AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

દેશમાં કોરોના વાયરસના કેસમાં ઘટાડો, 24 કલાકમાં 221 દર્દીના મોત

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે દેશમાં કોરોના વાયરસના સક્રિય દર્દીઓની સંખ્યા હવે ઘટીને 1.48 લાખ થઈ ગઈ છે.

દેશમાં કોરોના વાયરસના કેસમાં ઘટાડો, 24 કલાકમાં 221 દર્દીના મોત
Reduction in the case of corona
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 05, 2021 | 11:20 AM
Share

દિવાળી (Diwali-2021) નો પર્વ ચાલી રહ્યો છે તે સમય દરમિયાન ભારતવાસીઓ માટે પણ રાહતના સમાચાર છે. દેશમાં કોરોના મહામારી ઘટી રહી છે. દેશમાં કોરોના (Covid-19) કેસના આંકડામાં રોજ સતત ઘટાડો નોંધાઇ રહ્યો છે. આજે દેશમાં કોરોના વાયરસ(virus)ના 12,729 નવા કેસ નોંધાયા છે. જ્યારે છેલ્લા 24 કલાક દરમિયાન 221 દર્દીઓના મોત(Death) થયા છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે માહિતી આપી હતી કે, અત્યાર સુધીમાં કોરોનાથી સાજા થયેલા લોકોની સંખ્યા વધીને 3,37,24,959 થઈ ગઈ છે. રોજ કોરોના(Covid-19)ના કેસ પણ ઘટી રહ્યા છે અને મૃત્યુઆંકમાં પણ ઘટાડો નોંધાઇ રહ્યો છે. ત્યારે દિવાળીના સમયમાં જ દેશની જનતા માટે આ રાહતના સમાચાર બન્યા છે. દેશની જનતામાં હવે અન્ય પર્વ પણ ઊજવવાની આશા જાગી છે. જો કે સામાન્ય જનતાએ હજુ સાવચેતી રાખવાની અને કોરોનાની નિયમોનો અમલ કરવાની તકેદારી રાખવી ખૂબ જરૂરી છે. જાહેર સ્થળ પર માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવુ ખૂબ જરૂરી છે. કેમ કે કોરોનાના કેસ ઓછા જરૂર થઇ રહ્યા છે પરંતુ કોરોના વાયરસ હજુ પણ યથાવત છે.

દેશમાં સક્રિય દર્દીઓની સંખ્યા ઘટી

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે, દેશમાં કોરોના વાયરસના સક્રિય દર્દીઓની સંખ્યા હવે ઘટીને 1.48 લાખ થઈ ગઈ છે. મંત્રાલયે માહિતી આપી છે કે, છેલ્લા 24 કલાકમાં દેશભરમાં 12,165 લોકો સંક્રમણથી સાજા પણ થયા છે, જે બાદ અત્યાર સુધીમાં કોરોનાથી સાજા થયેલા લોકોની સંખ્યા 3,37,24,959 થઈ ગઈ છે. જે ભારત દેશ માટે ખૂબ સારા સમાચાર છે. કોરોના મહામારી ઘટતા દેશનું અર્થતંત્ર પણ ઝડપથી ગતિ પકડવાની આશા છે.

દેશમાં રસીકરણનો આંકડો 107 કરોડથી વધુ દેશમાં કોરોના સામેનો જંગ જીતવા રસીકરણની કામગીરી પણ પૂરજોશમાં ચાલી રહી છે. દેશભરમાં આરોગ્ય કેન્દ્રો પર રસીકરણ માટે લોકો હજુ પણ જઇ રહ્યા છે. મંત્રાલયે કહ્યું કે અત્યાર સુધીમાં દેશભરમાં 107 કરોડથી વધુ કોરોના રસીના ડોઝ આપવામાં આવ્યા છે. ઝડપી રસીકરણથી કોરોના પર ખૂબ જ ઝડપથી કાબુ મેળવી શકાશે.

આ પણ વાંચોઃ સુરતમાં લોકોએ અંબાજી મંદિરે દર્શન કરીને નવા વર્ષનો પ્રારંભ કર્યો, લોકોની ભારે ભીડ

આ પણ વાંચોઃ WHOએ આપી ચેતવણી, કોરોના મહામારીને કારણે આ દેશમાં ફ્રેબ્રુઆરી સુધી 5 લાખ લોકો ગુમાવી શકે છે જીવ 

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">