Rahul Gandhiએ કહ્યુ, ”અન્યાય સામેની આ જીત મુબારક”, તો પ્રિયંકા ગાંધીએ કહ્યુ, ”ચૂંટણીમાં હાર દેખાવા લાગી તો હકીકત સમજાઇ”
Farm laws : કોંગ્રેસ અત્યાર સુધી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારના કૃષિ કાયદાનો વિરોધ કરતુ આવ્યુ છે. આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ત્રણેય કૃષિ બિલ પરત લેવાની જાહેરાત કરતા, કોંગ્રેસે આને ખેડૂતોની જીત ગણાવી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી(Prime Minister Narendra Modi)એ, 3 કૃષિ કાયદા(Agricultural laws) પરત ખેંચવાની જાહેરાત કરી છે. દેશને સંબોધન કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યુ કે, સંસદના આગામી સત્રમાં ત્રણેય કૃષિ કાયદાને પરત લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે ત્યારે વડાપ્રધાનના આ નિર્ણયને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી(Rahul Gandhi)એ અન્યાય સામેની જીત ગણાવી છે. તો પ્રિયંકા ગાંધી(Priyanka Gandhi)એ કહ્યુ કે ચૂંટણીમાં હાર દેખાવા લાગી તો હવે સરકારને હકીકત સમજમાં આવી છે.
કોંગ્રેસ અત્યાર સુધી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કૃષિ કાયદાનો વિરોધ કરતુ આવ્યુ છે. પહેલા ઘણી વાર આ કાયદાને લઇને રાહુલ ગાંધી સહિત કોંગ્રેસના નેતાઓએ આ બિલને લઇને વિરોધ દર્શાવેલો છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે કૃષિ બિલ પરત લેતા કોંગ્રેસે આને ખેડૂતોની જીત ગણાવી છે.
રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કૃષિ કાયદા બિલ પરત લેવાની જાહેરાત બાદ મોદી સરકાર પર નિશાન સાધ્યુ હતુ અને કહ્યુ હતુ કે ‘દેશના અન્નદાતાએ સત્યાગ્રહથી અહંકારનું માથું ઝુકાવી દીધું”
રાહુલ ગાંધીનું હાલનું ટ્વિટ રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને કહ્યુ છે કે, દેશના અન્નદાતાએ સત્યાગ્રહથી અહંકારનું માથું ઝુકાવી દીધું. અન્યાય સામેની આ જીત બદલ અભિનંદન! જય હિંદ, જય હિંદના ખેડૂત!
देश के अन्नदाता ने सत्याग्रह से अहंकार का सर झुका दिया। अन्याय के खिलाफ़ ये जीत मुबारक हो!
जय हिंद, जय हिंद का किसान!#FarmersProtest https://t.co/enrWm6f3Sq
— Rahul Gandhi (@RahulGandhi) November 19, 2021
રાહુલ ગાંધીએ અગાઉ આપેલુ નિવેદન
કૃષિ આંદોલન કરી રહેલા ખેડૂતોના સમર્થનમાં અગાઉ 14 જાન્યુઆરી 2021એ રાહુલ ગાંધીએ કહ્યુ હતુ કે ”ખેડૂતો જે કરી રહ્યા છે તેના પર મને ગર્વ છે અને હું તેમને પુરો સપોર્ટ કરુ છું. હું તેમની સાથે હંમેશા રહીશ.”રાહુલ ગાંધીએ આ સમયે એમ પણ કહ્યુ હતુ કે મારા શબ્દોને નોંધી લો. સરકારને આ કાયદાને પરત ખેંચવાની ફરજી પડશે. હું જે કહું છુ તેને યાદ રાખજો.”
પ્રિયંકા ગાંધીનું ટ્વિટ પ્રિયંકા ગાંધીએ ટ્વિટ કરીને લખ્યુ છે કે ,” તમારા ભાગ્ય અને તમારા બદલાતા વલણ પર વિશ્વાસ કરવો મુશ્કેલ છે. ખેડૂત હંમેશા આશીર્વાદ મેળવશે.જય જવાન, જય કિસાન, જય ભારત.”
.. आपकी नियत और आपके बदलते हुए रुख़ पर विश्वास करना मुश्किल है।
किसान की सदैव जय होगी। जय जवान, जय किसान, जय भारत। 3/3
— Priyanka Gandhi Vadra (@priyankagandhi) November 19, 2021
અન્ય એક ટ્વિટમાં પ્રિયંકા ગાંધીએ લખ્યુ કે , ”..તેમને લાકડીઓ વડે માર માર્યો, ધરપકડ કરી. હવે તમે ચૂંટણીમાં હાર જોવા માંડો છો, પછી અચાનક તમને આ દેશનું સત્ય સમજાવાનું શરૂ થયું – કે આ દેશ ખેડૂતોએ બનાવ્યો છે, આ દેશ ખેડૂતોનો છે, ખેડૂત આ દેશનો સાચો રખેવાળ છે અને કોઈ સરકાર આ દેશના ખેડૂતોના હિતને કચડીને આ દેશને ચલાવી શકતી નથી”
..उनपर लाठियाँ बरसायीं, उन्हें गिरफ़्तार किया।
अब चुनाव में हार दिखने लगी तो आपको अचानक इस देश की सच्चाई समझ में आने लगी – कि यह देश किसानों ने बनाया है, यह देश किसानों का है, किसान ही इस देश का सच्चा रखवाला है और कोई सरकार किसानों के हित को कुचलकर इस देश को नहीं चला सकती। 2/3
— Priyanka Gandhi Vadra (@priyankagandhi) November 19, 2021
આ પણ વાંચોઃ Agricultural Bills : કેટલાક લોકો ખેડૂતોને ગેરમાર્ગે દોરી રહ્યાં છે : રામ મોકરિયા
આ પણ વાંચોઃ Kisan Andolan News: કૃષિ કાયદા પરત લેવાની PM મોદીની જાહેરાત પર ટિકૈતે કહ્યું- આંદોલન હમણા પાછું નહીં ખેંચાય