AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rahul Gandhi: માનહાનિ કેસમાં રાહુલ ગાંધીની અપીલ સેશન્સ કોર્ટે ફગાવી, કોંગ્રેસ નેતા હવે આગળ શું કરશે?

કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીની અપીલ સેશન્સ કોર્ટે ફગાવી દીધી હતી, પરંતુ તેમની પાસે હજુ પણ ઘણા રસ્તાઓ ખુલ્લા છે. સેશન્સ કોર્ટ દ્વારા અપીલને બરતરફ કરવાનો અર્થ એ છે કે મેજિસ્ટ્રેટ કોર્ટનો નિર્ણય લાગુ થશે, જ્યાં તેને બે વર્ષની જેલની સજા કરવામાં આવી હતી.

Rahul Gandhi: માનહાનિ કેસમાં રાહુલ ગાંધીની અપીલ સેશન્સ કોર્ટે ફગાવી, કોંગ્રેસ નેતા હવે આગળ શું કરશે?
Rahul Gandhi
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 20, 2023 | 12:42 PM
Share

Rahul Gandhi Appeal Rejected: કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીની અપીલ સુરત સેશન્સ કોર્ટે ફગાવી દીધી છે. રાહુલે માનહાનિ કેસમાં મેજિસ્ટ્રેટ કોર્ટના નિર્ણયને પડકાર્યો હતો. સેશન્સ કોર્ટે નીચલી કોર્ટના નિર્ણયને યથાવત રાખ્યો છે, જ્યાં તેને ‘મોદી’ અટક કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યા હતા. રાહુલ ગાંધીને બે વર્ષની સજા થઈ હતી. ચુકાદાના 24 કલાકની અંદર તેમને સંસદમાંથી ગેરલાયક ઠેરવવામાં આવ્યા હતા. સેશન્સ કોર્ટમાંથી ઝટકો મળ્યા બાદ રાહુલ ગાંધી હવે હાઈકોર્ટમાં જશે.

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને મેજિસ્ટ્રેટ કોર્ટે 23 માર્ચે દોષિત ઠેરવ્યા હતા. તેમને 24 માર્ચે સંસદમાંથી ગેરલાયક ઠેરવવામાં આવ્યા હતા. આ પછી 3 એપ્રિલે સેશન્સ કોર્ટમાં રાહુલ ગાંધીએ નીચલી કોર્ટના નિર્ણયને પડકાર્યો હતો. અપીલમાં તેમણે કહ્યું કે તેમના નિવેદનને ખોટી રીતે રજૂ કરવામાં આવ્યું છે અને તેના કારણે તેમને મોટું નુકસાન થયું છે. રાહુલના વકીલે બે અરજી દાખલ કરી હતી. એકમાં રાહુલને દોષિત ઠેરવવાના નિર્ણયને પડકારવામાં આવ્યો હતો અને બીજી અરજીમાં કોર્ટના નિર્ણય પર સ્ટે માંગવામાં આવ્યો હતો.

સેશન કોર્ટનો ઝટકો, રાહુલ પાસે હવે શું વિકલ્પ છે?

કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીની અપીલ સેશન્સ કોર્ટે ફગાવી દીધી હતી, પરંતુ તેમની પાસે હજુ પણ ઘણા રસ્તાઓ ખુલ્લા છે. સેશન્સ કોર્ટ દ્વારા અપીલને બરતરફ કરવાનો અર્થ એ છે કે મેજિસ્ટ્રેટ કોર્ટનો નિર્ણય લાગુ થશે, જ્યાં તેને બે વર્ષની જેલની સજા કરવામાં આવી હતી. આ દરમિયાન જો નીચલી કોર્ટના નિર્ણય પર સ્ટે નહીં મૂકવામાં આવે તો રાહુલ માટે મોટી મુશ્કેલીઓ ઊભી થઈ શકે છે. દરમિયાન, એવું કહેવામાં આવી રહ્યું છે કે આવતીકાલે, 21 એપ્રિલના રોજ, તે હાઇકોર્ટમાં અરજી દાખલ કરશે અને વહેલી સુનાવણીની માગ કરશે.

આ પણ વાંચો : Breaking News : માનહાનિ કેસમાં રાહુલ ગાંધીની બે વર્ષની સજા રહેશે યથાવત

જો કોઈ વ્યક્તિ નીચલી અદાલતોના નિર્ણય અથવા આદેશથી સંતુષ્ટ ન હોય તો તેને અપીલ કરવાનો કાનૂની અધિકાર છે. દરેક વ્યક્તિને અપીલ કરવાનો અધિકાર છે, જો કોઈ વ્યક્તિ નીચલી અદાલતોના નિર્ણયથી સંતુષ્ટ ન હોય તો તે હાઈકોર્ટમાં અપીલ કરી શકે છે અને તેમ છતાં તે હાઈકોર્ટના નિર્ણયથી સંતુષ્ટ ન હોય તો તે સુપ્રીમમાં અપીલ કરી શકે છે. સુપ્રીમ કોર્ટ સિવિલ અને ફોજદારી કેસોમાં અપીલની સર્વોચ્ચ અદાલત છે. તે હાઈકોર્ટના નિર્ણય વિરુદ્ધ અપીલની સુનાવણી કરી શકે છે અને ત્યારબાદ કોઈ અપીલ થઈ શકતી નથી.

2019માં રાહુલ ગાંધીએ આપ્યું હતું નિવેદન

વર્ષ 2019 માં, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કર્ણાટકના કોલારમાં એક રેલીમાં ‘મોદી’ અટક ધરાવતા લોકો પર કેટલાક પ્રશ્નો પૂછ્યા હતા. ભારતના ‘ભાગેડુ’ નીરવ મોદી, લલિત મોદીનો ઉલ્લેખ કરીને તેમણે પૂછ્યું હતું કે ‘આખરે બધા ચોરની અટકમાં મોદી કેમ છે?’ તેનાથી નારાજ થઈને ગુજરાત ભાજપના નેતા પૂર્ણેશ મોદી વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો. નિવેદનના 4 વર્ષ પછી, સુરત મેજિસ્ટ્રેટ કોર્ટે ચુકાદામાં રાહુલને દોષી ઠેરવ્યો અને તેને બે વર્ષની જેલની સજા ફટકારી હતી.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

દેશ ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

"ક્લબિંગ પણ કરે છે અને ભજન પણ ગાય છે": RSS પ્રચાર પ્રમુખ સુનિલ આંબેકર
વ્યાજખોર ચિરાગ ગોટી સામે સુરતમાં નોંધાઈ વધુ એક પોલીસ ફરિયાદ
વ્યાજખોર ચિરાગ ગોટી સામે સુરતમાં નોંધાઈ વધુ એક પોલીસ ફરિયાદ
વડવાળા મંદિરના વિકાસ માટે હર્ષ સંઘવીએ કરી ₹2 કરોડની ગ્રાન્ટની જાહેરાત
વડવાળા મંદિરના વિકાસ માટે હર્ષ સંઘવીએ કરી ₹2 કરોડની ગ્રાન્ટની જાહેરાત
મોરારીબાપુએ તલગાજરડા થી સાળંગપુરના નવા રૂટની ST બસનો કરાવ્યો પ્રારંભ
મોરારીબાપુએ તલગાજરડા થી સાળંગપુરના નવા રૂટની ST બસનો કરાવ્યો પ્રારંભ
મોદીના ભગીરથ પાટીલ, પાણી, અને પડકારની વાતો જાણો
મોદીના ભગીરથ પાટીલ, પાણી, અને પડકારની વાતો જાણો
આંતરધર્મીય લગ્ન મુદ્દે હોબાળો! યુવતીને વકીલના વેશમાં કોર્ટમાં લવાઈ
આંતરધર્મીય લગ્ન મુદ્દે હોબાળો! યુવતીને વકીલના વેશમાં કોર્ટમાં લવાઈ
થિંક ફેસ્ટ મંચ પર હર્ષ સંઘવીએ લવ જેહાદ અને સોમનાથ પર કરી વાત
થિંક ફેસ્ટ મંચ પર હર્ષ સંઘવીએ લવ જેહાદ અને સોમનાથ પર કરી વાત
ઈરાન-ઈઝરાયલના યુદ્ધમાં દિવના યુવાને જીવ ગુમાવ્યો
ઈરાન-ઈઝરાયલના યુદ્ધમાં દિવના યુવાને જીવ ગુમાવ્યો
અમદાવાદમાંથી રૂ.89 લાખના કિંમતની જૂની ચલણી નોટ ઝડપાઈ
અમદાવાદમાંથી રૂ.89 લાખના કિંમતની જૂની ચલણી નોટ ઝડપાઈ
ઉનાળાની આકરી ગરમી માટે રહેજો તૈયાર, હવામાન વિભાગે કરી આગાહી
ઉનાળાની આકરી ગરમી માટે રહેજો તૈયાર, હવામાન વિભાગે કરી આગાહી
g clip-path="url(#clip0_868_265)">