નુપુર શર્માને મોટી રાહત, સુપ્રીમ કોર્ટે દિલ્હી ટ્રાન્સફર કર્યા તમામ કેસ, હાલમાં નહીં થાય ધરપકડ

સુનાવણી દરમિયાન નુપુર શર્માના વકીલ મનિન્દર સિંહે કહ્યું કે અમે ઝુબેર કેસમાં જે આદેશ આપ્યો છે તે જ આદેશની માંગ કરી રહ્યા છીએ કે તમામ કેસ એક જગ્યાએ ટ્રાન્સફર કરવામાં આવે. તમામ કેસોને એકસાથે લિંક કરો અને તેને દિલ્હી ટ્રાન્સફર કરો, કારણ કે દિલ્હીમાં પ્રથમ એફઆઈઆર નોંધવામાં આવી હતી.

નુપુર શર્માને મોટી રાહત, સુપ્રીમ કોર્ટે દિલ્હી ટ્રાન્સફર કર્યા તમામ કેસ, હાલમાં નહીં થાય ધરપકડ
Image Credit source: File Image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 10, 2022 | 4:50 PM

નુપુર શર્મા (Nupur Sharma) વિરુદ્ધ ચાલી રહેલા તમામ કેસોને દિલ્હી (Delhi) ટ્રાન્સફર કરવાની માંગ કરતી અરજી પર સુપ્રીમ કોર્ટમાં (Supreme Court) સુનાવણી હાથ ધરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે નુપુર શર્મા વિરુદ્ધ દેશના અલગ-અલગ રાજ્યોમાં નોંધાયેલી તમામ FIR (કેસો)ને ક્લબ કરીને દિલ્હી ટ્રાન્સફર કરવાનો આદેશ આપ્યો છે. સાથે જ ધરપકડ પર રોક લગાવવાનો વચગાળાનો આદેશ પણ ચાલુ રહેશે. કોર્ટે આ આદેશ નુપુર શર્માના જાન-માલને જોખમને ધ્યાનમાં રાખીને આપ્યો કર્યો છે. ઝુબેરના કેસમાં જાહેર કરાયેલા આદેશને ધ્યાનમાં રાખીને કોર્ટે આ આદેશ નુપુર કેસમાં આપ્યો છે.

સુનાવણી દરમિયાન નુપુર શર્માના વકીલ મનિન્દર સિંહે કહ્યું કે અમે ઝુબેર કેસમાં જે આદેશ આપ્યો છે તે જ આદેશની માંગ કરી રહ્યા છીએ કે તમામ કેસ એક જગ્યાએ ટ્રાન્સફર કરવામાં આવે. તમામ કેસોને એકસાથે લિંક કરો અને તેને દિલ્હી ટ્રાન્સફર કરો, કારણ કે દિલ્હીમાં પ્રથમ એફઆઈઆર નોંધવામાં આવી હતી.

નૂપુરના વકીલે શું કહ્યું?

સુનાવણી દરમિયાન પશ્ચિમ બંગાળના વકીલે કહ્યું કે દિલ્હીમાં નોંધાયેલી પહેલી FIR અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ હતી. નામ વાળી એફઆઈઆર મહારાષ્ટ્રમાં નોંધવામાં આવી હતી. નુપુરના વકીલે કહ્યું કે મારા અસીલનો જીવ જોખમમાં છે. આ ધ્યાનમાં રાખવું જોઈએ. તેના પર સુપ્રીમ કોર્ટે કહ્યું કે અમે આ હકીકતનું સંપૂર્ણ ધ્યાન રાખીશું.

નૂપુરના વકીલે કહ્યું કે તેમાં કોઈ શંકા નથી કે પહેલી એફઆઈઆર દિલ્હીમાં નોંધવામાં આવી હતી. બીજી બાજુના વકીલ દ્વારા કહેવામાં આવ્યું કે દિલ્હીમાં નોંધાયેલી FIRમાં નૂપુર શર્માએ અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ FIR નોંધાવી હતી. આમાં તે પોતે ફરિયાદી છે. તે જ સમયે, પશ્ચિમ બંગાળ તરફથી નૂપુર કેસમાં વિશેષ તપાસ ટીમની રચના કરવાની માંગ કરવામાં આવી હતી.

જણાવી દઈએ કે 26 મેના રોજ ટીવી ચેનલમાં નૂપુરના નિવેદન બાદ દિલ્હી, મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ સહિત 8 રાજ્યમાં FIR નોંધવામાં આવી હતી. ગત સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે નુપુરની ધરપકડ પર રોક લગાવી દીધી હતી.

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">