પંજાબ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખપદેથી નવજોતસિંહ સિદ્ધુએ આપ્યુ રાજીનામુ, કેપ્ટન અમરિંદરે કહ્યુ-પંજાબ જેવા સરહદી રાજ્ય માટે તેઓ અનુકુળ નથી

પંજાબના પૂર્વ સીએમ કેપ્ટન અમરિંદર સિંહ જેપી નડ્ડા-અમિત શાહને મળીને ભાજપમાં જોડાવવાની અટકળો વચ્ચે નવજોતસિંહ સિદ્ધએ પ્રદેશ પ્રમુખપદેથી રાજીનામુ આપી દિધુ. રાજીનામુ આપતા સિદ્ધુએ, કોંગ્રેસમાં રહીને પક્ષનુ કામ કરતા રહેવાની વાત કરી છે.

પંજાબ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખપદેથી નવજોતસિંહ સિદ્ધુએ આપ્યુ રાજીનામુ, કેપ્ટન અમરિંદરે કહ્યુ-પંજાબ જેવા સરહદી રાજ્ય માટે તેઓ અનુકુળ નથી
NAVJOT SIDHHU ( FILE PHOTO)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 28, 2021 | 4:21 PM

પંજાબ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ નવજોત સિંહ સિદ્ધએ, પ્રદેશ પ્રમુખપદેથી રાજીનામુ આપી દિધુ છે. પંજાબના પૂર્વ મુખ્યપ્રધાન કેપ્ટન અમરિંદરસિંહ આજે દિલ્લીમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડા અને કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહને મળવાના હોવાના સમાચાર વહેતા થયા હતા. જેના પગલે, પંજાબના રાજકારણમાં હજુ પણ ઉથલપાથલ ચાલુ રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી હતી.

પંજાબમાં મુખ્યપ્રધાન ચરણજીત સિંહ ચન્નીની નવી રાજ્ય સરકાર અસ્તિત્વમાં આવી ગઈ હોવા છતા, પંજાબના રાજકારણમાં ગરમાવો યથાવત છે. પંજાબના પૂર્વ મુખ્ય પ્રધાન કેપ્ટન અમરિંદર સિંહના ભાજપમાં જોડાવાની અટકળો ચાલી રહી છે. જો કે કેપ્ટને છેલ્લે સ્પષ્ટતા કરી છે કે, તેઓ અંગત કામ અર્થે દિલ્લી આવ્યા છે. આ દરમિયાન પંજાબ કોંગ્રેસમાં વધુ ભંગાણ પાડતા અટકાવવા માટે, પંજાબ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ નવજોતસિંહ સિદ્ધુએ, કોંગ્રેસ હાઈકમાન્ડને તેમનુ રાજીનામુ સોપી દીધુ છે.

પંજાબ કોંગ્રેસમાં છેલ્લા ઘણા સમયથી ફુંકાયેલ રાજકીય વાવાઝોડુ શાંત થવાનુ નામ નથી લેતુ. સમયાતંરે પંજાબ કોંગ્રેસમાં રાજકીય ભૂકંપના આચંકાઓ આવતા રહે છે. પંજાબ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ નવજોતસિંહ સિદ્ધુએ મંગળવાર 28મી સપ્ટેમ્બરે, પોતાના હોદ્દા પરથી રાજીનામુ હાઈકમાન્ડને ઘરી દીધુ છે. જો કે રાજીનામુ આપતા નવજોતસિંહ સિદ્ધુએ કોંગ્રેસમાં રહીને પક્ષનુ કામ કરતા રહેવાની વાત કરી છે.

પંજાબમાં ચરણજીત સિંહ ચન્નીની સરકાર રચાયાના ગણતરીના દિવસોમાં જ પૂર્વ મુખ્યપ્રધાન કેપ્ટન અમરિંદરસિંહ દિલ્લી જઈને ભાજપના સર્વોચ્ચ નેતાગણને મળવાના હોવાના સમાચાર વહેતા તથા જ પંજાબ કોંગ્રેસમાં હંડકંપ મચ્યો હતો. 2022ની વિધાનસભા ચૂંટણી પૂર્વે પંજાબ કોંગ્રેસમાં વધુ ભંગાણ પડતા અટકે અને ચૂંટણી રાજકીય અસ્થિરતાની કોઈ અસર ના થાય તે માટે હાઈકમાન્ડના કહેવાથી નવજોતસિંહે રાજીનામુ આપી દિધુ હોવાનું કહેવાઈ રહ્યું છે.

પંજાબમાં ચર્ચાઈ રહેલી ચર્ચા મુજબ, નવજોત સિંહ સિદ્ધુને પૂછ્યા વગર અમૃતસરના પોલીસ કમિશનરની બદલી કરવા અને નવા કમિશનરની નિમણૂકથી સિદ્ધુ નારાજ હતા. તો બીજીબાજુ, મુખ્ય પ્રધાન ચરણજીત સિંહ ચન્ની વતી છેલ્લા કેટલાક દિવસોથી નવજોત સિંહ સિદ્ધુને સતત સાઈડલાઈન કરવામાં આવી રહ્યા હતા. નવજોતસિંહને, મુખ્ય પ્રધાન ચરણજીત સિંહ ચન્નીના કોઈ સરકારી કાર્યક્રમમાં આમંત્રિત કરવામાં આવી રહ્યા ન હતા.

સૂત્રોના જણાવ્યા અનુસાર સુખજિંદર સિંહ રંધાવાને ગૃહ મંત્રાલય આપવામાં આવવાથી નવજોતસિંહ સિદ્ધુને નારાજ હતા. સિદ્ધુને આશા હતી કે જ્યારે એક જાટ શીખના ચહેરા તરીકે સુખજિંદર સિંહ રંધાવાનું નામ આગળ મૂકવામાં આવ્યું હતું તેમ છતાં તેમને મુખ્યપ્રધાન બનાવવામાં આવ્યા ન હતા સિદ્ધુનુ માનવુ હતુ કે, હાઈકમાન્ડ જાટ શીખ અને લોકપ્રિય ચહેરાના નામ પર વિચાર કરશે, પરંતુ તેમ ના થતા નવજોત સિંહ સિદ્ધુ નારાજ હતા અને આખરે તેમણે તેમના હોદ્દા પરથી રાજીનામુ આપી દિધુ.

બીજી બાજુ, પંજાબ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખપદેથી રાજીનામુ આપ્યા બાદ, પંજાબના પૂર્વ મુખ્ય પ્રધાન કેપ્ટન અમરિંદરસિંહે ટ્વીટ કરીને જણાવ્યુ છે કે, હુ કહેતો હતો કે તેઓ પંજાબ જેવા સરહદી અને સંવેદનશીલ રાજ્ય માટે અનુકુળ વ્યક્તિ નથી.

આ પણ વાંચોઃ પંજાબના પૂર્વ સીએમ કેપ્ટન અમરિંદર સિંહ આજે દિલ્હીમાં, જેપી નડ્ડા-અમિત શાહને મળી શકે છે, ભાજપમાં જોડાવવાની અટકળ

આ પણ વાંચોઃ ગુજરાતમાં છેલ્લા 10 વર્ષની સરખામણીએ સપ્ટેમ્બર માસમાં આ વર્ષે રેકોર્ડ બ્રેક વરસાદ, જાણો વિગતે

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">