AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Russia Ukraine War: યુક્રેન સંકટ પર અમિત શાહે કહ્યું- 4 માર્ચ સુધી અમે યુક્રેનમાંથી 16,000 નાગરિકોને બહાર કાઢ્યા, 13000થી વધુ ભારત પહોંચ્યા

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે કહ્યું કે ઉત્તર પ્રદેશમાં બીજેપી ફરીથી જોરદાર તાકાત સાથે સરકાર બનાવવા જઈ રહી છે. યોગી આદિત્યનાથના નેતૃત્વમાં ઉત્તર પ્રદેશમાં કાયદો અને વ્યવસ્થામાં મોટું પરિવર્તન આવ્યું છે.

Russia Ukraine War: યુક્રેન સંકટ પર અમિત શાહે કહ્યું- 4 માર્ચ સુધી અમે યુક્રેનમાંથી 16,000 નાગરિકોને બહાર કાઢ્યા, 13000થી વધુ ભારત પહોંચ્યા
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 05, 2022 | 11:30 PM
Share

રશિયા-યુક્રેન યુદ્ધને (Russia Ukraine War) લઈને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે શનિવારે દિલ્હીમાં (Union Home Minister Amit Shah in Delhi) એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે અમે જાન્યુઆરીથી આ મુદ્દાને જોઈ રહ્યા છીએ. અમે 15 ફેબ્રુઆરીએ એડવાઈઝરી જાહેર કરી હતી. અમે આસપાસના ચાર દેશોમાં ટીમો મોકલી અને કંટ્રોલ રૂમ પણ બનાવ્યો. 4 માર્ચ સુધીમાં અમે યુક્રેનમાંથી 16,000 નાગરિકોને બહાર કાઢવામાં સફળ થયા. એ પણ કહ્યું કે 13,000 થી વધુ નાગરિકો ભારત પહોંચી ગયા છે અને વધુ ફ્લાઇટ્સ આવી રહી છે. ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે ચૂંટણી અને લોકો પર તેની સકારાત્મક અસર પડી છે.

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે કહ્યું કે ઉત્તર પ્રદેશમાં બીજેપી ફરીથી જોરદાર તાકાત સાથે સરકાર બનાવવા જઈ રહી છે. યોગી આદિત્યનાથના નેતૃત્વમાં ઉત્તર પ્રદેશમાં કાયદો અને વ્યવસ્થામાં મોટું પરિવર્તન આવ્યું છે. રાજ્યમાં તમામ પ્રકારની ગુનાહિત ઘટનાઓમાં 30 થી 70 ટકાનો ઘટાડો થયો છે. તમામ માફિયાઓ જેલમાં છે. મહિલાઓ અને છોકરીઓ હવે સુરક્ષિત અનુભવે છે.

બીજેપી ચાર રાજ્યોમાં ફરી સરકાર બનાવવા જઈ રહી છે – અમિત શાહ

અમિત શાહે કહ્યું કે અમે ચાર રાજ્યોમાં ફરી સરકાર બનાવવા જઈ રહ્યા છીએ. સાથે જ કહ્યું કે અમે પહેલીવાર પંજાબમાં અમારી સ્થિતિ સુધારીશું, અમે સૌથી મોટી ગઠબંધન પાર્ટી તરીકે પંજાબમાં ચૂંટણી લડી છે. અમિત શાહે કહ્યું કે ચૂંટણી એ માત્ર સરકાર બનાવવાની કવાયત નથી. અમારા માટે આ અમારી વિચારધારા અને સરકાર દ્વારા કરવામાં આવેલા કામને લોકો સુધી પહોંચાડવાની અને તેમની સમસ્યાઓ વિશે જાણવાની તક છે.

અમે ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, ગોવા અને મણિપુરમાં ફરીથી સરકાર બનાવીશું અને પંજાબમાં સારું પ્રદર્શન કરીશું. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ કહ્યું કે અમને ચૂંટણી પ્રચારથી લાગે છે કે ચાર રાજ્યો (ગોવા, ઉત્તરાખંડ, મણિપુર, ઉત્તર પ્રદેશ)માં જ્યાં અમે સરકારમાં હતા, ત્યાંના લોકોએ અમને ફરીથી ચૂંટવાનો નિર્ણય કર્યો છે.

આ પણ વાંચો : Russia Ukraine War: ખાર્કિવમાં ‘ઓપરેશન ગંગા’ સફળ, વિદેશ મંત્રાલયે કહ્યું- તમામ ભારતીયોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા

આ પણ વાંચો : Russia Ukraine War: અભ્યાસ છોડીને યુક્રેનથી પરત ફરનારા વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર, ભારતમાં ઈન્ટર્નશિપ પૂર્ણ કરી શકશે

Follow Us
ભક્તોના દાન પર પૂજારીઓની 'ગંદી નજર', કલેક્ટરે ફટકારી 11 સામે ફરિયાદ
ભક્તોના દાન પર પૂજારીઓની 'ગંદી નજર', કલેક્ટરે ફટકારી 11 સામે ફરિયાદ
રાંઘણગેસની અછતથી મુંબઈ-દાદરના અશોક વડાપાઉને તાળા વાગ્યાં
રાંઘણગેસની અછતથી મુંબઈ-દાદરના અશોક વડાપાઉને તાળા વાગ્યાં
કુંકાવાવથી રાજ્યની પ્રથમ જળસંચય કામગીરીનો કૌશિક વેકરીયાએ કર્યો પ્રારંભ
કુંકાવાવથી રાજ્યની પ્રથમ જળસંચય કામગીરીનો કૌશિક વેકરીયાએ કર્યો પ્રારંભ
ગેસની અછતને પગલે પાવાગઢ ભોજનાલયમાં મેનુમાં કરાયો ફેરફાર- Video
ગેસની અછતને પગલે પાવાગઢ ભોજનાલયમાં મેનુમાં કરાયો ફેરફાર- Video
જાણો ઊંધ ના આવવાના કારણો અને ગાઢ ઊંધ લાવવાના ઉપાયો
જાણો ઊંધ ના આવવાના કારણો અને ગાઢ ઊંધ લાવવાના ઉપાયો
મહીસાગરમાં તંત્રની સતર્કતા, બે બાળ લગ્ન અટકાવાયા
મહીસાગરમાં તંત્રની સતર્કતા, બે બાળ લગ્ન અટકાવાયા
પંચાયતના પ્રમુખ ધારાસભ્યને રડતા રડતા આજીજી કરતાનો ઓડિયો વાયરલ
પંચાયતના પ્રમુખ ધારાસભ્યને રડતા રડતા આજીજી કરતાનો ઓડિયો વાયરલ
8 દિવસ વહેલા આવી કેરી ! ગોંડલયાર્ડમાં 200 બોક્સ કેરીની આવક
8 દિવસ વહેલા આવી કેરી ! ગોંડલયાર્ડમાં 200 બોક્સ કેરીની આવક
UCCની કમિટીએ સરકારમાં જમા કરાવ્યો રિપોર્ટ
UCCની કમિટીએ સરકારમાં જમા કરાવ્યો રિપોર્ટ
ભર ઉનાળે થશે માવઠું ! 18થી 20 માર્ચ સુધી 20 જિલ્લામાં વરસાદનું એલર્ટ
ભર ઉનાળે થશે માવઠું ! 18થી 20 માર્ચ સુધી 20 જિલ્લામાં વરસાદનું એલર્ટ
g clip-path="url(#clip0_868_265)">