AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શિક્ષણ પર કોરોનાનું ગ્રહણ: આ રાજ્યમાં 23 જાન્યુઆરી સુધી શૈક્ષણિક સંસ્થાઓ બંધ રાખવાનો આદેશ

ઉતરપ્રદેશમાં કોરોના સંક્રમણ ખુબ ઝડપથી વધી રહ્યુ છે. ત્યારે ત્રીજી લહેરના જોખમને પગલે રાજ્ય સરકારે શૈક્ષણિક સંસ્થાઓને 23 જાન્યુઆરી સુધી બંધ કરવાનો નિર્ણય લીધો છે.

શિક્ષણ પર કોરોનાનું ગ્રહણ:  આ રાજ્યમાં 23 જાન્યુઆરી સુધી શૈક્ષણિક સંસ્થાઓ બંધ રાખવાનો આદેશ
Education institutes closed till 23 january in uttar pradesh
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 16, 2022 | 3:16 PM
Share

Uttar Pradesh: ઉત્તર પ્રદેશમાં કોરોનાના વધતા જતા કેસોને પગલે રાજ્ય સરકારે (Uttar Pradesh Government) હવે રાજ્યની તમામ શાળાઓ અને કોલેજોને 23 જાન્યુઆરી સુધી બંધ રાખવાનો આદેશ આપ્યો છે. ઉલ્લેખનીય છે કે અગાઉ રાજ્ય સરકારના આદેશ મુજબ શાળાઓ, કોલેજો અને યુનિવર્સિટીઓને (Education Institutes) 16 જાન્યુઆરી સુધી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

એક્ટિવ કેસોની સંખ્યા હાલ એક લાખને પાર પહોંચી

તમને જણાવી દઈએ કે રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસોની (Corona Active Case) સંખ્યા હાલ એક લાખને વટાવી ગઈ છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 17 હજારથી વધુ કોરોનાના કેસ નોંધાયા છે. રાજ્યમાં હાલ કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે. તેથી રાજ્ય સરકારે 23 જાન્યુઆરી સુધી શૈક્ષણિક સંસ્થાઓ બંધ કરવાનો મહત્પૂર્ણ નિર્ણય લીધો છે. સાથે જ સરકારે શાળાઓ અને કોલેજોને ઓનલાઈન શિક્ષણ ચાલુ રાખવા જણાવવામાં આવ્યુ છે. ઉલ્લેખનીય છે કે રાજ્યના અધિક મુખ્ય સચિવ નવનીત સહગલે આ અંગે જાણકારી આપી હતી.

રાજ્યમાં કોરોનાના 17,185 નવા કેસ નોંધાયા

છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 17,185 નવા દર્દીઓ સામે આવ્યા છે, જે બાદ રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા એક લાખને વટાવી ગઈ છે. ઉલ્લેખનીય છે કે માત્ર લખનૌમાં જ એક દિવસમાં કોરોના વાઈરસના 2,761 નવા કેસ નોંધાયા છે. જેમાં લખનૌના આલમબાગ વિસ્તારમાં કોરોનાનો સૌથી વધુ કહેર જોવા મળી રહ્યો છે. જોકે રાહતની વાત એ છે કે રાજ્યમાં કોરોનાના કેસ વધ્યા બાદ પણ ઓછા દર્દીઓ હોસ્પિટલમાં દાખલ થઈ રહ્યા છે.

લખનૌ યુનિવર્સિટીની પરીક્ષાઓ રદ્દ

કોરોનાના વધતા જતા કેસોને જોતા લખનૌ યુનિવર્સિટીએ (Lucknow University) સેમેસ્ટર પરીક્ષાઓ રદ્દ કરી દીધી છે. ઉલ્લેખનીય છે કે યુનિવર્સિટીની પરીક્ષા 15 જાન્યુઆરીથી 31 જાન્યુઆરી દરમિયાન યોજાવાની હતી. યુનિવર્સિટી વહીવટીતંત્રે જણાવ્યુ કે નવી તારીખો યુનિવર્સિટીની વેબસાઈટ પર જાહેર કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે કોરોનાની બીજી લહેર બાદ કોરોના સંક્રમણ ઘટતા રાજ્યમાં કોરોના પ્રતિબંધો પણ હળવા કરવામાં આવ્યા હતા. પરંતુ ફરી એક વાર કોરોના સંક્રમણ વધતા હાલ વિદ્યાર્થીઓના હિતમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.

આ પણ વાંચો : મહારાષ્ટ્રમાં કોરોનાની રફ્તાર : મુંબઈગરાઓને મળી આંશિક રાહત, પૂણેમાં રોકેટ ગતિએ કોરોના કેસમાં થયો વધારો

Follow Us
ભડકોદ્રામાં 30 વર્ષ જૂની ટાંકી પત્તાના મહેલની જેમ તૂટી પડી
ભડકોદ્રામાં 30 વર્ષ જૂની ટાંકી પત્તાના મહેલની જેમ તૂટી પડી
વડોદરા પાદરા પાસે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઇવે પર ગમખ્વાર અકસ્માત!
વડોદરા પાદરા પાસે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઇવે પર ગમખ્વાર અકસ્માત!
કીર્તિ મંદિરમાં દારૂ પાર્ટી, વીડિયો વાયરલ થતા યુવક ઝડપાયો,જુઓ-Video
કીર્તિ મંદિરમાં દારૂ પાર્ટી, વીડિયો વાયરલ થતા યુવક ઝડપાયો,જુઓ-Video
ETP પ્લાન્ટની ટેંક ચેમ્બરની સફાઈ દરમિયાન 4ના મોત, જુઓ Video
ETP પ્લાન્ટની ટેંક ચેમ્બરની સફાઈ દરમિયાન 4ના મોત, જુઓ Video
અખબારમાં સમોસા-વડાપાવ પેક કર્યા તો દુકાનદારે જવું પડશે જેલ
અખબારમાં સમોસા-વડાપાવ પેક કર્યા તો દુકાનદારે જવું પડશે જેલ
નવસારી: 8 કરોડ ખર્ચાયા છતાં 18 તળાવ ઇન્ટરલિંક પ્રોજેક્ટ 6 વર્ષથી અધ્ધર
નવસારી: 8 કરોડ ખર્ચાયા છતાં 18 તળાવ ઇન્ટરલિંક પ્રોજેક્ટ 6 વર્ષથી અધ્ધર
સ્વચ્છ ભારત મિશનની ઇ-રિક્ષાઓ ધૂળ ખાય છે, ભ્રષ્ટાચારના આક્ષેપ
સ્વચ્છ ભારત મિશનની ઇ-રિક્ષાઓ ધૂળ ખાય છે, ભ્રષ્ટાચારના આક્ષેપ
હળવદના ચરાડવા પાસે કાર અકસ્માત, 7માંથી 5ના મોત અને 2 લોકોને ગંભીર ઈજા!
હળવદના ચરાડવા પાસે કાર અકસ્માત, 7માંથી 5ના મોત અને 2 લોકોને ગંભીર ઈજા!
એક તરફ વાયરસનો કહેર, બીજી તરફ બેદરકારીથી ગર્ભવતી સિંહણનું મોત !
એક તરફ વાયરસનો કહેર, બીજી તરફ બેદરકારીથી ગર્ભવતી સિંહણનું મોત !
આસારામ આશ્રમની આસપાસની જગ્યામાં ડિમોલિશન શરૂ, જુઓ Video
આસારામ આશ્રમની આસપાસની જગ્યામાં ડિમોલિશન શરૂ, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">