્વાર અકસ્માત!
વડોદરા પાદરા પાસે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઇવે પર ગમખ્વાર અકસ્માત!
કીર્તિ મંદિરમાં દારૂ પાર્ટી, વીડિયો વાયરલ થતા યુવક ઝડપાયો,જુઓ-Video
કીર્તિ મંદિરમાં દારૂ પાર્ટી, વીડિયો વાયરલ થતા યુવક ઝડપાયો,જુઓ-Video
ETP પ્લાન્ટની ટેંક ચેમ્બરની સફાઈ દરમિયાન 4ના મોત, જુઓ Video
ETP પ્લાન્ટની ટેંક ચેમ્બરની સફાઈ દરમિયાન 4ના મોત, જુઓ Video
અખબારમાં સમોસા-વડાપાવ પેક કર્યા તો દુકાનદારે જવું પડશે જેલ
અખબારમાં સમોસા-વડાપાવ પેક કર્યા તો દુકાનદારે જવું પડશે જેલ
નવસારી: 8 કરોડ ખર્ચાયા છતાં 18 તળાવ ઇન્ટરલિંક પ્રોજેક્ટ 6 વર્ષથી અધ્ધર
નવસારી: 8 કરોડ ખર્ચાયા છતાં 18 તળાવ ઇન્ટરલિંક પ્રોજેક્ટ 6 વર્ષથી અધ્ધર
સ્વચ્છ ભારત મિશનની ઇ-રિક્ષાઓ ધૂળ ખાય છે, ભ્રષ્ટાચારના આક્ષેપ
સ્વચ્છ ભારત મિશનની ઇ-રિક્ષાઓ ધૂળ ખાય છે, ભ્રષ્ટાચારના આક્ષેપ
g clip-path="url(#clip0_868_265)">