AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શિક્ષણ પર કોરોનાનું ગ્રહણ: આ રાજ્યમાં 23 જાન્યુઆરી સુધી શૈક્ષણિક સંસ્થાઓ બંધ રાખવાનો આદેશ

ઉતરપ્રદેશમાં કોરોના સંક્રમણ ખુબ ઝડપથી વધી રહ્યુ છે. ત્યારે ત્રીજી લહેરના જોખમને પગલે રાજ્ય સરકારે શૈક્ષણિક સંસ્થાઓને 23 જાન્યુઆરી સુધી બંધ કરવાનો નિર્ણય લીધો છે.

શિક્ષણ પર કોરોનાનું ગ્રહણ:  આ રાજ્યમાં 23 જાન્યુઆરી સુધી શૈક્ષણિક સંસ્થાઓ બંધ રાખવાનો આદેશ
Education institutes closed till 23 january in uttar pradesh
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 16, 2022 | 3:16 PM
Share

Uttar Pradesh: ઉત્તર પ્રદેશમાં કોરોનાના વધતા જતા કેસોને પગલે રાજ્ય સરકારે (Uttar Pradesh Government) હવે રાજ્યની તમામ શાળાઓ અને કોલેજોને 23 જાન્યુઆરી સુધી બંધ રાખવાનો આદેશ આપ્યો છે. ઉલ્લેખનીય છે કે અગાઉ રાજ્ય સરકારના આદેશ મુજબ શાળાઓ, કોલેજો અને યુનિવર્સિટીઓને (Education Institutes) 16 જાન્યુઆરી સુધી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

એક્ટિવ કેસોની સંખ્યા હાલ એક લાખને પાર પહોંચી

તમને જણાવી દઈએ કે રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસોની (Corona Active Case) સંખ્યા હાલ એક લાખને વટાવી ગઈ છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 17 હજારથી વધુ કોરોનાના કેસ નોંધાયા છે. રાજ્યમાં હાલ કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે. તેથી રાજ્ય સરકારે 23 જાન્યુઆરી સુધી શૈક્ષણિક સંસ્થાઓ બંધ કરવાનો મહત્પૂર્ણ નિર્ણય લીધો છે. સાથે જ સરકારે શાળાઓ અને કોલેજોને ઓનલાઈન શિક્ષણ ચાલુ રાખવા જણાવવામાં આવ્યુ છે. ઉલ્લેખનીય છે કે રાજ્યના અધિક મુખ્ય સચિવ નવનીત સહગલે આ અંગે જાણકારી આપી હતી.

રાજ્યમાં કોરોનાના 17,185 નવા કેસ નોંધાયા

છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 17,185 નવા દર્દીઓ સામે આવ્યા છે, જે બાદ રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા એક લાખને વટાવી ગઈ છે. ઉલ્લેખનીય છે કે માત્ર લખનૌમાં જ એક દિવસમાં કોરોના વાઈરસના 2,761 નવા કેસ નોંધાયા છે. જેમાં લખનૌના આલમબાગ વિસ્તારમાં કોરોનાનો સૌથી વધુ કહેર જોવા મળી રહ્યો છે. જોકે રાહતની વાત એ છે કે રાજ્યમાં કોરોનાના કેસ વધ્યા બાદ પણ ઓછા દર્દીઓ હોસ્પિટલમાં દાખલ થઈ રહ્યા છે.

લખનૌ યુનિવર્સિટીની પરીક્ષાઓ રદ્દ

કોરોનાના વધતા જતા કેસોને જોતા લખનૌ યુનિવર્સિટીએ (Lucknow University) સેમેસ્ટર પરીક્ષાઓ રદ્દ કરી દીધી છે. ઉલ્લેખનીય છે કે યુનિવર્સિટીની પરીક્ષા 15 જાન્યુઆરીથી 31 જાન્યુઆરી દરમિયાન યોજાવાની હતી. યુનિવર્સિટી વહીવટીતંત્રે જણાવ્યુ કે નવી તારીખો યુનિવર્સિટીની વેબસાઈટ પર જાહેર કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે કોરોનાની બીજી લહેર બાદ કોરોના સંક્રમણ ઘટતા રાજ્યમાં કોરોના પ્રતિબંધો પણ હળવા કરવામાં આવ્યા હતા. પરંતુ ફરી એક વાર કોરોના સંક્રમણ વધતા હાલ વિદ્યાર્થીઓના હિતમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.

આ પણ વાંચો : મહારાષ્ટ્રમાં કોરોનાની રફ્તાર : મુંબઈગરાઓને મળી આંશિક રાહત, પૂણેમાં રોકેટ ગતિએ કોરોના કેસમાં થયો વધારો

અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
g clip-path="url(#clip0_868_265)">