Russia-Ukraine Crisis: સ્વાસ્થ્ય મંત્રાલયે આંતરરાષ્ટ્રીય પ્રવાસ માર્ગદર્શિકામાં કર્યો ફેરફાર, યુક્રેનથી આવતા ભારતીયોને છૂટ

આરોગ્ય મંત્રાલયે ઇન્ટરનેશનલ ટ્રાવેલ એડવાઈઝરીમાં ફેરફાર કર્યા છે, જેમાં યુક્રેનમાંથી ભારત આવતા ભારતીયોને વિવિધ છૂટ આપવામાં આવી છે.

Russia-Ukraine Crisis: સ્વાસ્થ્ય મંત્રાલયે આંતરરાષ્ટ્રીય પ્રવાસ માર્ગદર્શિકામાં કર્યો ફેરફાર, યુક્રેનથી આવતા ભારતીયોને છૂટ
Russia ukraine Crisis
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 28, 2022 | 5:07 PM

Russia-Ukraine Crisis: આરોગ્ય મંત્રાલયે યુદ્ધગ્રસ્ત યુક્રેનમાંથી (Ukraine) બહાર કાઢવામાં આવેલા ભારતીયો માટે આંતરરાષ્ટ્રીય પ્રવાસ માર્ગદર્શિકામાં સુધારો કર્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલયે (Health Ministry)  ઈન્ટરનેશનલ ટ્રાવેલ એડવાઈઝરીમાં ફેરફાર કર્યા છે, જે યુક્રેનમાંથી બહાર કાઢવામાં આવતા ભારતીયોને વિવિધ છૂટ આપે છે. તેમને કોવિડ -19 સંબંધિત ઘણી છૂટ આપવામાં આવી છે.

ભારતીય નાગરિકોને ફરજિયાત નેગેટિવ RT-PCR ટેસ્ટ અને રસીકરણ પ્રમાણપત્રમાંથી (Vaccination Certificate) મુક્તિ આપવામાં આવી છે. આ ઉપરાંત તેઓએ એર-સુવિધા પોર્ટલ પર પ્રસ્થાન પહેલા દસ્તાવેજો અપલોડ કરવાની પણ જરૂર નથી.

યુક્રેનથી ભારત આવતા મુસાફરોને છૂટ

જો કોઈ મુસાફરોના આગમન પહેલાં RTPCR ટેસ્ટ રજૂ કરવામાં સક્ષમ ન હોય અથવા તેમનું COVID-19 રસીકરણ પૂર્ણ ન કર્યું હોય, તેઓ ભારતમાં તેમના આગમન પછી 14 દિવસ સુધી તેમના COVID-19 નમૂનાઓ સબમિટ કરી શકે છે. 28 ફેબ્રુઆરી સુધીમાં 1,156 ભારતીયો યુક્રેનથી ભારત આવ્યા છે, જેમાંથી એકપણ મુસાફરોને આઈસોલેશનમાં (Isolation) રાખવામાં આવ્યા નથી.

સરફરાઝ ખાન બન્યો પિતા, જુઓ ફોટો
રોજ સવારે 1 કાચું આમળું ખાવાથી જાણો શું થાય છે?
માત્ર 20 રૂપિયામાં તમને મળશે સોના જેવો નિખાર, સ્કીન માટે વરદાન છે આ વસ્તુ
ગુલાબના છોડમાં નાખી દો આ વસ્તુ, ફુલોનો થશે ઢગલો
Lawrence : લેટિન ભાષાનો શબ્દ છે લોરેન્સ, આ નામનો અર્થ શું થાય?
દિવાળી પર ગૃહિણીઓ આ કાર્યો દ્વારા કમાઈ શકો છો હજારો રુપિયા

યુક્રેનમાં હજુ પણ હજારોની સંખ્યામાં ભારતીયો ફસાયેલા

ભારતે પોલેન્ડ, રોમાનિયા, હંગેરી અને સ્લોવાકિયામાં પહેલાથી જ 24 કલાકના કંટ્રોલ રૂમની સ્થાપના કરી છે, જેથી કરીને ભારતીયોને આ દેશો સાથેની યુક્રેનની સરહદેથી બહાર કાઢી શકાય. આ અંગે નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહ્યું કે લગભગ 13,000 ભારતીયો હજુ પણ યુક્રેનમાં ફસાયેલા છે અને સરકાર તેમને વહેલામાં વહેલી તકે પરત લાવવાનો પ્રયાસ કરી રહી છે.

યુક્રેને 24 ફેબ્રુઆરીએ દેશની એરસ્પેસ બંધ કરી હતી

યુક્રેનિયન સત્તાવાળાઓએ 24 ફેબ્રુઆરીની સવારે પેસેન્જર પ્લેનના સંચાલન માટે તેમના દેશની એરસ્પેસ બંધ કરી દીધી હતી, તેથી ભારતીયોને ઘરે લાવવા માટે આ ફ્લાઈટ્સ બુકારેસ્ટ અને બુડાપેસ્ટથી ચલાવવામાં આવી રહી છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે જે ભારતીય નાગરિકો યુક્રેન-રોમાનિયા અને યુક્રેન-હંગેરી સરહદે રોડ માર્ગે પહોંચ્યા હતા તેમને ભારત સરકારના અધિકારીઓની મદદથી અનુક્રમે બુકારેસ્ટ અને બુડાપેસ્ટ લઈ જવામાં આવ્યા હતા, જેથી તેઓને એર ઈન્ડિયાની (Air India) ફ્લાઈટમાં લઈ જઈ શકાય.

આ પણ વાંચો : ભારત સ્થિત યુક્રેનના રાજદૂતની યુદ્ધ અટકાવવા રશિયાને અપીલ, કહ્યું- યુદ્ધ નહી અટકે તો 70 લાખ શરણાર્થીઓ હશે

અમદાવાદમાં એકાએક સાઈન બોર્ડ નીચે પડતા ત્રણ લોકોને આવી ઈજા- જુઓ Video
અમદાવાદમાં એકાએક સાઈન બોર્ડ નીચે પડતા ત્રણ લોકોને આવી ઈજા- જુઓ Video
રાજકોટના ખીરસરા ગામના ખેડૂતોની મહેનત પર ફરી વળ્યા વરસાદી પાણી- Video
રાજકોટના ખીરસરા ગામના ખેડૂતોની મહેનત પર ફરી વળ્યા વરસાદી પાણી- Video
ભાડુઆતની નોંધણીના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા પોલીસે કવાયત હાથ ધરી
ભાડુઆતની નોંધણીના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા પોલીસે કવાયત હાથ ધરી
અમૂલમાં મિલાવટ એટલે નથી કેમ કે તેના કોઇ માલિક નથી - અમિત શાહ
અમૂલમાં મિલાવટ એટલે નથી કેમ કે તેના કોઇ માલિક નથી - અમિત શાહ
ભાયલી દુષ્કર્મ કેસમાં પોલીસે 17 દિવસમાં રજૂ કરી 6 હજાર પાનીની ચાર્જશીટ
ભાયલી દુષ્કર્મ કેસમાં પોલીસે 17 દિવસમાં રજૂ કરી 6 હજાર પાનીની ચાર્જશીટ
Amreli : જાફરાબાદના નવી જીકાદ્રી ગામમાં સિંહણે કર્યો બાળકનો શિકાર
Amreli : જાફરાબાદના નવી જીકાદ્રી ગામમાં સિંહણે કર્યો બાળકનો શિકાર
કાંકરિયા પાસે કોર્પોરેશનનું હોર્ડિંગ પડ્યું, એક પરિવારના 3 લોકો ઘાયલ
કાંકરિયા પાસે કોર્પોરેશનનું હોર્ડિંગ પડ્યું, એક પરિવારના 3 લોકો ઘાયલ
ડીસામાંથી 345 કિલો પોશડોડા અને 50 જીવતા કારતૂસ સાથે આરોપી ઝડપાયો
ડીસામાંથી 345 કિલો પોશડોડા અને 50 જીવતા કારતૂસ સાથે આરોપી ઝડપાયો
આ 4 રાશિના જાતકોને આજે કાર્યસ્થળે લાભના સંકેત
આ 4 રાશિના જાતકોને આજે કાર્યસ્થળે લાભના સંકેત
અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડાની ગુજરાત પર કેવી થશે અસર ?
અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડાની ગુજરાત પર કેવી થશે અસર ?
g clip-path="url(#clip0_868_265)">