Russia Ukraine War: ખાર્કિવમાં ‘ઓપરેશન ગંગા’ સફળ, વિદેશ મંત્રાલયે કહ્યું- તમામ ભારતીયોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા

અરિંદમ બાગચીએ વધુમાં જણાવ્યું કે છેલ્લા 24 કલાકમાં 15 ફ્લાઈટ ભારત પહોંચી છે, જેમાં લગભગ 2900 ભારતીયોને બહાર કાઢવામાં આવ્યા છે. 'ઓપરેશન ગંગા' હેઠળ અત્યાર સુધીમાં લગભગ 13,300 ભારતીયોને લઈને 63 ફ્લાઈટ્સ ભારત પહોંચી છે.

Russia Ukraine War: ખાર્કિવમાં 'ઓપરેશન ગંગા' સફળ, વિદેશ મંત્રાલયે કહ્યું- તમામ ભારતીયોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા
Arindam Bagchi - File Photo
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 05, 2022 | 9:29 PM

યુક્રેનના (Ukraine) ખાર્કિવમાં ફસાયેલા લગભગ તમામ ભારતીયોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ શનિવારે આ માહિતી આપી. તેમણે કહ્યું કે યુક્રેનના ખાર્કિવ (Kharkhiv) શહેરમાંથી લગભગ તમામ ભારતીયોને બહાર કાઢવામાં આવ્યા છે, જે એક સારા સમાચાર છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું કે હવે અમે જોશું કે હજુ પણ કેટલા ભારતીયો યુક્રેનમાં છે. તેમણે કહ્યું કે ભારતીય દૂતાવાસ એવા લોકોનો સંપર્ક કરશે જેઓ ત્યાં હોવાની શક્યતા છે, પરંતુ હજુ સુધી નોંધણી કરાવી નથી. સાથે સાથે અમને સુમીની ચિંતા થાય છે. ત્યાં પડકાર ચાલુ રહે છે. સુમીમાં હિંસા ચાલુ છે. આ સાથે અહીં વાહનવ્યવહારનો પણ અભાવ છે. અમે પિસોચિનમાંથી 298 વિદ્યાર્થીઓને બહાર કાઢ્યા છે.

અરિંદમ બાગચીએ વધુમાં જણાવ્યું કે છેલ્લા 24 કલાકમાં 15 ફ્લાઈટ ભારત પહોંચી છે, જેમાં લગભગ 2900 ભારતીયોને બહાર કાઢવામાં આવ્યા છે. ‘ઓપરેશન ગંગા’ હેઠળ અત્યાર સુધીમાં લગભગ 13,300 ભારતીયોને લઈને 63 ફ્લાઈટ્સ ભારત પહોંચી છે. આગામી 24 કલાકમાં વધુ 13 ફ્લાઈટ શેડ્યૂલ છે.

સલમાન ખાનના બોડીગાર્ડ શેરાનું વાર્ષિક પેકેજ છે કરોડો રુપિયા, જુઓ ફોટો
ઉનાળામાં ગાય - ભેંસના દૂધ ઉત્પાદનમાં ઘટાડો જોવા મળે છે ? તો આ ટીપ્સ અપનાવો
Jaya Kishori પહેરે છે આ ખાસ વોચ, કિંમત અને ફિચર્સ જાણો
આજનું રાશિફળ તારીખ : 16-04-2024
UPSCની તૈયારી કરતાં લોકો ગાંઠ બાંધી લો વિકાસ દિવ્યકીર્તિ સરની આ 6 વાત
સાવધાન રહેજો! ગુજરાતમાં હીટવેવના ખતરા વચ્ચે સરકારનો એક્શન પ્લાન તૈયાર

આવતીકાલે 2200 ભારતીયો સ્વદેશ પરત ફરશે

યુક્રેનના પડોશી દેશોમાંથી રવિવારે 11 ફ્લાઈટ મારફતે 2200થી વધુ ભારતીયો વતન પરત ફરશે. નાગરિક ઉડ્ડયન મંત્રાલયે આ માહિતી આપી. મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે શનિવારે લગભગ 3000 ભારતીયોને 15 ફ્લાઇટ્સ દ્વારા ‘એરલિફ્ટ’ કરવામાં આવ્યા હતા. તેમાં 12 વિશેષ નાગરિક અને ભારતીય વાયુસેનાની ત્રણ ફ્લાઈટ્સનો સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે, રશિયાના હુમલા બાદ 24 ફેબ્રુઆરીથી યુક્રેનની એરસ્પેસ બંધ છે. યુક્રેનમાં ફસાયેલા ભારતીય નાગરિકોને તેના પડોશી દેશો મારફતે સ્વદેશ લાવવામાં આવી રહ્યા છે.

સુમીમાં ફસાયેલા 700 ભારતીયોની માહિતી

અગાઉ, વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું હતું કે, અમે તમામ ભારતીય વિદ્યાર્થીઓને યુક્રેનમાં સતર્ક અને સુરક્ષિત રહેવા કહ્યું છે. તમામ વિદ્યાર્થીઓએ સલામત સ્થળે રહેવું જોઈએ અને બિનજરૂરી જોખમ ન લેવું જોઈએ. વિદેશ મંત્રાલય અને અમારા દૂતાવાસ વિદ્યાર્થીઓના સતત સંપર્કમાં છે. સુમી એ સંઘર્ષના ક્ષેત્રોમાંનું એક છે જ્યાં રશિયન અને યુક્રેનિયન સેનાઓ વચ્ચે ભીષણ લડાઈ જોવા મળી રહી છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ શુક્રવારે કહ્યું કે સુમીમાં 700 ભારતીયો ફસાયા હોવાની માહિતી છે.

આ પણ વાંચો : Russia Ukraine War: અભ્યાસ છોડીને યુક્રેનથી પરત ફરનારા વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર, ભારતમાં ઈન્ટર્નશિપ પૂર્ણ કરી શકશે

આ પણ વાંચો : Assembly Election: નરેન્દ્ર મોદી સ્વતંત્ર ભારતમાં સૌથી લોકપ્રિય વડાપ્રધાન, અમિત શાહે કહ્યું- ભાજપ ચારેય રાજ્યોમાં સરકાર બનાવવા જઈ રહી છે

Latest News Updates

નિમુબેનની સભામાં ક્ષત્રિય સમાજના યુવકોએ બતાવ્યા કાળા વાવટા- Video
નિમુબેનની સભામાં ક્ષત્રિય સમાજના યુવકોએ બતાવ્યા કાળા વાવટા- Video
આ આંદોલન સ્વયંભુ, એક બે લોકોના કહેવાથી બંધ નહીં થાય- શક્તિસિંહ ગોહિલ
આ આંદોલન સ્વયંભુ, એક બે લોકોના કહેવાથી બંધ નહીં થાય- શક્તિસિંહ ગોહિલ
ભાજપના ઉમેદવારોએ સભા, રેલી યોજ્યા બાદ ભર્યા ફોર્મ- જુઓ Video
ભાજપના ઉમેદવારોએ સભા, રેલી યોજ્યા બાદ ભર્યા ફોર્મ- જુઓ Video
ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
ગીતાબાએ સંકલન સમિતિને ભાજપની B ટીમ ગણાવી સવાલો ઉઠાવ્યા
ગીતાબાએ સંકલન સમિતિને ભાજપની B ટીમ ગણાવી સવાલો ઉઠાવ્યા
g clip-path="url(#clip0_868_265)">