AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Russia Ukraine War: ખાર્કિવમાં ‘ઓપરેશન ગંગા’ સફળ, વિદેશ મંત્રાલયે કહ્યું- તમામ ભારતીયોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા

અરિંદમ બાગચીએ વધુમાં જણાવ્યું કે છેલ્લા 24 કલાકમાં 15 ફ્લાઈટ ભારત પહોંચી છે, જેમાં લગભગ 2900 ભારતીયોને બહાર કાઢવામાં આવ્યા છે. 'ઓપરેશન ગંગા' હેઠળ અત્યાર સુધીમાં લગભગ 13,300 ભારતીયોને લઈને 63 ફ્લાઈટ્સ ભારત પહોંચી છે.

Russia Ukraine War: ખાર્કિવમાં 'ઓપરેશન ગંગા' સફળ, વિદેશ મંત્રાલયે કહ્યું- તમામ ભારતીયોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 05, 2022 | 9:29 PM
Share

યુક્રેનના (Ukraine) ખાર્કિવમાં ફસાયેલા લગભગ તમામ ભારતીયોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ શનિવારે આ માહિતી આપી. તેમણે કહ્યું કે યુક્રેનના ખાર્કિવ (Kharkhiv) શહેરમાંથી લગભગ તમામ ભારતીયોને બહાર કાઢવામાં આવ્યા છે, જે એક સારા સમાચાર છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું કે હવે અમે જોશું કે હજુ પણ કેટલા ભારતીયો યુક્રેનમાં છે. તેમણે કહ્યું કે ભારતીય દૂતાવાસ એવા લોકોનો સંપર્ક કરશે જેઓ ત્યાં હોવાની શક્યતા છે, પરંતુ હજુ સુધી નોંધણી કરાવી નથી. સાથે સાથે અમને સુમીની ચિંતા થાય છે. ત્યાં પડકાર ચાલુ રહે છે. સુમીમાં હિંસા ચાલુ છે. આ સાથે અહીં વાહનવ્યવહારનો પણ અભાવ છે. અમે પિસોચિનમાંથી 298 વિદ્યાર્થીઓને બહાર કાઢ્યા છે.

અરિંદમ બાગચીએ વધુમાં જણાવ્યું કે છેલ્લા 24 કલાકમાં 15 ફ્લાઈટ ભારત પહોંચી છે, જેમાં લગભગ 2900 ભારતીયોને બહાર કાઢવામાં આવ્યા છે. ‘ઓપરેશન ગંગા’ હેઠળ અત્યાર સુધીમાં લગભગ 13,300 ભારતીયોને લઈને 63 ફ્લાઈટ્સ ભારત પહોંચી છે. આગામી 24 કલાકમાં વધુ 13 ફ્લાઈટ શેડ્યૂલ છે.

આવતીકાલે 2200 ભારતીયો સ્વદેશ પરત ફરશે

યુક્રેનના પડોશી દેશોમાંથી રવિવારે 11 ફ્લાઈટ મારફતે 2200થી વધુ ભારતીયો વતન પરત ફરશે. નાગરિક ઉડ્ડયન મંત્રાલયે આ માહિતી આપી. મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે શનિવારે લગભગ 3000 ભારતીયોને 15 ફ્લાઇટ્સ દ્વારા ‘એરલિફ્ટ’ કરવામાં આવ્યા હતા. તેમાં 12 વિશેષ નાગરિક અને ભારતીય વાયુસેનાની ત્રણ ફ્લાઈટ્સનો સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે, રશિયાના હુમલા બાદ 24 ફેબ્રુઆરીથી યુક્રેનની એરસ્પેસ બંધ છે. યુક્રેનમાં ફસાયેલા ભારતીય નાગરિકોને તેના પડોશી દેશો મારફતે સ્વદેશ લાવવામાં આવી રહ્યા છે.

સુમીમાં ફસાયેલા 700 ભારતીયોની માહિતી

અગાઉ, વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું હતું કે, અમે તમામ ભારતીય વિદ્યાર્થીઓને યુક્રેનમાં સતર્ક અને સુરક્ષિત રહેવા કહ્યું છે. તમામ વિદ્યાર્થીઓએ સલામત સ્થળે રહેવું જોઈએ અને બિનજરૂરી જોખમ ન લેવું જોઈએ. વિદેશ મંત્રાલય અને અમારા દૂતાવાસ વિદ્યાર્થીઓના સતત સંપર્કમાં છે. સુમી એ સંઘર્ષના ક્ષેત્રોમાંનું એક છે જ્યાં રશિયન અને યુક્રેનિયન સેનાઓ વચ્ચે ભીષણ લડાઈ જોવા મળી રહી છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ શુક્રવારે કહ્યું કે સુમીમાં 700 ભારતીયો ફસાયા હોવાની માહિતી છે.

આ પણ વાંચો : Russia Ukraine War: અભ્યાસ છોડીને યુક્રેનથી પરત ફરનારા વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર, ભારતમાં ઈન્ટર્નશિપ પૂર્ણ કરી શકશે

આ પણ વાંચો : Assembly Election: નરેન્દ્ર મોદી સ્વતંત્ર ભારતમાં સૌથી લોકપ્રિય વડાપ્રધાન, અમિત શાહે કહ્યું- ભાજપ ચારેય રાજ્યોમાં સરકાર બનાવવા જઈ રહી છે

Follow Us
રાજકોટને ઉનાળામાં નહીં સતાવે પાણીની અછત
રાજકોટને ઉનાળામાં નહીં સતાવે પાણીની અછત
મહિસાગરના લુણાવાડાના વરધરીને તાલુકો બનાવવાની માગ બની પ્રબળ
મહિસાગરના લુણાવાડાના વરધરીને તાલુકો બનાવવાની માગ બની પ્રબળ
ભક્તોના દાન પર પૂજારીઓની 'ગંદી નજર', કલેક્ટરે ફટકારી 11 સામે ફરિયાદ
ભક્તોના દાન પર પૂજારીઓની 'ગંદી નજર', કલેક્ટરે ફટકારી 11 સામે ફરિયાદ
રાંઘણગેસની અછતથી મુંબઈ-દાદરના અશોક વડાપાઉને તાળા વાગ્યાં
રાંઘણગેસની અછતથી મુંબઈ-દાદરના અશોક વડાપાઉને તાળા વાગ્યાં
કુંકાવાવથી રાજ્યની પ્રથમ જળસંચય કામગીરીનો કૌશિક વેકરીયાએ કર્યો પ્રારંભ
કુંકાવાવથી રાજ્યની પ્રથમ જળસંચય કામગીરીનો કૌશિક વેકરીયાએ કર્યો પ્રારંભ
ગેસની અછતને પગલે પાવાગઢ ભોજનાલયમાં મેનુમાં કરાયો ફેરફાર- Video
ગેસની અછતને પગલે પાવાગઢ ભોજનાલયમાં મેનુમાં કરાયો ફેરફાર- Video
જાણો ઊંધ ના આવવાના કારણો અને ગાઢ ઊંધ લાવવાના ઉપાયો
જાણો ઊંધ ના આવવાના કારણો અને ગાઢ ઊંધ લાવવાના ઉપાયો
મહીસાગરમાં તંત્રની સતર્કતા, બે બાળ લગ્ન અટકાવાયા
મહીસાગરમાં તંત્રની સતર્કતા, બે બાળ લગ્ન અટકાવાયા
પંચાયતના પ્રમુખ ધારાસભ્યને રડતા રડતા આજીજી કરતાનો ઓડિયો વાયરલ
પંચાયતના પ્રમુખ ધારાસભ્યને રડતા રડતા આજીજી કરતાનો ઓડિયો વાયરલ
8 દિવસ વહેલા આવી કેરી ! ગોંડલયાર્ડમાં 200 બોક્સ કેરીની આવક
8 દિવસ વહેલા આવી કેરી ! ગોંડલયાર્ડમાં 200 બોક્સ કેરીની આવક
g clip-path="url(#clip0_868_265)">