શિક્ષણ પર કોરોનાનું ગ્રહણ: આ રાજ્યમાં 23 જાન્યુઆરી સુધી શૈક્ષણિક સંસ્થાઓ બંધ રાખવાનો આદેશ

ઉતરપ્રદેશમાં કોરોના સંક્રમણ ખુબ ઝડપથી વધી રહ્યુ છે. ત્યારે ત્રીજી લહેરના જોખમને પગલે રાજ્ય સરકારે શૈક્ષણિક સંસ્થાઓને 23 જાન્યુઆરી સુધી બંધ કરવાનો નિર્ણય લીધો છે.

શિક્ષણ પર કોરોનાનું ગ્રહણ:  આ રાજ્યમાં 23 જાન્યુઆરી સુધી શૈક્ષણિક સંસ્થાઓ બંધ રાખવાનો આદેશ
Education institutes closed till 23 january in uttar pradesh
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 16, 2022 | 3:16 PM

Uttar Pradesh: ઉત્તર પ્રદેશમાં કોરોનાના વધતા જતા કેસોને પગલે રાજ્ય સરકારે (Uttar Pradesh Government) હવે રાજ્યની તમામ શાળાઓ અને કોલેજોને 23 જાન્યુઆરી સુધી બંધ રાખવાનો આદેશ આપ્યો છે. ઉલ્લેખનીય છે કે અગાઉ રાજ્ય સરકારના આદેશ મુજબ શાળાઓ, કોલેજો અને યુનિવર્સિટીઓને (Education Institutes) 16 જાન્યુઆરી સુધી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

એક્ટિવ કેસોની સંખ્યા હાલ એક લાખને પાર પહોંચી

તમને જણાવી દઈએ કે રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસોની (Corona Active Case) સંખ્યા હાલ એક લાખને વટાવી ગઈ છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 17 હજારથી વધુ કોરોનાના કેસ નોંધાયા છે. રાજ્યમાં હાલ કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે. તેથી રાજ્ય સરકારે 23 જાન્યુઆરી સુધી શૈક્ષણિક સંસ્થાઓ બંધ કરવાનો મહત્પૂર્ણ નિર્ણય લીધો છે. સાથે જ સરકારે શાળાઓ અને કોલેજોને ઓનલાઈન શિક્ષણ ચાલુ રાખવા જણાવવામાં આવ્યુ છે. ઉલ્લેખનીય છે કે રાજ્યના અધિક મુખ્ય સચિવ નવનીત સહગલે આ અંગે જાણકારી આપી હતી.

રાજ્યમાં કોરોનાના 17,185 નવા કેસ નોંધાયા

છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 17,185 નવા દર્દીઓ સામે આવ્યા છે, જે બાદ રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા એક લાખને વટાવી ગઈ છે. ઉલ્લેખનીય છે કે માત્ર લખનૌમાં જ એક દિવસમાં કોરોના વાઈરસના 2,761 નવા કેસ નોંધાયા છે. જેમાં લખનૌના આલમબાગ વિસ્તારમાં કોરોનાનો સૌથી વધુ કહેર જોવા મળી રહ્યો છે. જોકે રાહતની વાત એ છે કે રાજ્યમાં કોરોનાના કેસ વધ્યા બાદ પણ ઓછા દર્દીઓ હોસ્પિટલમાં દાખલ થઈ રહ્યા છે.

જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો

લખનૌ યુનિવર્સિટીની પરીક્ષાઓ રદ્દ

કોરોનાના વધતા જતા કેસોને જોતા લખનૌ યુનિવર્સિટીએ (Lucknow University) સેમેસ્ટર પરીક્ષાઓ રદ્દ કરી દીધી છે. ઉલ્લેખનીય છે કે યુનિવર્સિટીની પરીક્ષા 15 જાન્યુઆરીથી 31 જાન્યુઆરી દરમિયાન યોજાવાની હતી. યુનિવર્સિટી વહીવટીતંત્રે જણાવ્યુ કે નવી તારીખો યુનિવર્સિટીની વેબસાઈટ પર જાહેર કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે કોરોનાની બીજી લહેર બાદ કોરોના સંક્રમણ ઘટતા રાજ્યમાં કોરોના પ્રતિબંધો પણ હળવા કરવામાં આવ્યા હતા. પરંતુ ફરી એક વાર કોરોના સંક્રમણ વધતા હાલ વિદ્યાર્થીઓના હિતમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.

આ પણ વાંચો : મહારાષ્ટ્રમાં કોરોનાની રફ્તાર : મુંબઈગરાઓને મળી આંશિક રાહત, પૂણેમાં રોકેટ ગતિએ કોરોના કેસમાં થયો વધારો

Latest News Updates

લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
g clip-path="url(#clip0_868_265)">