Agriculture Laws: શિરોમણી અકાલી દળે પીએમ મોદીને ખેડૂતોને મળવાની વિનંતી કરી, સુખબીર સિંહ બાદલે કહ્યું – કોઈ પણ શરત વગર વાતચીત થવી જોઈએ

રાકેશ ટિકૈતે ભારત બંધ વિશે કહ્યું કે તેમાં સંપૂર્ણ સફળતા મળી છે. સંયુક્ત કિસાન મોરચા દ્વારા આગામી રણનીતિ બનાવવામાં આવશે. તેમણે કહ્યું કે, અમારું 'ભારત બંધ' સફળ રહ્યું. અમને ખેડૂતોનો સંપૂર્ણ ટેકો મળ્યો.

Agriculture Laws: શિરોમણી અકાલી દળે પીએમ મોદીને ખેડૂતોને મળવાની વિનંતી કરી, સુખબીર સિંહ બાદલે કહ્યું - કોઈ પણ શરત વગર વાતચીત થવી જોઈએ
Narendra Modi - Sukhbir Singh Badal
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 28, 2021 | 5:16 PM

શિરોમણી અકાલી દળ (SAD) ના પ્રમુખ અને પંજાબના પૂર્વ નાયબ મુખ્યમંત્રી સરદાર સુખબીર સિંહ બાદલે (Sukhbir Singh Badal) વડાપ્રધાન નરેન્દ્ર મોદીને (Prime Minister Narendra Modi) વિનંતી કરી હતી કે, ખેડૂતોને કોઈ પણ શરતો વગર મંત્રણા માટે આમંત્રણ આપો.

તેમણે કહ્યું કે પીએમે વ્યક્તિગત રીતે, તાત્કાલિક અને અસરકારક રીતે હસ્તક્ષેપ કરવો જોઈએ અને ત્રણ કાળા કાયદા રદ કરવા માટે ખેડૂતો સાથે વાત કરવી જોઈએ. શાંતિપૂર્ણ બંધની સંપૂર્ણ સફળતા માટે દેશના ખેડૂતો, ખાસ કરીને પંજાબ અને હરિયાણાના લોકોને અભિનંદન આપતા સરદાર બાદલે કહ્યું કે, બધાએ મળીને સરકારને બતાવ્યું છે કે કેવી રીતે આખો દેશ “અન્નદાતા” ની સાથે છે.

સરદાર બાદલે પ્રધાનમંત્રીને કૃષિ માર્કેટિંગ અધિનિયમ રદ કરવા માટે સંસદનું વિશેષ સત્ર બોલાવવા વિનંતી કરી હતી. તેમણે કહ્યું કે જો સરકારે આ મુદ્દે અકાલી દળની સલાહનું ધ્યાન રાખ્યું હોત તો આજે પરિસ્થિતિ સંપૂર્ણપણે અલગ થવાની હતી. તેમની પાર્ટીએ સંસદમાં ખરડાઓ વિરુદ્ધ મત આપ્યો હતો અને મંત્રીમંડળ પણ છોડ્યું હતું. શિરોમણી અકાલી દળે ત્રણ કાયદાના વિરોધમાં ભાજપ સાથે ગઠબંધન પણ તોડ્યું હતું.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

શિરોમણી અકાલી દળ ખેડૂતોની સાથે છે

સરદાર સુખબીર સિંહ બાદલે કહ્યું કે પ્રથમ પગલા તરીકે સરકારે બિનશરતી અને કોઈ પણ સમય બગાડ્યા વગર ખેડૂતોના સંગઠનોને મંત્રણા માટે આમંત્રણ આપવું જોઈએ. તેમણે કહ્યું કે શિરોમણી અકાલી દળ ખેડૂતો સાથે એકજૂટ છે. ભારત બંધ પર સંયુક્ત કિસાન મોરચાને ભારત બંધ દરમિયાન અભૂતપૂર્વ સમર્થન મળ્યું. પંજાબ, હરિયાણા, કેરળ અને બિહારમાં સંપૂર્ણ બંધ રહ્યો હતો.

ભારતીય કિસાન યુનિયનના પ્રવક્તા રાકેશ ટિકૈતે ભારત બંધ વિશે કહ્યું કે તેમાં સંપૂર્ણ સફળતા મળી છે. સંયુક્ત કિસાન મોરચા દ્વારા આગામી રણનીતિ બનાવવામાં આવશે. તેમણે કહ્યું કે, અમારું ‘ભારત બંધ’ સફળ રહ્યું. અમને ખેડૂતોનો સંપૂર્ણ ટેકો મળ્યો. અમે બધું જ બંધ કરી શકતા નથી કારણ કે અમારે લોકોની અવર જવરને સરળ બનાવવી છે. તેમણે અહીં પણ કહ્યું હતું કે તેઓ સરકાર સાથે વાતચીત માટે તૈયાર છે, પરંતુ કોઈ વાતચીત થઈ રહી નથી.

કેન્દ્રના ત્રણ કૃષિ કાયદા વિરુદ્ધ છેલ્લા 10 મહિનાથી દિલ્હીની સરહદો પર આંદોલન કરી રહેલા 40 થી વધુ ખેડૂત સંગઠનોના સંયુક્ત કિસાન મોરચા (SKM) એ ભારત બંધનું આયોજન કર્યું હતું. આ રાષ્ટ્રવ્યાપી બંધ દરમિયાન દેશભરમાં ટ્રાફિક, વ્યાપારિક પ્રવૃત્તિઓ અને અન્ય સેવાઓ ખોરવાઈ હતી.

આ પણ વાંચો : પંજાબ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખપદેથી નવજોતસિંહ સિદ્ધુએ આપ્યુ રાજીનામુ, કેપ્ટન અમરિંદરે કહ્યુ-પંજાબ જેવા સરહદી રાજ્ય માટે તેઓ અનુકુળ નથી

આ પણ વાંચો : આ મહિલા ધારાસભ્ય એ સમજાવ્યું ભ્રષ્ટાચારનું ગણિત, લોટમાં મીઠા જેટલી લાંચ લે તો ચાલે !

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">