AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

લાજ શરમ નેવે મૂકી! તમે ગરીબ છો, તેમાં આ માસૂમનો શું વાંક? માતા-પિતાએ કંઈક એવું કર્યું કે, આખું રાજ્ય હચમચી ગયું

બાળક અને માતા-પિતા વચ્ચેનો સંબંધ દુનિયાના સૌથી મજબૂત સંબંધનું ઉદાહરણ છે. જો કે, હાલમાં જ આ સંબંધને લજવી નાખે તેવી ઘટના બહાર આવી છે.

લાજ શરમ નેવે મૂકી! તમે ગરીબ છો, તેમાં આ માસૂમનો શું વાંક? માતા-પિતાએ કંઈક એવું કર્યું કે, આખું રાજ્ય હચમચી ગયું
Image Credit source: AI Generated
| Updated on: Sep 07, 2025 | 8:45 PM
Share

ઝારખંડના પલામુ જિલ્લામાંથી એક હૃદયદ્રાવક કિસ્સો બહાર આવ્યો છે, જેણે ગરીબીના સત્યનો પર્દાફાશ કર્યો છે. લેસ્લીગંજ વિસ્તારમાં રહેતા એક ગરીબ દંપતીએ મજબૂરીમાં પોતાના એક મહિનાના માસૂમ પુત્રને માત્ર 50,000 રૂપિયામાં વેચી દીધો.

પુત્રને 50,000 રૂપિયામાં વેચી દીધો

બાળક અને માતા-પિતા વચ્ચેનો સંબંધ દુનિયાના સૌથી મજબૂત સંબંધનું ઉદાહરણ છે પરંતુ ગરીબી સામે કદાચ બધા સંબંધો ડગમગી જાય છે. આવું જ કઈંક ઝારખંડના પલામુ જિલ્લામાં બન્યું છે. અહીં એક અત્યંત ગરીબ દંપતીએ પોતાના એક મહિનાના પુત્રને માત્ર 50,000 રૂપિયામાં વેચી દીધો.

આ ઘટના મેદિનીનગરના લેસ્લીગંજ વિસ્તારની છે, જ્યાં ગરીબી અને બીમારી સામે ઝઝૂમી રહેલા પરિવાર માટે બધા રસ્તા બંધ થઈ ગયા હતા, ત્યારે તેમણે મજબૂરીમાં આ પગલું ભર્યું. મીડિયા રિપોર્ટસ અનુસાર, મુખ્યમંત્રી હેમંત સોરેને આ ઘટનાની નોંધ લીધી અને વહીવટીતંત્ર તેમજ પોલીસને ઝડપી કાર્યવાહી કરવાનો નિર્દેશ આપ્યો.

આ પછી પોલીસે લાતેહાર જિલ્લામાંથી માસૂમ બાળકને સારી સ્થિતિમાં શોધી કાઢ્યું, જેને કથિત રીતે એક દંપતીને વેચી દેવામાં આવ્યું હતું. લેસ્લીગંજ પોલીસ સર્કલ ઓફિસર સુનીલ કુમાર સિંહે જણાવ્યું કે, માતા-પિતાની ઓળખ રામચંદ્ર રામ અને પિંકી દેવી તરીકે થઈ છે.

શું હતી મજબૂરી?

‘રામચંદ્ર રામ’ એક મજૂર છે અને દૈનિક વેતનથી ગુજરાન ચલાવે છે. તેમણે કહ્યું કે, સતત વરસાદને કારણે તે છેલ્લા કેટલાંક મહિનાઓથી બેરોજગાર છે. તેમની પત્ની પિંકી દેવી બાળકના જન્મથી જ બીમાર હતી. સારવાર અને ખોરાક માટે પૈસાના અભાવે તેમને આવો નિર્ણય લેવો પડ્યો. રામે કહ્યું કે, “મારી પાસે પત્નીની સારવાર માટે કે બાળકોને ખવડાવવા માટે પણ પૈસા નહોતા. આવી સ્થિતિમાં, આ પગલું ભરવું પડ્યું.” આ બેઘર અને નિરાધાર પરિવાર પાસે રહેવા માટે સલામત જગ્યા પણ નથી. તેઓ તેમના બીજા ચાર બાળકો સાથે જર્જરિત ઝૂંપડીમાં રહી રહ્યા છે.

આ કેસ બહાર આવ્યા બાદ જિલ્લા વહીવટીતંત્રે પરિવારને સહાય તરીકે 20 કિલો અનાજ પૂરું પાડ્યું હતું અને વધુમાં વિવિધ સરકારી કલ્યાણકારી યોજનાઓ સાથે જોડવાની પ્રક્રિયા પણ શરૂ કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ ગુજરાતમાં અનરાધાર વરસાદની આગાહી, અનેક જિલ્લામા ઓરેન્જ એલર્ટ જાહેર, વર્તમાન ચોમાસામાં 102 ટકા વરસ્યો મેહુલિયો

Follow Us
બાબા બાગેશ્વરનો દિવ્ય દરબાર, મુસ્લિમ ભક્તે પણ લીધા આશીર્વાદ
બાબા બાગેશ્વરનો દિવ્ય દરબાર, મુસ્લિમ ભક્તે પણ લીધા આશીર્વાદ
સ્કૂલ પરિવહન મોંઘું બનશે? આજે સાંજે બેઠકમાં થશે અંતિમ નિર્ણય
સ્કૂલ પરિવહન મોંઘું બનશે? આજે સાંજે બેઠકમાં થશે અંતિમ નિર્ણય
રાશિફળ: કલાત્મક ક્ષમતાથી થશે અચાનક લાભ, પ્રવાસ સુખદ અને શૈક્ષણિક રહેશે
રાશિફળ: કલાત્મક ક્ષમતાથી થશે અચાનક લાભ, પ્રવાસ સુખદ અને શૈક્ષણિક રહેશે
નવસારીમાં ઓપરેશન મ્યુલ હન્ટ 2.0: 91 કરોડના કૌભાંડમાં બે સાયબર ઠગ ઝડપાય
નવસારીમાં ઓપરેશન મ્યુલ હન્ટ 2.0: 91 કરોડના કૌભાંડમાં બે સાયબર ઠગ ઝડપાય
બાબા બાગેશ્વરને ચેલેન્જ કરનાર પુરુષોત્તમ પીપળીયાની રાજકોટમાં અટકાયત
બાબા બાગેશ્વરને ચેલેન્જ કરનાર પુરુષોત્તમ પીપળીયાની રાજકોટમાં અટકાયત
ચાતક નજરે વરસાદની રાહ જોતા રાજ્યવાસીઓ માટે રાહતના સમાચાર............
ચાતક નજરે વરસાદની રાહ જોતા રાજ્યવાસીઓ માટે રાહતના સમાચાર............
ચાંદલોડિયા અન્ડર બ્રિજ બન્યો જનતાના માથાનો દુખાવો, 3 વર્ષથી કામ અધૂરું
ચાંદલોડિયા અન્ડર બ્રિજ બન્યો જનતાના માથાનો દુખાવો, 3 વર્ષથી કામ અધૂરું
રાજુલામાં ખાનગી શાળાઓની જોહુકમી સામે શિક્ષણ વિભાગે કરી લાલ આંખ
રાજુલામાં ખાનગી શાળાઓની જોહુકમી સામે શિક્ષણ વિભાગે કરી લાલ આંખ
પાલિતાણામાં શેત્રુંજી પર્વત પર યાત્રાળુનું બેગ લઈને ભાગ્યા સાવજ રાજા
પાલિતાણામાં શેત્રુંજી પર્વત પર યાત્રાળુનું બેગ લઈને ભાગ્યા સાવજ રાજા
ભડકોદ્રામાં 30 વર્ષ જૂની ટાંકી પત્તાના મહેલની જેમ તૂટી પડી
ભડકોદ્રામાં 30 વર્ષ જૂની ટાંકી પત્તાના મહેલની જેમ તૂટી પડી
g clip-path="url(#clip0_868_265)">