AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Russia Ukraine War: યુક્રેન સંકટ પર અમિત શાહે કહ્યું- 4 માર્ચ સુધી અમે યુક્રેનમાંથી 16,000 નાગરિકોને બહાર કાઢ્યા, 13000થી વધુ ભારત પહોંચ્યા

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે કહ્યું કે ઉત્તર પ્રદેશમાં બીજેપી ફરીથી જોરદાર તાકાત સાથે સરકાર બનાવવા જઈ રહી છે. યોગી આદિત્યનાથના નેતૃત્વમાં ઉત્તર પ્રદેશમાં કાયદો અને વ્યવસ્થામાં મોટું પરિવર્તન આવ્યું છે.

Russia Ukraine War: યુક્રેન સંકટ પર અમિત શાહે કહ્યું- 4 માર્ચ સુધી અમે યુક્રેનમાંથી 16,000 નાગરિકોને બહાર કાઢ્યા, 13000થી વધુ ભારત પહોંચ્યા
Amit Shah - File Photo
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 05, 2022 | 11:30 PM
Share

રશિયા-યુક્રેન યુદ્ધને (Russia Ukraine War) લઈને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે શનિવારે દિલ્હીમાં (Union Home Minister Amit Shah in Delhi) એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે અમે જાન્યુઆરીથી આ મુદ્દાને જોઈ રહ્યા છીએ. અમે 15 ફેબ્રુઆરીએ એડવાઈઝરી જાહેર કરી હતી. અમે આસપાસના ચાર દેશોમાં ટીમો મોકલી અને કંટ્રોલ રૂમ પણ બનાવ્યો. 4 માર્ચ સુધીમાં અમે યુક્રેનમાંથી 16,000 નાગરિકોને બહાર કાઢવામાં સફળ થયા. એ પણ કહ્યું કે 13,000 થી વધુ નાગરિકો ભારત પહોંચી ગયા છે અને વધુ ફ્લાઇટ્સ આવી રહી છે. ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે ચૂંટણી અને લોકો પર તેની સકારાત્મક અસર પડી છે.

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે કહ્યું કે ઉત્તર પ્રદેશમાં બીજેપી ફરીથી જોરદાર તાકાત સાથે સરકાર બનાવવા જઈ રહી છે. યોગી આદિત્યનાથના નેતૃત્વમાં ઉત્તર પ્રદેશમાં કાયદો અને વ્યવસ્થામાં મોટું પરિવર્તન આવ્યું છે. રાજ્યમાં તમામ પ્રકારની ગુનાહિત ઘટનાઓમાં 30 થી 70 ટકાનો ઘટાડો થયો છે. તમામ માફિયાઓ જેલમાં છે. મહિલાઓ અને છોકરીઓ હવે સુરક્ષિત અનુભવે છે.

બીજેપી ચાર રાજ્યોમાં ફરી સરકાર બનાવવા જઈ રહી છે – અમિત શાહ

અમિત શાહે કહ્યું કે અમે ચાર રાજ્યોમાં ફરી સરકાર બનાવવા જઈ રહ્યા છીએ. સાથે જ કહ્યું કે અમે પહેલીવાર પંજાબમાં અમારી સ્થિતિ સુધારીશું, અમે સૌથી મોટી ગઠબંધન પાર્ટી તરીકે પંજાબમાં ચૂંટણી લડી છે. અમિત શાહે કહ્યું કે ચૂંટણી એ માત્ર સરકાર બનાવવાની કવાયત નથી. અમારા માટે આ અમારી વિચારધારા અને સરકાર દ્વારા કરવામાં આવેલા કામને લોકો સુધી પહોંચાડવાની અને તેમની સમસ્યાઓ વિશે જાણવાની તક છે.

અમે ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, ગોવા અને મણિપુરમાં ફરીથી સરકાર બનાવીશું અને પંજાબમાં સારું પ્રદર્શન કરીશું. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ કહ્યું કે અમને ચૂંટણી પ્રચારથી લાગે છે કે ચાર રાજ્યો (ગોવા, ઉત્તરાખંડ, મણિપુર, ઉત્તર પ્રદેશ)માં જ્યાં અમે સરકારમાં હતા, ત્યાંના લોકોએ અમને ફરીથી ચૂંટવાનો નિર્ણય કર્યો છે.

આ પણ વાંચો : Russia Ukraine War: ખાર્કિવમાં ‘ઓપરેશન ગંગા’ સફળ, વિદેશ મંત્રાલયે કહ્યું- તમામ ભારતીયોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા

આ પણ વાંચો : Russia Ukraine War: અભ્યાસ છોડીને યુક્રેનથી પરત ફરનારા વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર, ભારતમાં ઈન્ટર્નશિપ પૂર્ણ કરી શકશે

Follow Us
ખેડાના કપડવંજમાં ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટ, 6 લોકો ગંભીર રીતે ઘાયલ
ખેડાના કપડવંજમાં ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટ, 6 લોકો ગંભીર રીતે ઘાયલ
આત્મવિશ્વાસનો યોગ્ય ઉપયોગ કરો, આજે તમે સારા સ્પાની મુલાકાત લેશો
આત્મવિશ્વાસનો યોગ્ય ઉપયોગ કરો, આજે તમે સારા સ્પાની મુલાકાત લેશો
આશ્રમ શાળા બંધ કરવાની ધમકી મુદ્દે કેબિનેટ પ્રધાન નરેશ પટેલ પર આરોપ
આશ્રમ શાળા બંધ કરવાની ધમકી મુદ્દે કેબિનેટ પ્રધાન નરેશ પટેલ પર આરોપ
અલનીનોની ગંભીર અસર, ગુજરાતમાં આ વર્ષે વરસાદની 78% ઘટ
અલનીનોની ગંભીર અસર, ગુજરાતમાં આ વર્ષે વરસાદની 78% ઘટ
સિંહ બાળ હત્યા કેસમાં આરોપીની ધરપકડ, જુઓ Video
સિંહ બાળ હત્યા કેસમાં આરોપીની ધરપકડ, જુઓ Video
₹6 લાખનું અદ્યતન પેડેસ્ટ્રિયન સિગ્નલ અસામાજિક તત્વોએ તોડી પાડ્યું
₹6 લાખનું અદ્યતન પેડેસ્ટ્રિયન સિગ્નલ અસામાજિક તત્વોએ તોડી પાડ્યું
વડોદરામાં પોલીસ સ્ટેશન નજીક 3 મહિલાએ બ્યુટી પાર્લર સંચાલકને લૂંટી
વડોદરામાં પોલીસ સ્ટેશન નજીક 3 મહિલાએ બ્યુટી પાર્લર સંચાલકને લૂંટી
રાજકોટમાં ડિમોલેશન કે ખર્ચનો ખેલ? પાણી પાછળ 12.40 લાખનો ખર્ચ
રાજકોટમાં ડિમોલેશન કે ખર્ચનો ખેલ? પાણી પાછળ 12.40 લાખનો ખર્ચ
દાહોદમાં એકસાથે બે દીપડાના ધામા, સીંગાપુર ગામમાં ભયનો માહોલ
દાહોદમાં એકસાથે બે દીપડાના ધામા, સીંગાપુર ગામમાં ભયનો માહોલ
આજનું રાશિફળ: કામકાજમાં બદલાવથી થશે ફાયદો, મળશે ધનપ્રાપ્તિ
આજનું રાશિફળ: કામકાજમાં બદલાવથી થશે ફાયદો, મળશે ધનપ્રાપ્તિ
g clip-path="url(#clip0_868_265)">