AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

30% થી વધુ મોંઘી થયેલી ખાંડ હવે સસ્તી થશે? ગ્રાહકો માટે આવ્યા ‘મોટા સમાચાર’, જાણો કેન્દ્ર સરકારના નવા નિયમ વિશે

આવનારા તહેવારોની સીઝન પહેલાં તમારા રસોઈના બજેટને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. આ બધા વચ્ચે સવાલ એ છે કે, શું હવે તહેવારોમાં મીઠાઈઓ અને ખાંડ મોંઘી થશે કે પછી સરકારના નવા નિર્ણયથી સામાન્ય ગ્રાહકોને મોટી રાહત મળશે? ગયા મહિના સરખામણીએ ૩૦% થી વધુ મોંઘી થયેલી ખાંડ હવે કેટલી સસ્તી થશે અને ઓક્ટોબર-નવેમ્બરમાં આવનારા નવા સત્રથી શું ફેરફાર થશે?

30% થી વધુ મોંઘી થયેલી ખાંડ હવે સસ્તી થશે? ગ્રાહકો માટે આવ્યા 'મોટા સમાચાર', જાણો કેન્દ્ર સરકારના નવા નિયમ વિશે
| Updated on: Aug 31, 2026 | 3:36 PM
Share

રસોઈના બજેટ પર ખાંડની કિંમતની સીધી અસર પડે છે. એવામાં સપ્ટેમ્બરની શરૂઆતથી ખાંડ બજારમાં થનારા ફેરફાર સામાન્ય ગ્રાહકો માટે અગત્યના છે. કેન્દ્ર સરકારે સપ્ટેમ્બરના પહેલા 15 દિવસ માટે 13 લાખ મેટ્રિક ટન ખાંડનો ઘરેલું વેચાણ કોટા નક્કી કર્યો છે. આ નિર્ણય એટલા માટે પણ મહત્વનો છે, કારણ કે સપ્ટેમ્બરથી સરકારે ખાંડ વેચાણની જૂની માસિક કોટા વ્યવસ્થાને બદલીને પખવાડિયાવાર કોટા વ્યવસ્થા લાગુ કરી દીધી છે.

સરકારનું કહેવું છે કે, નવી વ્યવસ્થાથી ખાંડની ઉપલબ્ધતા પર વધુ નજીકથી નજર રાખી શકાશે અને જરૂર પડે ત્યારે બજારમાં વધારાની ખાંડ ઉતારી શકાશે. ખાદ્ય અને સાર્વજનિક વિતરણ વિભાગે 1 થી 15 સપ્ટેમ્બર 2026 માટે ઘરેલું બજારમાં ખાંડ વેચાણનો કોટા 13 લાખ મેટ્રિક ટન નક્કી કર્યો છે.

આમાં દેશની ખાંડ મિલોની સાથે બંદરો પર ઉપલબ્ધ રિફાઇનરીના સ્ટોકને પણ જોડવામાં આવ્યો છે. આ નવી પખવાડિયાવાર વ્યવસ્થા હેઠળ જાહેર કરવામાં આવેલો પહેલો કોટા છે. આ પહેલા ઓગસ્ટ 2026 માટે સરકારે પૂરા મહિનાનો 22.50 લાખ મેટ્રિક ટન કોટા નક્કી કર્યો હતો. જુલાઈમાં આ કોટા 22 લાખ મેટ્રિક ટન હતો.

દર મહિનાની જગ્યાએ હવે દર 15 દિવસે કેમ મળશે કોટા?

પહેલા ખાંડ મિલોને પૂરા મહિના માટે એકસાથે વેચાણ કોટા આપવામાં આવતો હતો. સરકારના જણાવ્યા મુજબ, કેટલાક કિસ્સાઓમાં મહિનાની શરૂઆતમાં વેચાઈ ચૂકેલી ખાંડ બજાર સુધી મોડી પહોંચી રહી હતી. આનાથી બજારમાં ઉપલબ્ધતા ઓછી દેખાતી હતી અને કૃત્રિમ અછત જેવી સ્થિતિ બની શકતી હતી.

હવે સરકાર દર 15 દિવસે બજારની સ્થિતિ જોઈને ખાંડની ઉપલબ્ધતાને નિયંત્રિત કરશે. આનાથી માંગ વધવા પર સરકાર પાસે વધારાનો કોટા જાહેર કરવાનો વિકલ્પ પણ રહેશે. એવામાં આ તહેવારોની સીઝનમાં ખાંડના ભાવ વધવા પર રોક લગાવવામાં મદદ મળી શકે છે.

પહેલા અઠવાડિયામાં 40% ખાંડ વેચવી પડશે

નવી વ્યવસ્થામાં માત્ર કોટા નક્કી જ નથી કરાયો પરંતુ તેના વેચાણનો સમય પણ નક્કી કરવામાં આવ્યો છે. સરકારે ખાંડ મિલોને કહ્યું છે કે, તેમણે ફાળવવામાં આવેલા કોટાની ઓછામાં ઓછી 40% માત્રા પહેલા સપ્તાહમાં વેચવી પડશે. બાકી રહેલી માત્રા પછીના સપ્તાહમાં વેચવી પડશે. આનો હેતુ એ સુનિશ્ચિત કરવાનો છે કે, ખાંડ બજારમાં એકસાથે ઓછી માત્રામાં ન પહોંચે અને પછી મહિનાના અંતમાં મોટી માત્રા બજારમાં આવે.

વેચાણના 7 દિવસની અંદર ખાંડ પહોંચાડવી પડશે

સરકારે ખાંડ મિલો માટે એક બીજો મહત્વપૂર્ણ નિયમ લાગુ કર્યો છે. મિલ દ્વારા ખાંડ વેચ્યા પછી તેને સાત દિવસની અંદર મિલમાંથી ડિસ્પેચ કરવી ફરજિયાત રહેશે. ટૂંકમાં, ખાંડ વેચીને તેને લાંબા સમય સુધી મિલમાં રોકી રાખવાની ગુંજાશ ઓછી થશે. સરકારનું માનવું છે કે, આનાથી મિલથી ડીલર અને પછી ડીલરથી ગ્રાહક સુધી ખાંડની અવરજવર ઝડપી બનશે.

સરકારનું ફોકસ ખાંડની કિંમત પર કેમ?

છેલ્લા કેટલાક સમયમાં ખાંડના છૂટક ભાવમાં તીવ્ર વધારો થયો હતો. હવે સરકારના જણાવ્યા મુજબ, મિલ સ્તરે ખાંડના ભાવમાં આશરે 20% નો ઘટાડો આવ્યો છે અને છૂટક ભાવમાં પણ ઘટાડાના પ્રારંભિક સંકેતો દેખાવા લાગ્યા છે. સરકારનું અનુમાન છે કે, જથ્થાબંધ અને મિલ સ્તરે ભાવમાં આવેલી નરમાશની અસર થોડા સમય પછી છૂટક બજારમાં પણ દેખાશે. જો કે, બજારમાં ખાંડની કિંમત હજુ પણ ઊંચી બનેલી છે.

30 ઓગસ્ટે અખિલ ભારતીય સરેરાશ છૂટક કિંમત આશરે ₹64.24 પ્રતિ કિલો હતી. આ એક સપ્તાહ પહેલાના ₹63.12 પ્રતિ કિલો કરતાં આશરે 1.77% વધુ હતી. સરકારની નવી વ્યવસ્થા એવા સમયે આવી છે, જ્યારે ગ્રાહકો હજુ પણ મોંઘી ખાંડનો સામનો કરી રહ્યા છે.

એક મહિનામાં 30% થી વધુ મોંઘી ખાંડ

ખાંડની કિંમતમાં તાજેતરના વધારાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે, 30 ઓગસ્ટની સરેરાશ છૂટક કિંમત એક મહિના પહેલાની સરખામણીએ આશરે 30% વધુ હતી. ગયા વર્ષના સમાન ગાળાની સરખામણીમાં આ આશરે 38.6% વધુ હતી. આ જ કારણ છે કે, સરકાર હવે માત્ર ઉત્પાદન અને સ્ટોક પર નજર નથી રાખી રહી પરંતુ બજારમાં ખાંડ આવવાની ઝડપ પર પણ નિગરાની વધારી રહી છે.

સરકારને ખાંડની અછત નથી દેખાઈ રહી

સરકારનું કહેવું છે કે, દેશમાં ખાંડની કોઈ વાસ્તવિક અછત નથી. ખાંડ મિલોના સ્ટોકની દેશવ્યાપી તપાસમાં ઘણી જગ્યાએ મિલો પાસે તેમના માસિક રિટર્નમાં જાહેર કરાયેલી માત્રા કરતાં વધુ સ્ટોક મળ્યો હતો.

કેટલાક કિસ્સાઓમાં મિલ પર ફાળવવામાં આવેલી માત્રા કરતાં ઓછી ખાંડ વેચવાનો પણ આરોપ સામે આવ્યો. સરકારના જણાવ્યા મુજબ, આવી સ્થિતિમાં બજારમાં વાસ્તવિક અછતના બદલે પુરવઠો રોકી રાખવાથી કિંમતો પર દબાણ વધી શકે છે.

શું નવી વ્યવસ્થાથી ખાંડ સસ્તી થશે?

સરકારનો પ્રયાસ આ જ છે પરંતુ કિંમત તરત કેટલી ઘટશે એ માંગ અને પુરવઠા પર નિર્ભર રહેશે. જો 13 લાખ ટનનો કોટા નક્કી કરેલા સમયે બજારમાં આવે છે અને વેચાણના સાત દિવસની અંદર ખાંડનો પુરવઠો પૂરો પાડવામાં આવે છે, તો બજારમાં ઉપલબ્ધતા વધુ સારી થઈ શકે છે.

આ ઉપરાંત જો સરકારને લાગે છે કે, બજારમાં ખાંડ ઓછી પડી રહી છે તો પખવાડિયા દરમિયાન વધારાનો કોટા જાહેર કરવાનો વિકલ્પ પણ તેની પાસે રહેશે. આનાથી અચાનક કિંમત વધવાની શક્યતાને નિયંત્રિત કરવામાં મદદ મળી શકે છે.

તહેવારોની સીઝન પહેલા કેમ મહત્વપૂર્ણ છે આ નિર્ણય?

આવનારા મહિનાઓમાં દેશમાં તહેવારોની સીઝન શરૂ થશે. તહેવારો દરમિયાન ઘરોમાં મીઠાઈ, બેકરી અને બીજી ખાદ્ય વસ્તુઓની માંગ વધે છે. આનાથી ખાંડનો વપરાશ પણ વધી શકે છે. સરકારે આ જ કારણે ખાંડની ઉપલબ્ધતાને લઈને વિશ્વાસ વ્યક્ત કર્યો છે અને કહ્યું છે કે, તહેવારોની સીઝન દરમિયાન પૂરતી માત્રામાં ખાંડ ઉપલબ્ધ કરાવવા માટે જરૂરી પગલાં લેવામાં આવશે.

ઓક્ટોબરથી નવી ખાંડ પણ બજારમાં આવશે

ખાંડ બજાર માટે આગળનું ચિત્ર માત્ર હાલના સ્ટોક પર નિર્ભર નથી. સરકારના જણાવ્યા મુજબ, નવા પીલાણ સત્ર (Sugar Crushing Season) ની શરૂઆત 15 ઓક્ટોબરથી થશે. ઓક્ટોબરમાં 10 લાખ મેટ્રિક ટનથી વધુ ખાંડ ઉત્પાદનની આશા છે.

નવેમ્બરમાં ઉત્પાદન આશરે 45 લાખ મેટ્રિક ટન રહેવાનું અનુમાન છે. આનાથી ઘરેલું બજારમાં ઉપલબ્ધતા વધુ મજબૂત થઈ શકે છે. ટૂંકમાં, સરકાર સપ્ટેમ્બરમાં પુરવઠાને નિયંત્રિત કરવાની સાથે સાથે ઓક્ટોબર-નવેમ્બરમાં નવી ખાંડ આવવાનો રસ્તો પણ તૈયાર કરી રહી છે.

સપનાનું ઘર ખરીદ્યા પછી રજિસ્ટ્રી પૂરતી નથી… ચાવી મળ્યા પછી તરત કરો આ મહત્વપૂર્ણ કામ, નહીં તો થઈ શકે છે ‘મોટું નુકસાન’

Follow Us
ગીર સોમનાથ-જૂનાગઢ બોર્ડર પરની હોટલ-રિસોર્ટ પર ફરી વળ્યું બુલડોઝર
ગીર સોમનાથ-જૂનાગઢ બોર્ડર પરની હોટલ-રિસોર્ટ પર ફરી વળ્યું બુલડોઝર
ઉપરકોટમાં દીપડો દેખાતા વન વિભાગ એક્શનમાં! પ્રવાસીઓ માટે કિલ્લો બંધ
ઉપરકોટમાં દીપડો દેખાતા વન વિભાગ એક્શનમાં! પ્રવાસીઓ માટે કિલ્લો બંધ
જામનગરના કેશીયાના તળાવના પાળને હાથ અડાવતા જ ખરવા લાગ્યા કાંકરા!
જામનગરના કેશીયાના તળાવના પાળને હાથ અડાવતા જ ખરવા લાગ્યા કાંકરા!
સુરતમાં BJPના MLA- કોર્પોરેટર સામ સામે, વિકાસના નામે વિવાદ !
સુરતમાં BJPના MLA- કોર્પોરેટર સામ સામે, વિકાસના નામે વિવાદ !
આજે CM અને DyCM વિવિધ કંપનીઓના CEO સાથે બેઠક કરશે
આજે CM અને DyCM વિવિધ કંપનીઓના CEO સાથે બેઠક કરશે
PM નરેન્દ્ર મોદી 8 સપ્ટેમ્બરે આવશે ગુજરાતની મુલાકાતે
PM નરેન્દ્ર મોદી 8 સપ્ટેમ્બરે આવશે ગુજરાતની મુલાકાતે
રુ. 160.55 કરોડના ફ્રોડ મામલે EDના વડોદરા-મુંબઈમાં દરોડા
રુ. 160.55 કરોડના ફ્રોડ મામલે EDના વડોદરા-મુંબઈમાં દરોડા
ખેડૂતો માટે રાહત, વિંછિયાના 6 ગામમાંથી ઈકો સેન્સિટિવ ઝોનની નોંધ હટશે
ખેડૂતો માટે રાહત, વિંછિયાના 6 ગામમાંથી ઈકો સેન્સિટિવ ઝોનની નોંધ હટશે
રાજકોટ: સિવિલ અધિક્ષકે જાતે સફાઈ કરી સ્વચ્છતા અંગે આપ્યો કડક સંદેશ
રાજકોટ: સિવિલ અધિક્ષકે જાતે સફાઈ કરી સ્વચ્છતા અંગે આપ્યો કડક સંદેશ
જૂનાગઢના ઐતિહાસિક ઉપરકોટ કિલ્લામાં દીપડો દેખાતા ભયનો માહોલ
જૂનાગઢના ઐતિહાસિક ઉપરકોટ કિલ્લામાં દીપડો દેખાતા ભયનો માહોલ
g clip-path="url(#clip0_868_265)">