રશિયાના રાષ્ટ્રપતિ પુતિન સાથે વડાપ્રધાન મોદીએ ફોન પર કરી વાત, કરી આ ચર્ચા

પીએમ મોદીની રશિયન રાષ્ટ્રપતિ સાથેની આજે થયેલી વાતચીત વધુ મહત્વની છે કારણ કે રશિયન સેનાએ યુક્રેનના ઘણા મોટા શહેરો પર હુમલા તેજ કર્યા છે.

રશિયાના રાષ્ટ્રપતિ પુતિન સાથે વડાપ્રધાન મોદીએ ફોન પર કરી વાત, કરી આ ચર્ચા
Russian President Vladimir Putin and Prime Minister Narendra Modi
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 03, 2022 | 12:21 AM

યુક્રેનના (Ukraine) બીજા સૌથી મોટા શહેર ખારકીવ (Kharkiv) પર રશિયન સેનાના મોટા હુમલા વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ ફરી એકવાર રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન (Vladimir Putin)સાથે વાત કરી છે. અત્યાર સુધી મળતી માહિતી મુજબ વડાપ્રધાન મોદીએ યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને બચાવવા માટે રશિયન રાષ્ટ્રપતિ પુતિન સાથે વાત કરી છે. પીએમ મોદીની આજે રશિયન રાષ્ટ્રપતિ સાથેની વાતચીત વધુ મહત્વની છે કારણ કે રશિયન સેનાએ યુક્રેનના ઘણા મોટા શહેરો પર હુમલા તેજ કર્યા છે. મળતી માહિતી મુજબ યુક્રેનના ખાર્કિવમાં આજના હુમલામાં ભારે નુકસાન થયું છે અને અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે.

અત્યાર સુધીની માહિતી અનુસાર, યુક્રેન સંકટ પર દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉચ્ચ સ્તરીય બેઠક બાદ પીએમ મોદીએ રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે ફોન પર વાત કરી હતી. બંને દેશોના નેતાઓએ યુક્રેનની સ્થિતિની સમીક્ષા કરી અને ખાસ કરીને ખાર્કિવની સ્થિતિ વિશે વાત કરી જ્યાં હજુ પણ મોટી સંખ્યામાં ભારતીય વિદ્યાર્થીઓ અટવાયેલા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ રશિયન રાષ્ટ્રપતિને ભારતીયોને સુરક્ષિત રીતે ભારત પરત લાવવા ભાર મુક્યો હતી.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

ઉલ્લેખનીય છે કે યુક્રેન પર રશિયાના હુમલા બાદ વડાપ્રધાન મોદી સતત વિશ્વના નેતાઓ સાથે વાત કરી રહ્યા છે. તેણે મંગળવારે ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન સાથે વાત કરી. આ દરમિયાન બંને નેતાઓ વહેલી તકે યુદ્ધવિરામના મહત્વ પર સહમત થયા હતા. જણાવી દઈએ કે યુક્રેનના કેટલાક વિસ્તારોમાં બગડતી પરિસ્થિતિ વચ્ચે ભારતે તેના નાગરિકોને તાત્કાલિક ખારકીવ છોડી દેવા અને સાથે જ ત્રણ સુરક્ષિત સ્થળો તરફ જવા માટે કહ્યું છે, જે 16 કિમીની ત્રિજ્યામાં છે. એમ્બેસીએ એડવાઈઝરીમાં કહ્યું છે કે જે લોકોને ત્યાંથી જવા માટે કોઈ વાહન કે બસ નથી મળી રહી અને જેઓ રેલ્વે સ્ટેશન પર છે, તેઓ પગપાળા પેસોચિન (11 કિમી), બાબયે (12 કિમી) અને બેઝલ્યુડોવકા (16 કિમી) પહોચે.

યુક્રેનની સરહદ પરથી લગભગ 17,000 ભારતીયોને બહાર કાઢવામાં આવ્યા છે

વિદેશ મંત્રાલયે કહ્યું કે રશિયા તરફથી મળેલી માહિતીના આધારે યુક્રેનમાં ભારતીય દૂતાવાસે તરત જ તેના તમામ નાગરિકોને ખારકીવ છોડવા માટે કહ્યું છે. આ દરમિયાન, નવી દિલ્હીમાં વિદેશ મંત્રાલયે કહ્યું કે પ્રથમ એડવાઈઝરી જાહેર કરવામાં આવી ત્યારથી લગભગ 17,000 ભારતીયોએ યુક્રેનની સરહદ છોડી દીધી છે. તેમણે એમ પણ જણાવ્યું કે ભારતીયોને દેશમાં પાછા લાવવા માટે ચલાવવામાં આવી રહેલા ‘ઓપરેશન ગંગા’ અભિયાન હેઠળ છેલ્લા 24 કલાકમાં છ ફ્લાઈટ ભારત પહોંચી ચુકી છે.

આ પણ વાંચો :  Russia Ukraine War: યુક્રેન સંકટ પર પીએમ મોદીની હાઈ લેવલ મીટિંગ, ભારતીયોની વતન વાપસીની લઈ રહ્યા છે માહિતી

Latest News Updates

સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
લખતર પંથકમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ, સમસ્યાનો ઉકેલ નહીં તો મતદાન નહીં
લખતર પંથકમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ, સમસ્યાનો ઉકેલ નહીં તો મતદાન નહીં
વડગામના ભાજપ કાર્યાલય પર ક્ષત્રિય સમાજનું વિરોધ પ્રદર્શન
વડગામના ભાજપ કાર્યાલય પર ક્ષત્રિય સમાજનું વિરોધ પ્રદર્શન
EVM અને VVPATને લઈને સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો, જુઓ વીડિયો
EVM અને VVPATને લઈને સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો, જુઓ વીડિયો
g clip-path="url(#clip0_868_265)">