AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શું હોય છે સંથારો? સાડા ત્રણ વર્ષની બાળકી માટે તેના માતાપિતાએ કેમ પસંદ કર્યો મૃત્યુનો આ માર્ગ?

મધ્ય પ્રદેશના ઈંદોરમાં એક ત્રણ વર્ષની બાળકી વિયાના, જે બ્રેન ટ્યુમર થી પીડિત હતી. તેના માટે તેના માતાપિતાએ સંથારાનો માર્ગ પસંદ કર્યો. આ ઘટનાએ ચર્ચા જગાવી છે. કેટલાક તેને ધાર્મિક સ્વતંત્રતા ગણે છે, જ્યારે અન્યો તેને આત્મહત્યા ગણે છે. બાળકીના પરિવારે જૈન મુનિની સલાહ પર આ નિર્ણય લીધો હતો.

શું હોય છે સંથારો? સાડા ત્રણ વર્ષની બાળકી માટે તેના માતાપિતાએ કેમ પસંદ કર્યો મૃત્યુનો આ માર્ગ?
| Updated on: May 05, 2025 | 3:39 PM
Share

મધ્યપ્રદેશના ઈંદોરથી આવેલા સમાચારે સહુને ચોંકાવી દીધા છે. 3 વર્ષની દીકરી વિયાનાએ સંથારો લીધો અને પ્રાણત્યાગી દીધા છે. આ બાળકી બ્રેન ટ્યુમરથી પીડિત હત. જૈન ધર્મની આ પરંપરાને અપનાવ્યા બાદ અનેક સવાલ ઉઠી રહ્યા છે કે શું આ ધાર્મિક પ્રક્રિયા છે કે પછી બીજુ કંઈક, આવો તેને સરળ ભાષામાં સમજીએ.

વિયાનાને હતુ બ્રેન ટ્યુમર

ઈંદોરમાં જૈન પરિવારની આ બાળકી વિયાનાને જાન્યુઆરી 2025માં બ્રેન ટ્યુમરની જાણ થઈ હતી. સારવાર બાદ થોડી રાહત થઈ પરંતુ માર્ચ મહિનામાં ફરી તબિયત લથડી ગઈ. પરિવારે ઈંદોર અને મુંબઈમાં સારવાર કરાવી પરંતુ કોઈ આશા બચી નહીં.

સંથારાનું મળ્યુ સૂચન

એવામાં બાળકીના માતાપિતા બાળકીને એક જૈન મૂનિ પાસે લઈ ગયા. આ મુનિએ વિયાનાની હાલત જોઈને સંથારો કરવાની સલાહ આપી, પરિવાર પહેલાતી જ મુનિને ખૂબ માનતો હોવાથી તેમણે મુનિની સલાહ માનવાનું નક્કી કર્યુ. આ મુનિએ અગાઉ 107 જેટલા સંથારાનું સંચાલન પણ કર્યુ હતુ. પરિવારની સહમતિ બાદ આ પ્રક્રિયા શરૂ થઈ અને અડધા કલાકની અંદર જ વિયાનાએ તેની આંખો હંમેશા માટે બંધ કરી લીધી.

શું હોય છે સંથારો?

સંથારો જૈન ધર્મની એક ખાસ પરંપરા છે. જેમા વ્યક્તિ તેના જીવનના અંતિમ સમયમાં ખાવા-પીવાનુ ત્યાગી દે છે. આ નિર્ણય સમજી-વિચારીને લેવામાં આવે છે. તેમા કોઈ જ જાતનો દબાવ નથી હોતો અને ન તો કોઈ નિરાશાને કારણે આ પગલુ લે છે. વ્યક્તિ પોતાની જાતને શરીરથઈ અલગ ગણીને ધીરે ધીરે દુનિયાથી દૂર થવા લાગે છે. તેનો ઉદ્દેશ્ય મનને શાંતિ આપવાનો અને આત્માને મોક્ષની તરફ લઈ જવાનો હોય છે.

સવાલોના ઘેરામાં આવી સંથારાની પ્રક્રિયા

સંથારાને લઈને હંમેશા સવાલ ઉઠી રહ્યો છે કે શું સંથારો આત્મહત્યા છે. જૈન ધર્મમાં તેને આત્મહત્યા નથી માનતા. આત્મહત્યા ગુસ્સો, ડર કે દુ:ખના કારણે થાય છે. સંથારો શાંતિ અને સંયમ મમાટે કરવામાં આવે છે. આમા વ્યક્તિ ન તો જીવનથી ભાગે છે કે ન તો કોઈ પીડાથી ડરે છે. તે પોતાના જીવનના અંતિમ દિવસોને ધ્યાન, વિચાર અને શાંતિથી વિતાવવા માગે છે.

જો કે સંથારો દરેક વ્યક્તિ માટે નથી. તેને લેવા માટે વ્યક્તિએ માનસિક રીતે મજબુત અને આધ્યાત્મિક રીતે જાગૃત થવાની જરૂર હોય છે. સામાન્ય રીતે તો વૃદ્ધ અને લાંબા સમયથી બીમાર લોકો જ અપનાવે છે. બાળકો કે નબળા મનના લોકો તેને અપનાવતા નથી. પરંતુ વિયાનનો કેસ અલગ હતો. તેનો પરિવાર મુનિ સાથે ધાર્મિક વિશ્વાસથી જોડાયેલો હતો.

સંથારાને લઈને અલગ અલગ પ્રતિભાવ

આ ઘટના બાદ અનેક લોકોના મનમાં સવાલ થઈ રહ્યા છે. સંથારા માટે અલગ અલગ રાય છે. કેટલાક લોકો તેને ધાર્મિક સ્વતંત્રતા માને છે તો કેટલાક લોકો તેને આત્મહત્યા માને છે. તેના પર દલીલો થઈ રહી છે. જ્યારે વિયાનાની ઘટના ઘણી દુઃખદ છે. પરંતુ આ ઘટના આપણને જીવનનું મહત્વ અને મૃત્યુની વાસ્તવિક્તા વિશે વિચારવાનો મોકો આપે છે. આપણે એ પણ યાદ રાખવુ જોઈએ કે દરેક વ્યક્તિને તેની આસ્થા અને વિશ્વાસ અનુસાર જીવવાનો અધિકાર છે.

દેશ અને દુનિયાના તમામ સમાચારો વાંચવા માટે અહીં ક્લિક કરો

જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
g clip-path="url(#clip0_868_265)">