કાશ્મીરમાં હિમવર્ષાથી જનજીવન પ્રભાવિત, જમ્મુ-શ્રીનગર નેશનલ હાઈવે પર વાહનવ્યવહાર બંધ

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે હવામાનમાં પલટો આવ્યો છે. જેના કારણે કાશ્મીરમાં વરસાદની સાથે હિમવર્ષા પણ થઈ છે. હવે આ હિમવર્ષાની અસર કાશ્મીરના તમામ વિસ્તારોમાં દેખાઈ રહી છે.

કાશ્મીરમાં હિમવર્ષાથી જનજીવન પ્રભાવિત, જમ્મુ-શ્રીનગર નેશનલ હાઈવે પર વાહનવ્યવહાર બંધ
Jammu Srinagar National Highway closed for traffic due to heavy snowfall.
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 06, 2022 | 3:19 PM

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ઉત્તર ભારતના હવામાનમાં પલટો આવ્યો છે. જ્યાં ઉત્તર ભારતના મેદાની વિસ્તારોમાં વરસાદ પડ્યો છે, તો બીજી તરફ કાશ્મીરમાં (Kashmir) વરસાદની સાથે હિમવર્ષા (Snowfall) થઈ છે. આ હિમવર્ષાની અસર હવે કાશ્મીરમાં જોવા મળી રહી છે. જેના કારણે કાશ્મીર ખીણમાં આ દિવસોમાં જનજીવન પ્રભાવિત થવા લાગ્યું છે. બુધવારે કાશ્મીરમાં હિમવર્ષા બાદ ખરાબ હવામાનને કારણે વહીવટીતંત્રે જમ્મુ શ્રીનગર નેશનલ હાઈવેને (Jammu Srinagar National Highway) વાહનવ્યવહાર માટે બંધ કરી દીધો છે.

હાઈવે પર ઘણી જગ્યાએ ભૂસ્ખલન

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે જમ્મુ-કાશ્મીરમાં છેલ્લા બે દિવસથી હિમવર્ષા ચાલુ છે. આ સાથે કેટલીક જગ્યાએ વરસાદ અને ભૂસ્ખલનના બનાવો પણ નોંધાયા છે. વહીવટીતંત્રના જણાવ્યા મુજબ, વરસાદ અને હિમવર્ષાને કારણે હાઇવેને અડીને આવેલા રામબન જિલ્લાના ચંદ્રકોટ અને મિહાર વિસ્તારમાં ભૂસ્ખલનની ઘટનાઓ સામે આવી છે. વહીવટીતંત્રના જણાવ્યા મુજબ હજુ પણ વરસાદ અને હિમવર્ષા ચાલુ છે, તેથી ભૂસ્ખલનનો ખતરો હજુ પણ યથાવત છે. જેના કારણે હાઇવેને વાહનવ્યવહાર માટે બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

બરફના કારણે જમીન લપસણી બની, વાહનો પાછા મોકલવામાં આવ્યા

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે નવા વર્ષના પહેલા સપ્તાહમાં કાશ્મીરના હવામાનમાં પલટો આવ્યો છે. આ વરસાદ અને હિમવર્ષાને કારણે આ દિવસોમાં કાશ્મીરનું હવામાન ખરાબ થઈ ગયું છે. પ્રશાસનના જણાવ્યા મુજબ હિમવર્ષા અને વરસાદને કારણે હાઈવે પર જવાહર ટનલ પાસે જમીન લપસણી બની જે અકસ્માતનું કારણ બની શકે છે. આવી સ્થિતિમાં અગમચેતીના ભાગરૂપે આવતા વાહનોને પહેલાથી જ રોકીને પાછા મોકલવામાં આવી રહ્યા છે. વહીવટીતંત્રના જણાવ્યા મુજબ, ઘણા વધુ સાવચેતીનાં પગલાં લેવામાં આવી રહ્યા છે.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

કાશ્મીરમાં હાલ ઠંડીથી રાહત નહી, જનજીવન પ્રભાવિત

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે જમ્મુ-કાશ્મીરમાં છેલ્લા બે દિવસથી હિમવર્ષા ચાલુ છે. તેની સમગ્ર ખીણનું સામાન્ય જનજીવન પ્રભાવિત થયું છે, પરંતુ હાલમાં કાશ્મીરના લોકોને આગામી થોડા દિવસોમાં ઠંડીથી રાહત મળવાની કોઈ આશા નથી. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, અન્ય વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હજુ સક્રિય થવાનું બાકી છે. આ કારણે ખીણમાં હિમવર્ષા સાથે વરસાદ આવવાની સંભાવના છે. જેના કારણે કાશ્મીર ખીણનું તાપમાન ઘટશે અને ઠંડી વધશે. તેની સાથે જ જનજીવન પર વધુ અસર પડશે.

આ પણ વાંચો –

Air India Disinvestment: ભાજપના સાંસદ સુબ્રમણ્યમને ઝટકો,દિલ્હી હાઈકોર્ટ સુબ્રમણ્યમ સ્વામીની અરજી ફગાવી

આ પણ વાંચો –

PM Security Breach: PM મોદીની સુરક્ષામાં ખામીનો મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો, આવતીકાલે થશે સુનાવણી

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">