AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Republic Day 2022: હવે 23 જાન્યુઆરીથી શરૂ થશે ગણતંત્ર દિવસની ઉજવણી, જાણો કારણ

એક મોટું પગલું લેતા કેન્દ્ર સરકારે પ્રજાસત્તાક દિવસની ઉજવણી 24 જાન્યુઆરીના બદલે 23 જાન્યુઆરીથી શરૂ કરવાનો નિર્ણય લીધો છે. ઉજવણીમાં નેતાજી સુભાષ ચંદ્ર બોઝના જન્મદિવસને સામેલ કરાયો છે.

Republic Day 2022: હવે 23 જાન્યુઆરીથી શરૂ થશે ગણતંત્ર દિવસની ઉજવણી, જાણો કારણ
Republic day celebrations (File Pic)
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 16, 2022 | 4:22 PM
Share

શનિવારે એક મોટું પગલું લેતા કેન્દ્ર સરકારે પ્રજાસત્તાક દિવસની ઉજવણી (Republic Day Celebrations) 24 જાન્યુઆરીના બદલે 23 જાન્યુઆરીથી શરૂ કરવાનો નિર્ણય લીધો છે. પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં નેતાજી સુભાષ ચંદ્ર બોઝના જન્મદિવસને (Netaji Subhas Chandra Bose Birth Anniversary) સામેલ કરવાના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. સુભાષ ચંદ્ર બોઝનો જન્મ 23 જાન્યુઆરી 1897ના રોજ થયો હતો. કેન્દ્ર સરકારે પોતાના કાર્યકાળમાં અત્યાર સુધીમાં ઘણા મહત્વપૂર્ણ દિવસોની જાહેરાત કરી છે. આવો જણાવીએ કે મોદી સરકાર સત્તામાં આવ્યા બાદ કયા દિવસોની જાહેરાત થઈ છે.

14 ઓગસ્ટ – Partition Horrors Remembrance Day

31 ઓક્ટોબર – એકતા દિવસ – રાષ્ટ્રીય એકતા દિવસ (સરદાર પટેલની જન્મજયંતિ)

15મી નવેમ્બર – આદિવાસી ગૌરવ દિવસ (ભગવાન બિરસા મુંડાનો જન્મદિવસ)

26 નવેમ્બર – બંધારણ દિવસ

26 ડિસેમ્બર – વીર બાલ દિવસ (4 સાહિબજાદાઓને શ્રદ્ધાંજલિ)

આ વખતે માત્ર 24,000 લોકોને જ મંજૂરી 

સૂત્રોના જણાવ્યા અનુસાર કોરોનાના કારણે ગયા વર્ષે પરેડમાં ભાગ લેનારા 25,000 લોકોની સરખામણીએ આ વખતે 24,000 લોકોને જ જોવાની મંજૂરી આપવામાં આવશે. આમાં દર્શકો, મહાનુભાવો, સરકારી અધિકારીઓ, બાળકો, NCC કેડેટ્સ, રાજદૂતો, વરિષ્ઠ ઓફિસર્સ અને રાજકારણીઓનો સમાવેશ થાય છે.

આ 24 હજાર બેઠકોમાંથી 5,200 બેઠકો સામાન્ય પ્રેક્ષકો માટે છે, જેઓ ટિકિટ ખરીદી શકશે . મીડિયા રિપોર્ટ્સ અનુસાર ગત વખતની જેમ આ વખતે પણ કોઈપણ વિદેશી ચીફ ગેસ્ટની હાજરી વિના રાષ્ટ્રીય સમારોહનું આયોજન કરવામાં આવી શકે છે.

રસીના બંને ડોઝ લેવા ફરજિયાત

નોંધપાત્ર રીતે ગયા વર્ષની જેમ Social Distancingના નિયમોની ખાતરી કરવા માટે દર્શકોને 6 ફૂટના અંતરે બેસાડવામાં આવશે અને માસ્ક ફરજિયાત રહેશે. આ દરમિયાન સમગ્ર વિસ્તારને સેનિટાઈઝ કરવામાં આવશે અને બેઠક વિસ્તારની નજીક સેનિટાઈઝર ડિસ્પેન્સર પણ ઊભા કરવામાં આવે તેવી શક્યતા છે. આવી સ્થિતિમાં તમામ સાંસ્કૃતિક સહભાગીઓ અને સશસ્ત્ર દળોના જવાનો માટે રસીના ડબલ ડોઝ ફરજિયાત બનાવવામાં આવ્યા છે. આ સાથે તે બધાના કોવિડ -19 માટે પણ પરીક્ષણ કરવામાં આવશે.

પરંપરા મુજબ પોડિયમ પર ફક્ત VVIP જ બેસશે, જેમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ (Ramnath Kovind), ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડુ (M Venkaiah Naidu), વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi), સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ (Rajnath Singh) અને સંરક્ષણ રાજ્ય પ્રધાન અજય ભટ્ટ સામેલ હશે. આવી સ્થિતિમાં એવી અપેક્ષા રાખવામાં આવે છે કે સંરક્ષણ મંત્રાલય સોમવારે ભાગ લેતી ઝાંખી અને માર્ચિંગ ટુકડીઓની વિગતો જાહેર કરશે.

આ પણ વાંચો: શિક્ષણ પર કોરોનાનું ગ્રહણ: આ રાજ્યમાં 23 જાન્યુઆરી સુધી શૈક્ષણિક સંસ્થાઓ બંધ રાખવાનો આદેશ

આ પણ વાંચો: Corona Update: આ બે શહેરમાં કોરોના પીક પર પહોંચ્યો, વધતા સંક્રમણને પગલે પશ્ચિમ બંગાળમાં કડક પ્રતિબંધો લાગુ

અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
g clip-path="url(#clip0_868_265)">