AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : Rahul Gandhi 8 વર્ષ સુધી નહીં લડી શકે ચૂંટણી! જાણો કયા કેસમાં રાહુલ ગાંધીને સજા થઈ

મોદી સરનેમ કેસમાં કોર્ટે આપેલી બે વર્ષની સજા બાદ રાહુલ ગાંધીને વધુ એક ઝટકો લાગ્યો છે. લોકસભા સચિવાલયે રાહુલ ગાંધીની લોકસભાની સદસ્યતા રદ કરી દીધી છે. રાહુલ ગાંધી કેરળના વાયનાડથી લોકસભા સાંસદ હતા.

Breaking News : Rahul Gandhi 8 વર્ષ સુધી નહીં લડી શકે ચૂંટણી! જાણો કયા કેસમાં રાહુલ ગાંધીને સજા થઈ
| Updated on: Mar 24, 2023 | 4:11 PM
Share

માનહાનિના કેસમાં કોર્ટે દોષિત જાહેર કર્યા બાદ રાહુલ ગાંધીનું સંસદ સભ્યપદ પણ રદ થઈ ગયું છે. કેરળના વાયનાડથી સાંસદ રાહુલને લોકસભામાંથી ગેરલાયક ઠેરવવામાં આવ્યા છે. રાહુલ ગાંધી માટે આ અત્યાર સુધીનો સૌથી મોટો ઝટકો માનવામાં આવે છે. રાહુલને લોકસભામાંથી આ સંદર્ભે નોટિફિકેશન પણ આપવામાં આવ્યું છે. ગુરુવારે જ કોર્ટે રાહુલ ગાંધીને 2 વર્ષની જેલની સજા સંભળાવી હતી. હવે સવાલ એ ઊભો થાય છે કે શું રાહુલ ગાંધી 2024માં યોજાનારી લોકસભાની ચૂંટણી લડી શકશે નહીં ?

કાયદો શું કહે છે

જનપ્રતિનિધિત્વ અધિનિયમમાં અયોગ્યતા અંગેની જોગવાઈ છે. આરપી એક્ટની કલમ 8(3) માં કહેવામાં આવ્યું છે કે કોઈ પણ ગુના માટે દોષિત ઠરેલી વ્યક્તિને બે વર્ષથી ઓછી ન હોય તેવી જેલની સજા થઈ હોય તે દોષિત ઠર્યાની તારીખથી અયોગ્ય ગણાશે.

  • આ ઉપરાંત, વ્યક્તિ તેની સજા ભોગવ્યા પછી 6 વર્ષ સુધી ચૂંટણી લડી શકશે નહીં.
  • રાહુલ ગાંધીને એક્ટ હેઠળ સાંસદ તરીકે ગેરલાયક ઠેરવવામાં આવ્યા છે.લોકસભા સચિવાલયે ગેરલાયક ઠરવાની નોટિસ જાહેર કરીને સ્પષ્ટ કર્યું છે કે, રાહુલ ગાંધીની વાયનાડ સીટ હવે ખાલી છે.
  • 6 વર્ષ સુધી અયોગ્યતા ચાલુ રહેશે, એટલે કે તેને કુલ 8 વર્ષ માટે ગેરલાયક ઠેરવી શકાય છે.

કોંગ્રેસે કહ્યું છે કે, તેમને આ વાત પહેલાથી જ ખબર હતી. આ માટે અમારે જનપ્રતિનિધિત્વ અધિનિયમ વિશે જાણવું પડશે, જે મુજબ, જનપ્રતિનિધિત્વ અધિનિયમ મુજબ, જો સાંસદો અને ધારાસભ્યોને કોઈપણ કેસમાં 2 વર્ષથી વધુની સજા થઈ હોય, તો તેમનું સભ્યપદ (સંસદમાંથી) અને વિધાનસભા) રદ કરવામાં આવશે.

આઠ વર્ષ સુધી ચૂંટણી લડી શકશે નહીં

હવે જ્યારે લોકસભા સચિવાલયે રાહુલ ગાંધીની લોકસભાની સદસ્યતા રદ કરવાનું જાહેરનામું બહાર પાડ્યું છે, ત્યારે સ્પષ્ટ છે કે, તેઓ હવે 6 વર્ષ સુધી ચૂંટણી લડી શકશે નહીં. રાહુલ ગાંધીને બે વર્ષની સજા સંભળાવવામાં આવી છે, ત્યારબાદ તેઓ છ વર્ષ સુધી ચૂંટણી લડી શકશે નહીં. આ રીતે રાહુલ ગાંધી કુલ આઠ વર્ષ સુધી કોઈ ચૂંટણી લડી શકશે નહીં.

જાણો કયા કેસમાં રાહુલ ગાંધીને સજા થઈ

રાહુલ ગાંધીએ 13 એપ્રિલ 2019ના રોજ કર્ણાટકમાં એક ચૂંટણી રેલીમાં કહ્યું હતું કે નીરવ મોદી, લલિત મોદી, નરેન્દ્ર મોદીની અટક કેમ કોમન કેમ છે? બધા ચોરની અટક મોદી કેમ છે? આ પછી, ભાજપના ધારાસભ્યએ માનહાનિનો કેસ દાખલ કરીને આરોપ લગાવ્યો કે 2019માં એક ચૂંટણી રેલીને સંબોધિત કરતી વખતે રાહુલે કથિત રીતે કહીને સમગ્ર મોદી સમુદાયને બદનામ કર્યો હતો કે બધા ચોરોની અટક મોદી કેમ છે? તેમના નિવેદનથી અમારી અને સમાજની ભાવનાઓને ઠેસ પહોંચી છે. પૂર્ણેશ ભૂપેન્દ્ર પટેલ સરકારના પ્રથમ કાર્યકાળમાં મંત્રી હતા. તેઓ ડિસેમ્બરમાં સુરતમાંથી ફરીથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે.

 

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">