RSS News : સરકારી કર્મચારીઓ પરનો RSSમાં પરનો પ્રતિબંધ હટાવી લેવાયો? જાણો શું છે સમગ્ર મામલો

|

Jul 22, 2024 | 8:08 PM

ભારત સરકારના ગૃહ મંત્રાલયે એક આદેશ જારી કરીને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ની પ્રવૃત્તિઓમાં ભાગ લેતા સરકારી કર્મચારીઓ પરનો પ્રતિબંધ હટાવી લીધો છે. આ અંગે કોંગ્રેસ સરકારને ઘેરી રહી છે. જાણો શું છે સમગ્ર મામલો.

RSS News : સરકારી કર્મચારીઓ પરનો RSSમાં પરનો પ્રતિબંધ હટાવી લેવાયો? જાણો શું છે સમગ્ર મામલો
RSS

Follow us on

કેન્દ્ર સરકારે એક આદેશ જાહેર કરીને સરકારી કર્મચારીઓ પર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ની વિવિધ પ્રવૃત્તિઓમાં ભાગ લેવા પર લાગેલા પ્રતિબંધો હટાવ્યા છે. જેને લઈને કોંગ્રેસ પક્ષ સવાલો ઉઠાવી રહ્યો છે. હકીકતમાં, અગાઉની કોંગ્રેસ સરકારોએ સમયાંતરે સરકારી કર્મચારીઓને સંઘના કાર્યક્રમોમાં ભાગ લેવા પર પ્રતિબંધ મૂક્યો હતો. જો કર્મચારીઓ RSSની પ્રવૃત્તિઓમાં સામેલ હોય તો તેમને કડક સજા કરવાની જોગવાઈ પણ લાગુ કરવામાં આવી હતી.

જો કે, આ દરમિયાન, મધ્યપ્રદેશ સહિત ઘણી રાજ્ય સરકારોએ આ આદેશને રદ કર્યો હતો, પરંતુ તે પછી પણ, આ આદેશને કેન્દ્ર સરકારના સ્તરે માન્ય માનવામાં આવે છે. આ મામલે ઈન્દોર કોર્ટમાં કેસ ચાલી રહ્યો હતો, જેના પર કોર્ટે કેન્દ્ર સરકારનો અભિપ્રાય પણ માંગ્યો હતો.

એક મેચમાં કોમેન્ટ્રી કરી લાખો કમાય છે આ પૂર્વ ક્રિકેટરો અને કોમેન્ટેટરો
ભારતમાં આ રાજ્યની છોકરીઓ હોય છે સૌથી વધુ સુંદર
ગુજરાતી મ્યુઝિક ડાયરેક્ટર મેહુલ સુરતી વિશે જાણો
આ લોકોએ ભૂલથી પણ ના ખાવી જોઈએ અળસી, જાણો કેમ?
Sargva : ક્યા લોકોએ સરગવાનું શાક ન ખાવું જોઈએ?
નવરાત્રિમાં ગુજરાતી સિંગર ઓસમાણ મીરના ગીતોની રમઝટ બોલે છે

58 વર્ષ જૂના ઓર્ડરમાં શું હતું?

લગભગ 58 વર્ષ પહેલા 30 નવેમ્બર 1966ના રોજ ઈન્દિરા ગાંધી સરકારે સરકારી કર્મચારીઓને RSS અને જમાત-એ-ઈસ્લામીની પ્રવૃત્તિઓમાં ભાગ લેવા પર પ્રતિબંધ મૂક્યો હતો. આ આદેશમાં કહેવામાં આવ્યું હતું કે કોઈ પણ સરકારી કર્મચારી કોઈ રાજકીય પક્ષ કે રાજકારણમાં ભાગ લેતી કોઈપણ સંસ્થાનો સભ્ય નહીં રહી શકે કે તેની સાથે કોઈ પણ રીતે સંકળાયેલો નહીં શકે . આદેશ મુજબ, સરકારી કર્મચારી ન તો આવી કોઈ સંસ્થાની કોઈ રાજકીય ચળવળ કે પ્રવૃત્તિમાં ભાગ લઈ શકશે , કે ન તો દાન આપશે કે ન તો અન્ય કોઈ રીતે મદદ કરશે.

 

કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય

કેન્દ્ર સરકારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યક્રમોમાં કેન્દ્રીય કર્મચારીઓની ભાગીદારી પરનો 58 વર્ષ જૂનો પ્રતિબંધ હટાવી લીધો છે. આ આદેશમાં, કેન્દ્ર સરકારે 1966, 1970 અને 1980ના આદેશોમાં ફેરફાર કર્યો છે, જેમાં RSS શાખા અને અન્ય પ્રવૃત્તિઓમાં તેમની સંડોવણી માટે સરકારી કર્મચારીઓ પર કાર્યવાહી અને શિક્ષાત્મક જોગવાઈઓ લાદવામાં આવી હતી. સરકાર દ્વારા 9 જુલાઈ 2024ના રોજ આને લગતો આદેશ જારી કરવામાં આવ્યો છે.

કોંગ્રેસ નેતા જયરામ રમેશે ટ્વિટ કર્યું

કેન્દ્ર સરકાર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યક્રમોમાં કેન્દ્રીય કર્મચારીઓની ભાગીદારી પરનો 58 વર્ષ જૂનો પ્રતિબંધ હટાવવા નિર્ણયની કોગ્રેસ સાંસદ જયરામ રમેશે ટિકા કરી હતી.

ભાજપના આઈટી સેલના વડાએ વખાણ કર્યા હતા

BJP IT સેલના વડા અમિત માલવિયાએ પણ X પર આ ઓર્ડર પોસ્ટ કર્યો છે. તેમણે કહ્યું, ’58 વર્ષ પહેલા 1966માં જાહેર કરાયેલ ગેરબંધારણીય આદેશ, જેમાં સરકારી કર્મચારીઓને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની પ્રવૃત્તિઓમાં ભાગ લેવા પર પ્રતિબંધ મૂક્યો હતો, તેને મોદી સરકારે પાછો ખેંચી લીધો છે. આ પ્રતિબંધ એટલા માટે લાદવામાં આવ્યો હતો કારણ કે 7 નવેમ્બર 1966ના રોજ સંસદમાં ગૌહત્યાના વિરોધમાં મોટો વિરોધ થયો હતો. આરએસએસ-જનસંઘે લાખો લોકોનું સમર્થન મેળવ્યું હતું. પોલીસ ગોળીબારમાં ઘણા લોકો માર્યા ગયા હતા. 30 નવેમ્બર 1966 ના રોજ, આરએસએસ-જનસંઘના પ્રભાવથી હચમચી ગયેલા, ઇન્દિરા ગાંધીએ સરકારી કર્મચારીઓને આરએસએસમાં જોડાવા પર પ્રતિબંધ મૂક્યો.

આરએસએસે સરકારના આદેશનું સ્વાગત કર્યું છે

આ મામલે RSSનું નિવેદન પણ સામે આવ્યું છે. આરએસએસના અખિલ ભારતીય પ્રચાર પ્રમુખ સુનીલ આંબેકરે કહ્યું, ‘રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ છેલ્લા 99 વર્ષથી સતત રાષ્ટ્રના પુનર્નિર્માણ અને સમાજની સેવામાં વ્યસ્ત છે. રાષ્ટ્રીય સુરક્ષા, એકતા અને અખંડિતતામાં યોગદાન અને કુદરતી આફતોના સમયે સમાજને સાથે લઈ જવાને કારણે દેશના વિવિધ પ્રકારના નેતૃત્વએ સમયાંતરે સંઘની ભૂમિકાની પ્રશંસા કરી છે. સુનીલ આંબેકરે  વઘુમાં કહ્યુ કે  કોગ્રેસે પોતાની સરકાર વખતે પોતાના હિતોને કારણે સરકારી કર્મચારીઓને સંઘ જેવી રચનાત્મક સંસ્થાની પ્રવૃત્તિઓમાં ભાગ લેવા પર પાયાવિહોણા પ્રતિબંધ મૂક્યો હતો અને સરકારનો હાલનો નિર્ણય યોગ્ય છે અને ભારતની લોકશાહી વ્યવસ્થાને મજબૂત કરવા જઈ રહ્યો છે.

Published On - 7:36 pm, Mon, 22 July 24

Next Article