AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

આ મહિલા ધારાસભ્ય એ સમજાવ્યું ભ્રષ્ટાચારનું ગણિત, લોટમાં મીઠા જેટલી લાંચ લે તો ચાલે !

ગરીબ લોકો પાસેથી લાંચની વાત સાંભળીને ધારાસભ્યએ કહ્યું કે, થોડું ઘણું તો ચાલે, પરંતુ એક ગરીબ વ્યક્તિ પાસેથી હજારો રૂપિયાની લાંચ લેવી એ ખોટું છે.

આ મહિલા ધારાસભ્ય એ સમજાવ્યું ભ્રષ્ટાચારનું ગણિત, લોટમાં મીઠા જેટલી લાંચ લે તો ચાલે !
MLA Rambai Sinh - File Photo
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 28, 2021 | 2:29 PM
Share

એક ધારાસભ્યએ (MLA) કહ્યું કે, લાંચ લેવાનું પ્રમાણ શું હોવું જોઈએ. બહુજન સમાજ પાર્ટીના (BSP) ધારાસભ્ય રામબાઈ એ તેમના એક નિવેદનમાં કહ્યું છે કે, એક હજાર રૂપિયા સુધીની લાંચ લેવામાં કોઈ નુકસાન નથી. જોકે તેમણે વધુમાં કહ્યું હતું કે હજાર-પાંચસોની લાંચ લેવી સમજી શકાય તેવી વાત છે, પરંતુ 10 હજારની લાંચ લેવી એ ખોટું છે.

થોડા દિવસો પહેલા મધ્યપ્રદેશના પાથરીયા વિધાનસભા બેઠકના સતુઆ ગામના લોકો તેમની સમસ્યાઓ સાથે ધારાસભ્ય રામબાઈ પાસે પહોંચ્યા હતા. લોકોએ રોજગાર સહાયક અને સચિવ પર લાંચ લેવાનો આરોપ લગાવ્યો. લોકોએ કહ્યું કે પીએમ આવાસના નામે મદદનીશો અને સચિવો હજારો રૂપિયા વસૂલી રહ્યા છે.

લોકોએ 5 થી 10 હજારની લાંચ લેવાનો આરોપ લગાવ્યો

ગ્રામજનોની ફરિયાદના આધારે ધારાસભ્યએ રવિવારે સતુઆમાં જન ચૌપાલનું આયોજન કર્યું હતું. રોજગાર સહાયક નિરંજન તિવારી અને સચિવ નારાયણ ચૌબેને પણ આ ચૌપલમાં બોલાવવામાં આવ્યા હતા. જ્યાં લોકોએ ધારાસભ્યની સામે રોજગાર સહાયક અને સચિવની ફરિયાદ પણ કરી હતી. લોકોએ બંને પર હજારો રૂપિયાની લાંચ લેવાનો આરોપ લગાવ્યો. કેટલાક લોકોએ 5 હજાર અને કેટલાક 10 હજાર રૂપિયા સુધીની લાંચ લેવાનો આરોપ લગાવ્યો હતો.

1,000 રૂપિયાની લાંચ લીધી હોત તો કોઈ વાંધો નથી : ધારાસભ્ય

ગરીબ લોકો પાસેથી લાંચની વાત સાંભળીને ધારાસભ્યએ કહ્યું કે, થોડું ઘણું તો ચાલે, પરંતુ એક ગરીબ વ્યક્તિ પાસેથી હજારો રૂપિયાની લાંચ લેવી એ ખોટું છે. ધારાસભ્યએ કહ્યું કે લોટમાં મીઠું ચાલે, અમે તે નકારતા નથી. તમે કોઈની પાસેથી આખી થાળી જ કેવી રીતે છીનવી શકો ? આટલો ભ્રષ્ટાચાર યોગ્ય નથી. રામબાઈ સિંહે વધુમાં કહ્યું કે, જો તે એક હજાર રૂપિયા પણ લેત, તો તેને કોઈ વાંધો નહોતો, પરંતુ 1.25 લાખના ઘરમાં 5 થી 10 હજારની લાંચ લેવી ખૂબ જ ખોટી વાત છે.

આ પણ વાંચો : Indian Army : ઉરી ઓપરેશન પર સેનાનું નિવેદન, સાત દિવસમાં ઘૂસણખોરીનો પ્રયાસ કરતા સાત આતંકીઓને ઠાર કર્યા

આ પણ વાંચો : Delhi : મંડોલી જેલમાં 25 કેદીઓએ જેલની દિવાલ અને સળિયા પર માથું અથડાવી પોતાને ઘાયલ કર્યા

g clip-path="url(#clip0_868_265)">