Smriti Irani રાહુલ ગાંધી પર આક્રમક, કહ્યું કે વિદેશમાં ભારતનું અપમાન કરનારા એ દેશની માફી માંગવી જોઈએ

કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ હાલના દિવસોમાં રાહુલ ગાંધી દ્વારા આપવામાં આવેલા નિવેદન પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે રાહુલ ગાંધીએ તેમના નિવેદન માટે માફી માંગવી જોઈએ. તેણે દેશની સંસ્થાઓનું અપમાન કર્યું છે.

Smriti Irani રાહુલ ગાંધી પર આક્રમક, કહ્યું કે વિદેશમાં ભારતનું અપમાન કરનારા એ દેશની માફી માંગવી જોઈએ
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 15, 2023 | 1:36 PM

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના લંડનમાં ગત દિવસોમાં આપેલા નિવેદન પર કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર સતત આક્રમક બની રહી છે. હવે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ બુધવારે રાહુલ ગાંધી પર આકરા પ્રહારો કર્યા હતા.કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ લંડનમાં રાહુલ ગાંધીના નિવેદનને લાખો સ્વાતંત્ર્ય સેનાનીઓના બલિદાન, સંસદીય પરંપરા, દેશની લોકતાંત્રિક વ્યવસ્થા અને મતદાન કરનાર દરેક નાગરિકનું અપમાન ગણાવ્યું હતું. તેમણે કહ્યું કે સંસદમાંથી ભાગવાને બદલે રાહુલ ગાંધીએ આવી ને માફી માંગવી જોઈએ.

સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે ચૂંટણીમાં જીત અને હાર એ રાજકીય પરંપરાઓનો ભાગ છે, પરંતુ રાહુલ ગાંધીએ એવા દેશની મુલાકાત લઈને વિદેશી શક્તિઓને ભારત પર હુમલો કરવાનું આમંત્રણ આપ્યું છે જેનો ઈતિહાસ ભારતને ગુલામ બનાવવાનો રહ્યો છે.

સ્મૃતિ ઈરાનીએ રાહુલ ગાંધીને સવાલો કર્યા

સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે હું રાહુલ ગાંધીને પૂછવા માંગુ છું, તમે વિદેશમાં કહ્યું કે તમને દેશની કોઈપણ યુનિવર્સિટીમાં બોલવાનો અધિકાર નથી. જો એમ હોય તો, જ્યારે 2016 માં એક યુનિવર્સિટીમાં ‘ભારત તેરે ટુકડે હોંગે’ ના નારા લગાવવામાં આવ્યા હતા, ત્યારે તમે તેનું સમર્થન કર્યું હતું, તે શું હતું? રાહુલ ગાંધી તમે ખોટું ક્યાં બોલી રહ્યા હતા લંડનમાં કે પછી ભારતમાં ?

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

કોંગ્રેસના સભ્ય સ્પીકર પર કાગળ ફેંકે છે : સ્મૃતિ ઈરાની

તમે એમ પણ કહ્યું કે, તમને તમારા લોકતંત્રના અધિકારોનું દેશની સંસદમાં હનન થતાં જોવા મળી રહ્યું છે. આજે હું રાહુલ ગાંધીને પુછવા માંગુ છુ કે, ગાંધી ખાનદાનના આદેશ અનુસાર જ્યારે લોકસભામાં કોંગ્રેસના સભ્ય કાગળ સ્પીકર પર ફેંકે છે તેમજ સ્પીકરનું અપમાન કરે છે તે શું છે. જ્યારે રાજ્યસભામાં રાષ્ટ્રના ઉપરાષ્ટ્રપતિની ખુરશી તરફ કોંગ્રેસના નેતા કાગળ ફેંકે છે. તે શું છે. હું આજે ભારતના તમામ નાગિરક તરફથી કહેવા માંગુ છું કે, સંસદ આપણા દેશની માત્ર સાંસદનો જમાવડો નથી આપણા દેશની સંવિધાનિક પરંપરા, લોકતાંત્રિક તાકાત અને દરેક ભારતીયનો અધિકાર ક્ષેત્ર છે.

સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ દેશની સંસદમાં માફી માંગવી જોઈએ. વિદેશમાં જઈને દેશ અને તેની સંસ્થાઓને અપમાનિત કરવાનું કામ કર્યું. મોદીના વિરોધમાં રાહુલ રાષ્ટ્રવિરોધી બની ગયા અને લંડનમાં બેસી લોકશાહીનું અપમાન કર્યું છે.

Latest News Updates

હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ
'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
g clip-path="url(#clip0_868_265)">