AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

દેશમાં કોરોના વાયરસના કેસમાં ઘટાડો, 24 કલાકમાં 221 દર્દીના મોત

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે દેશમાં કોરોના વાયરસના સક્રિય દર્દીઓની સંખ્યા હવે ઘટીને 1.48 લાખ થઈ ગઈ છે.

દેશમાં કોરોના વાયરસના કેસમાં ઘટાડો, 24 કલાકમાં 221 દર્દીના મોત
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 05, 2021 | 11:20 AM
Share

દિવાળી (Diwali-2021) નો પર્વ ચાલી રહ્યો છે તે સમય દરમિયાન ભારતવાસીઓ માટે પણ રાહતના સમાચાર છે. દેશમાં કોરોના મહામારી ઘટી રહી છે. દેશમાં કોરોના (Covid-19) કેસના આંકડામાં રોજ સતત ઘટાડો નોંધાઇ રહ્યો છે. આજે દેશમાં કોરોના વાયરસ(virus)ના 12,729 નવા કેસ નોંધાયા છે. જ્યારે છેલ્લા 24 કલાક દરમિયાન 221 દર્દીઓના મોત(Death) થયા છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે માહિતી આપી હતી કે, અત્યાર સુધીમાં કોરોનાથી સાજા થયેલા લોકોની સંખ્યા વધીને 3,37,24,959 થઈ ગઈ છે. રોજ કોરોના(Covid-19)ના કેસ પણ ઘટી રહ્યા છે અને મૃત્યુઆંકમાં પણ ઘટાડો નોંધાઇ રહ્યો છે. ત્યારે દિવાળીના સમયમાં જ દેશની જનતા માટે આ રાહતના સમાચાર બન્યા છે. દેશની જનતામાં હવે અન્ય પર્વ પણ ઊજવવાની આશા જાગી છે. જો કે સામાન્ય જનતાએ હજુ સાવચેતી રાખવાની અને કોરોનાની નિયમોનો અમલ કરવાની તકેદારી રાખવી ખૂબ જરૂરી છે. જાહેર સ્થળ પર માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવુ ખૂબ જરૂરી છે. કેમ કે કોરોનાના કેસ ઓછા જરૂર થઇ રહ્યા છે પરંતુ કોરોના વાયરસ હજુ પણ યથાવત છે.

દેશમાં સક્રિય દર્દીઓની સંખ્યા ઘટી

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે, દેશમાં કોરોના વાયરસના સક્રિય દર્દીઓની સંખ્યા હવે ઘટીને 1.48 લાખ થઈ ગઈ છે. મંત્રાલયે માહિતી આપી છે કે, છેલ્લા 24 કલાકમાં દેશભરમાં 12,165 લોકો સંક્રમણથી સાજા પણ થયા છે, જે બાદ અત્યાર સુધીમાં કોરોનાથી સાજા થયેલા લોકોની સંખ્યા 3,37,24,959 થઈ ગઈ છે. જે ભારત દેશ માટે ખૂબ સારા સમાચાર છે. કોરોના મહામારી ઘટતા દેશનું અર્થતંત્ર પણ ઝડપથી ગતિ પકડવાની આશા છે.

દેશમાં રસીકરણનો આંકડો 107 કરોડથી વધુ દેશમાં કોરોના સામેનો જંગ જીતવા રસીકરણની કામગીરી પણ પૂરજોશમાં ચાલી રહી છે. દેશભરમાં આરોગ્ય કેન્દ્રો પર રસીકરણ માટે લોકો હજુ પણ જઇ રહ્યા છે. મંત્રાલયે કહ્યું કે અત્યાર સુધીમાં દેશભરમાં 107 કરોડથી વધુ કોરોના રસીના ડોઝ આપવામાં આવ્યા છે. ઝડપી રસીકરણથી કોરોના પર ખૂબ જ ઝડપથી કાબુ મેળવી શકાશે.

આ પણ વાંચોઃ સુરતમાં લોકોએ અંબાજી મંદિરે દર્શન કરીને નવા વર્ષનો પ્રારંભ કર્યો, લોકોની ભારે ભીડ

આ પણ વાંચોઃ WHOએ આપી ચેતવણી, કોરોના મહામારીને કારણે આ દેશમાં ફ્રેબ્રુઆરી સુધી 5 લાખ લોકો ગુમાવી શકે છે જીવ 

Follow Us
જાણીતા સિંધી માર્કેટમાં ભીષણ આગ, ચીફ ફાયર ઓફિસર સહિતનો કાફલો ઘટનાસ્થળે
જાણીતા સિંધી માર્કેટમાં ભીષણ આગ, ચીફ ફાયર ઓફિસર સહિતનો કાફલો ઘટનાસ્થળે
Breaking news: પશુપાલકો દ્વારા 19 માર્ચે દહેગામ બંધ, જુઓ વીડિયો
Breaking news: પશુપાલકો દ્વારા 19 માર્ચે દહેગામ બંધ, જુઓ વીડિયો
ડાકોર મંદિરના શિખર પર ભક્તો હવે જાતે જ ચઢાવી શકાશે ધજા
ડાકોર મંદિરના શિખર પર ભક્તો હવે જાતે જ ચઢાવી શકાશે ધજા
અમદાવાદના KOMO BY KAFFAમાં ગાર્લિક બ્રેડમાં માખી ફ્રાય કરીને પીરસાઈ
અમદાવાદના KOMO BY KAFFAમાં ગાર્લિક બ્રેડમાં માખી ફ્રાય કરીને પીરસાઈ
વડોદરામાં અનોખો ધર્મ પરિવર્તન કેસ, મૂળ ઓળખ થતાં યુવકે લીધો નિર્ણય
વડોદરામાં અનોખો ધર્મ પરિવર્તન કેસ, મૂળ ઓળખ થતાં યુવકે લીધો નિર્ણય
અમદાવાદની શાળાને ધમકીભર્યા મેઈલ મળતા ICSE બોર્ડની પરીક્ષા અટવાઈ-Video
અમદાવાદની શાળાને ધમકીભર્યા મેઈલ મળતા ICSE બોર્ડની પરીક્ષા અટવાઈ-Video
ગુજરાત ATSએ 6 કિલો મેફેડ્રોન ડ્રગ્સ જપ્ત કર્યું
ગુજરાત ATSએ 6 કિલો મેફેડ્રોન ડ્રગ્સ જપ્ત કર્યું
પાટણના ચાણસ્મા ખાતે ગેંગવોરની ઘટના, PI સહિત 8 પોલીસકર્મી સસ્પેન્ડ
પાટણના ચાણસ્મા ખાતે ગેંગવોરની ઘટના, PI સહિત 8 પોલીસકર્મી સસ્પેન્ડ
ગુજરાતમાં કમોસમી વરસાદ અને તેજ પવનની આગાહી, જુઓ વીડિયો
ગુજરાતમાં કમોસમી વરસાદ અને તેજ પવનની આગાહી, જુઓ વીડિયો
અમદાવાદની શાળાઓને ફરી એકવાર બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
અમદાવાદની શાળાઓને ફરી એકવાર બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
g clip-path="url(#clip0_868_265)">