AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Union Budget 2023 : અગ્નિવીર માટે બજેટમાં ખાસ જાહેરાત, કરમાં આપી મોટી રાહત

અગ્નિપથ યોજના હેઠળ સેનામાં અગ્નિવીરોની ભરતી કરવામાં આવે છે. આ યોજના હેઠળ અગ્નિવીરોની ચાર વર્ષ માટે ભરતી કરવામાં આવે છે. 4 વર્ષ સુધી તેમને માસિક પગાર સિવાય મુસાફરી ભથ્થું, ગણવેશ ભથ્થું, કેન્ટીન સુવિધા અને આરોગ્ય સુવિધાઓ મળશે.

Union Budget 2023 : અગ્નિવીર માટે બજેટમાં ખાસ જાહેરાત, કરમાં આપી મોટી રાહત
Union budget 2023
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 01, 2023 | 4:07 PM
Share

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે પાંચમી વખત કેન્દ્રીય બજેટ રજુ કર્યું. જેમાં અગ્નિવીરોને કરમાં મોટી રાહત આપી છે. મહત્વનુ છે કે અગ્નિપથ યોજના હેઠળ સેનામાં અગ્નિવીરોની ભરતી કરવામાં આવે છે. આજે બજેટમાં નાણામંત્રીએ અગ્નિવીર કોર્પસ ફંડને EEE કેટેગરી હેઠળ લાવવાની જાહેરાત કરવામાં આવી. EEE કેટેગરીનો અર્થ એ છે કે અગ્નિવીર અથવા સરકાર દ્વારા આપવામાં આવેલ યોગદાન કરમુક્ત હશે. આના પર મળતું વ્યાજ પણ ટેક્સ ફ્રી હશે. જ્યારે અગ્નિવીરોને સંપૂર્ણ રકમ મળી જશે, તો તેના પર પણ ટેક્સ ચૂકવવો પડશે નહીં.

મહત્વનું છે કે, અગ્નિપથ યોજના હેઠળ સેનામાં અગ્નિવીરોની ભરતી કરવામાં આવે છે. આ યોજના હેઠળ અગ્નિવીરોની ચાર વર્ષ માટે ભરતી કરવામાં આવે છે. 4 વર્ષ સુધી તેમને માસિક પગાર સિવાય મુસાફરી ભથ્થું, ગણવેશ ભથ્થું, કેન્ટીન સુવિધા અને આરોગ્ય સુવિધાઓ મળશે. 4 વર્ષ પછી 75 ટકા અગ્નિવીર નિવૃત્ત થશે અને તેમને 11.71 લાખ રૂપિયાનું ‘સેવા નિધિ’ પેકેજ ચૂકવવામાં આવશે, જેમાં 4 વર્ષ માટે વ્યાજનો સમાવેશ થાય છે. નાણામંત્રીએ આ સમગ્ર ફંડને કરમુક્ત રાખવાનો પ્રસ્તાવ મૂક્યો છે.

કેન્દ્ર સરકારે સેનામાં ભરતી માટે આ સ્કીમ રજૂ કરી

કેન્દ્ર સરકારે સેનામાં ભરતી માટે આ સ્કીમ રજૂ કરી છે, જે અંતર્ગત ચાર વર્ષ માટે અગ્નિવીરોની ભરતી કરવામાં આવે છે. ચાર વર્ષ પછી આ પ્રશિક્ષિત અગ્નિવીરોમાંના માત્ર 25 ટકાને વધુ 15 વર્ષ માટે સેનામાં રાખવામાં આવશે અને 75 ટકા નિવૃત્ત થશે. આ યોજના હેઠળ જવાન, એરમેન અને નાવિકની જગ્યાઓ માટે ભરતી કરવામાં આવે છે. ચાર વર્ષ દરમિયાન અગ્નિવીરોને EPF/PPF માં પગાર અને બચતનો લાભ મળે છે. ચાર વર્ષ પછી નિવૃત્ત થનારા અગ્નિવીરોને સર્વિસ ફંડ પેકેજ તરીકે 11.71 લાખ મળશે. આ સિવાય 48 લાખનું વીમા કવચ હશે. ખાસ વાત એ છે કે એક વખત ભરતી થયા પછી અગ્નિવીરને ઓફિસરની પરવાનગી લીધા પછી જ ખાસ સંજોગોમાં વચ્ચે નોકરી છોડવાની મંજૂરી આપવામાં આવશે.

પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
g clip-path="url(#clip0_868_265)">